________________
( ૨૪૬ )
શ્રી ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
તેણે આવેલા એવા પેાતાના બન્ને પાત્રૌને બહુ માનથી પેાતાની પાસે રાખ્યા.
હવે અહી કૂણિક રાજા, ધૃત્તની પેઠે પોતાને છેતરીને નાસી ગએલા હર્લીવિહલ્લને જાણી ગાલને વિષે હાથ મૂકી વિચાર કરવા લાગ્યા. “ નિશ્ચે સ્ત્રીના પ્રધાનપણાથી મને ગાદિ રત્નાએ અને ખંધવાએ ત્યજી દીધા. આવું દુ:ખ પ્રાપ્ત થયે છતે હવે જો હું તેને અહીં ન લાવું તેા પછી પરાભવને સહન કરનારા વાણીયામાં અને મ્હારામાં ફેર શે ? અથાત્ કાંઇ નહિ.
પછી કૂણિકે રત્ના લઈને નાસી ગએલા પેાતાના ભાઇને મૃત્યુના ભય દેખાડવાનુ એક દૂતને શીખવી વિશાલા નગરીમાં ચેડા રાજા પાસે મેાકલ્યા. પછી કૃત વિશાલા નગરીમાં જઈ નમસ્કાર કરી, આસને બેસી સાહસપણાથી ચેડા રાજાને આ પ્રમાણે કહ્યું. “ ગાદિ રત્નાને લઇ તુરત નાસી આવેલા હલ્લવિહલ્લ તમે કૃણિક રાજાને સોંપા. જો તમે તેમ નહિ કરો તા પોતાના રાજ્યના નાશ કરી બેસશે. એવા કાણુ જડ પુરૂષ હોય કે જે એક ખીલી કાઢવાને માટે પોતાના મહેલને પાડી નાખે ? ” ચેડા રાજાએ ત્યુ. “ જો કે ફાઇ એક બીજો માણુસ શરણે આવ્યે હાય તો તેને ત્યજી દેવાતા નથી પછી આ વિશ્વાસ પામેલા મ્હારી વહાલી પુત્રીના પુત્રા છે તેની તેા વાતજ શી કરવી. ” દૂતે કહ્યું, જો તેઓ તમારે શરણે આવેલા હાય અને તેથી તેને તમે કૂણિક રાજાની સ્વાધિનમાં કરો નહિ તે તેઓની પાસેથી રત્ના લઈ મ્હારા રાજા કૃણિકને આપે. ” ચેડા રાજાએ કહ્યું. “ રાજા અથવા રાંકના એવા કાંઇ ન્યાય નથી જે એકનુ દ્રવ્ય ખીજાને આપવા ત્રીજો સમર્થ થાય. માટે હું દૂત ! હલ્લવિહલ્લ તેને સોંપવામાં નહીં આવે તેમ રત્ના નહીંજ મળે. જા આ વાત ત્હારા રાજાને ઝટ નિવેદન કર.
પછી તના મુખથી ચેડા રાજાએ કહેલી વાણી સાંભલી અત્યંત ક્રોધાતુર થએલા કૂણિક રાજાએ જયના પડહ વગડાવ્યેા. આ વખતે અસહ્ય તેજવાલા તે રાજાનું સર્વ સૈન્ય સર્વ પ્રકારની તૈયારીથી સજ્જ થઇ ગયું. દુય એવા કાલાદિ દશ કુમાર પણ સેનાની સાથે સજ્જ થઇ આગલ ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ. આ પ્રમાણે અતુલ તે એક એક કુમા રાનું સૈન્ય હતું. આવી રીતે કુણિકનું એક મ્હાટુ સૈન્ય તૈયાર થયું. આવા મ્હોટા સૈન્યથી ચેડા રાજા ઉપર જતા એવા કૃણિક પૃથ્વીને તથા શત્રુઓના હૃદયને કપાવતા હતા. ચેડા રાજા પણ મુકુટબદ્ધ અઢાર રાજાઓની સાથે બહુ સૈન્યથી તૈયાર થઇ કૂણિક સામે ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ; ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ એ દરેક મુકુટબદ્ધ રાજાનું સૈન્ય હતું. આ પ્રમાણે અઢાર મુકુટબદ્ધ રાજાએના મ્હોટા સૈન્યવાલા ચેડા રાજાએ પોતાને સીમાડે જઈ પોતાના સૈન્યના ભેદ એવા હૅોટો સાગર વ્યૂહ રચ્યા. કૃણિકે પણ પૂર્વે હેલી હેાટી સૈન્યથી ત્યાં આવી શત્રુની સેનાથી ન ભેદી શકાય એવા ગરૂડ વ્યૂહ રચ્યા. કણિકના સેનાપતિ