________________
(૩૬૬)
શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, રાજપીંડ લેતા અટકાવતા નહોતા. એવામાં શ્રી મહાગિરિસૂરિએ આવીને સુહસ્તી સુરિને કહ્યું. “હે સૂરિ ! તમે રાજપીંડને અનેષણય જાણતા છતાં શા માટે સ્વીકારે છે ? ” શ્રી સુહસ્તીરિએ કહ્યું ” હે ભગવન્! “યથા રાજા તથા પ્રજા” એ દ્રષ્ટાંતને અનુસરી રાજાની અનુવૃત્તિથી નાગરીક લકે પણ આપે છે.” ક્રોધ પામેલા મહાગિરિએ કહ્યું. “અરે સુહસ્તી ! હવે સછી આપણુ બન્નેને વિસં. લેગ જાણ. કારણ સમાન સામાચારીવાલા સાધુઓની સાથે સંભગિકપણું હોય છે. પણ ભિન્ન સામાચારીવાલા સાધુઓની સાથે સંગીકપણ હેતું નથી. માટે તું આજથી અમારા માર્ગથી જુદો છે. ” - શ્રી આર્યમહાગિરિના આવાં વચન સાંભળી બાળકની પેઠે ભયથી કંપતા એવા સુહસ્તીરિએ હાથ જોડી વંદના કરી અને કહ્યું “ હે ભગવન્! હું અપરાધી થયે છું. માટે મહારૂં મિથ્યાદુકૃત છે. આ હારે એક અપરાધ ક્ષમા કરે. હવે હું તે અપરાધ નહિ કરું.” શ્રી આર્ય મહાગિરિએ કહીં. “હે સૂરિ! એમાં તમારે દેષ શે ? કારણ પૂર્વે ભગવાન શ્રી મહાવીર પ્રભુએજ તે કહ્યું છે કે “હારી શિષ્ય પરંપરામાં સ્થલિભદ્ર પછી સાધુઓની સામાચારી ભિન્ન ભિન્ન થશે.” આપણ બન્ને જણ સ્યુલિભદ્ર પછી તીર્થના પ્રવર્તક થયા છીએ માટે તે શ્રી વિરપ્રભુનાં વચન સત્ય કરી આપ્યાં છે. ” પછી અસંગ ક૫ની સ્થાપના કરી તેમજ જીવંતસ્વામીની પ્રતિમાને પ્રણામ કરી શ્રી આર્યમહાગિરિ સ્વામી અવંતી નગરી થકી બહાર નિકળી ચાલતા થયા. અનુક્રમે તે, ગજેન્દ્રપદ નામના પ્રસિદ્ધ મહાતીર્થને વિષે જઈ અનશન લઈ સ્વર્ગ પ્રત્યે ગયા. શ્રી સંપ્રતિ રાજા પણ શુદ્ધ શ્રાવક ધર્મને પાળી આયુષ્ય પૂર્ણ થયે દેવતા થયા. અનુક્રમે તે પણ મુક્તિ પામશે.
પછી આર્યસહસ્તી સૂરિ, અન્ય સ્થળે વિહાર કરી ફરી ઉજજયિની નગરીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે ગયા. બહારના ઉદ્યાનમાં વસતીની યાચના કરવા માટે શ્રી સુહસ્તી સ્વામીએ બે મુનિઓને નગર મળે નેકલ્યા. તે બન્ને મુનિઓ ભદ્રા નામની શેઠાણને ઘેર ગયા. ભદ્રા શેઠાણીએ પણ વંદના કરી અને સાધુઓને પૂછયું કે “આપ મને શી આજ્ઞા કરે છે?” મુનિઓએ કહ્યું. “ અમે સહસ્તી સુરિના શિષ્યો છીએ, તેમની આજ્ઞાથી તમારી પાસે વસતિની યાચના કરીએ છીએ. ” પછી ભદ્રાએ તેઓને વિસ્તારવાલી વસતી આપી, તેમાં શ્રીસહસ્તીએ પરીવારસહિત નિવાસ કર્યો.
અન્યદા સૂરિએ પ્રદોષસમયે નલિની ગુલ્મ નામના અધ્યયનનું આવર્તન કરવા માંડયું. તે વખતે ભદ્રાને પુત્ર અવંતિસુકુમાલ કે જે પિતાના સમાન રૂપવાલી પિતાની બત્રીશ સ્ત્રીઓની સાથે સાતમે માળે વિલાસ કરતા હતા તેના કાને તે નલિની ગુલ્મ વિમાન સાંભલાયું, પછી અવંતિસુકુમાલ તે અધ્યયન સાંભળવા