________________
શ્રીઅગ્નિકાપુ નામના સૂરિપદરની કથા, (૧૭૫ जायं पयागतित्थं, देवेहिं कयाइ जस्स महियाए ।
गंगाए अंतगडं तं, वंदे अनिआपुत्तं ॥ २१ ॥ જેમના દેવતાએ કરેલા મહિમાએ કરીને પ્રયાગ નામનું પ્રસિદ્ધ તીર્થ થયું. તે ગંગામાં અંતકૃત કેવલી થએલા અગ્નિકાપુત્ર આચાર્યને હું વંદના કરું છું. મારવા
* 'श्री अनिकापुत्र' नामना सूरिपुरंदरनी कथा * પુષભદ્રા ગામની નગરીમાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને શીલ ગુણવાલી પુષ્પવતી નામે સ્ત્રી હથી. પુષ્પવતીએ પુત્ર પુત્રીના જોડલાને સારા વખતે જન્મ આપે. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડયું. એકદા પરસ્પર કીડા કરવામાં પ્રેમવંત થએલા તે પુત્ર પુત્રીને જોઈ પુપકેતુ રાજા વિચાર કરવા લાગ્યા કે “ આ બન્નેને પરસ્પર વિવાહ કરવા ગ્ય છે.”
પછી ભૂપતિએ નગરીના બહુ લેકેને બોલાવીને પૂછયું કે “ અંત:પુરમાં રત્ન ઉત્પન્ન થાય તે તેને કેને લેવાને અધિકાર છે?” ભૂપતિના અભિપ્રાયને નહિ જાણનારા તે મુગ્ધ લોકોએ કહ્યું. “હે રાજન ! અંતઃપુરમાં ઉત્પન્ન થએલું હોય અથવા બીજે પિતાના દેશમાં ઉત્પન્ન થએલું હોય તે પણ તેના આપજ ધણી છે. ” લેકોનાં આવાં વચન સાંભલી ભૂપતિએ તે પિતાના પુત્ર પુત્રીને વિવાહ કર્યો. આ વાતની પુષ્પવતી રાણીને ખબર પડી તેથી તે વૈરાગ્યથી ચારિત્ર લઈ આરાધના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ અનુક્રમે પુપકેતુ મૃત્યુ પામ્યું અને તેની ગાદીએ પુષ્પગુલ બેઠે.
એકદા તે નગરમાં શ્રી અન્નિકાપુત્ર આચાર્ય આવ્યા. આ અવસરે પુષ્પવતીને જીવ જે દેવતા થયા હતા તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે “ આવા કુકર્મથી પુષ્પચુલા નરકને વિષે મા જાઓ.” આમ ધારી તે દેવતાએ પુષ્પચૂલાને સ્વમમાં નરકનાં દુઃખો દેખાડયાં. પછી જાગી ગએલી અને અત્યંત ભય પામેલી પુપચુલાએ સ્વમાની વાત પિતાના પતિને કહી. ભૂપતિએ સવારે દુષ્ટ સ્વમાની શાંતિ કરાવી પણ દેવતાએ તે પુષ્પચુલાને બીજે દિવસ પણ નરકનું દુ:ખ દેખાડયું. બીજે દિવસે સવારે ભૂપતિએ પ્રિયાના કહેવા ઉપરથી પાખંડી લકને બોલાવીને તેમને નરકનું સ્વરૂપ પૂછયું. તેમાં કેટલાકે ઉત્કટ દારિદ્રય, કેટલાકે રોગીપણું, કેકલાકે દાસ્યપણું અને કેટલાકે પરતંત્રતા એજ નરકનું સ્વરૂપ કહ્યું. સ્વમામાં. અને તે લેકેના કહેવામાં ફેરફાર પડવાથી રાણુએ ભૂપતિને કહ્યું “હે સ્વામિન્ ! આ સર્વ મિથ્યા છે.” પછી ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વમાની વાત પૂછી, એટલે તેમણે નરકની યથાર્થ શાસ્ત્રના વચનથી વાત કરી. પુષ્પગુલાએ સત્ય બોલનારા ગુરૂને કહ્યું