________________
શ્રી વજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. ( ક૭૭) આપી. વજસ્વામીએ, મંદબુદ્ધિવાળાઓને પણ થોડા દિવસમાં એટલી વાચના આપી કે જે વાચનાને પૂર્વે બહુ દિવસ લાગતા. અતિ જડને વિષે પણ અમેઘ વચનવાળા વજીસ્વામીને જે ગણવાસી કયા કયા સાધુઓ વિસ્મય નથી પામ્યા? સાધુઓ પરસ્પર વિચારવા લાગ્યા કે “જે સૂરિ, અહિં આવતાં વાર લગાડે તે આપણે વસ્વામી પાસે શ્રુતસ્કંધને સમાપ્ત કરીએ. સાધુએ વાસ્વામીને ગુરૂથી અધિક ગુણવાળા માનવા લાગ્યા. ઉત્તમ પુરૂષ, પિતાના ગુરૂએ દીક્ષા આપેલા શ્રેષ્ઠ ગુણ પુરૂષને જોઈ હર્ષ પામે છે. સૂરિ વિચારવા લાગ્યા કે “આટલા દિવસમાં અમાસ પરિવારથી વજીના ગુણ જાણી શકાયા નહિ.
એમ વિચારી સૂરિ કહેલે દિવસે પાછા આવ્યા. વજસ્વામી સહિત સર્વે મુનિઓએ તેમના ચરણમાં નમસ્કાર કર્યા. પછી ગુરૂએ સર્વે સાધુઓને “તમારા સ્વાધ્યાયને નિવાહ થાય છે કે ?” એમ પૂછયું એટલે સાધુઓએ “આપના ચરણના પ્રસાદથી સાર થાય છે” એમ કહ્યું. વળી સર્વે શિષ્યોએ નમસ્કાર કરી ગુરૂની વિનંતિ કરી કે “ આપની આજ્ઞાથી વાસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ. અમોએ વજીસ્વામીના ગુણો આજે ઘણે દિવસે જાણ્યા છે. બાલ છતાં પણ તે હમણ અમને આપના ચરણસમાન દેખાય છે. ” શ્રી સિંહગિરિ સૂરિએ કહ્યું “ ભલે તમે વજી પાસે વાચના લે. કારણ એ છે બાલક પણ હંમેશાં વિદ્યાથી વૃદ્ધ જાણવા. અમે ગામ જવાના મિષથી તમને ગુરૂ તરીકે સેંગ્યા હતા, તેનું કારણ એજ કે તમે તેમના આવા આશ્ચર્યકારી ગુણના જાણું થાઓ. કારણ-ફક્ત સાંભળવાથી જ એણે અભ્યાસ કર્યો છે–એમ ન હોય તો એ વાચનાચાર્યની પદવીને યોગ્ય ન હોય. હે સાધુઓ ! તમારે તેને સાર કહ૫વાલા અને ઉપાસના કરવા યોગ્ય જાણ. કારણ એ સર્વોત્તમ પદવીને યોગ્ય છે.” .
પછી ઉદાર બુદ્ધિવાલા ગુરૂએ વજસ્વામીને જે જે શ્રત નહોતા ભણ્યા, તે તે તેમને અર્થસહિત ભણાવ્યા. વજસ્વામીએ પણ ગુરૂને ફકત સાક્ષી માત્ર રાખી દર્પણને વિષે પ્રતિબિંબની પેઠે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો. શ્રી વજસ્વામી બહુ કાલે એવા બહુશ્રુત ધારી થયા કે તે ગુરૂના પણ ન ભેદી શકાય એવા સંદેહ રૂપ ઘડીના ફાડી નાખવામાં મુગરપણાને પામ્યા. જેમ લીલા માત્ર કરી અંજલીમાં જ લેવાય તેમ વ્રજસ્વામીએ એટલે અભ્યાસ કર્યો કે તેમણે ફકત ગુરૂના હૃદયમાં દ્રષ્ટિવાદ રહેવા દીધે.
અન્યદા ગામે ગામ અને નગરે નગર ફરતા એવા સિંહગિરિ આચાર્ય પિતાના સાધુઓ સહિત દશપુર નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેમણે વિચાર્યું જે “અત્યારે દશ પૂર્વના ધારણહાર ભદ્રગુપ્ત આચાર્ય ઉજ્જયિની નગરી પ્રત્યે રહે છે તેમની પાસેથી તે દશપૂર્વ ગ્રહણ કરવાં જોઈએ. આ વખતે પદાનુસારીલબ્દિવાળે વજ એકજ વિદ્યાદાન કરવા ગ્ય છે. માટે વજને હું તે દશપૂર્વના જાણુ સૂરિ