________________
શ્રીકુર્માપુત્ર' નામના મુનિપુ ગવની કથા.
( ૧૯૫ ) દેખાય છે ?” એમ પૂછ્યું એટલે યક્ષણીએ કાંઇ પણ જવાબ આપ્યા નહીં. પછી કુમારે બહુ આગ્રહથી પૂછ્યુ એટલે યક્ષણીએ સર્વ વાત યથાર્થ નિવેદન કરી. પછી સંવેગ પામેલા કુમારે યક્ષણીને કહ્યું કે “ હું પ્રિયે ! તું મને ઝટ તે કેવલીની પાસે લઈ જા.” યક્ષણી તુરત કુમારને જ્ઞાની પાસે લઇ ગઇ. કુમાર કેવળીને નમસ્કાર કરી તેમની પદાને વંદના કરવા લાગ્યા. એવામાં પુત્રને જોઇ પદામાં બેઠેલાં માતા પિતા માહથી રાવા લાગ્યાં. આ વખતે કેવળીએ કુમારને કહ્યું કે “તું આ હારા માતા પિતાને વંદના કર. કુમારે તેનું કારણુ પૂછ્યુ... એટલે કેવળીએ સર્વ યથા વાત કહી. કુમાર ઉત્સાહથી માતા પિતાને પૂર્વની પેઠે આલિંગન કરી બહુ રૂદન કરવા લાગ્યા. પણ યક્ષણી તેને વારવા લાગી. પોતાના વસ્ત્રથી કુમારનાં આંસુ લુડી યક્ષણીએ ફરી તેને મુનિરાજના ચરણ કમળ પાસે બેસાર્યો. આ અવસરે કેવળીએ મેહ રૂપ વિષને દૂર કરનારી અમૃતસમાન ધર્મદેશના આપી. તે સાંભળી યક્ષણીએ આદરથી સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને કુમારે યક્ષણીની રજા લઇ ગુરૂની પાસે ચારિત્ર લીધું. નિરંતર તીવ્ર તપ કરતા અને પરીષહુને સહન કરતા એવા દુર્લભકુમાર મુનિ અનુક્રમે ચાદ પૂર્વ ભણ્યા. આયુષ્ય પૂર્ણ થયે કુમાર અને તેના માતા પિતા કાળ ધર્મ પામી મહાશુક દેવલાકમાં દેવમંદિર નામના વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયાં. યક્ષણી પણ વૈશાલી નગરીમાં ભ્રમર છે પતિ જેના એવી કમલા નામે સ્ત્રી થઈ ત્યાંથી તે મહાશુક દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ.
હવે લક્ષ્મીના ધામ રૂપ રાજગૃહ નામના ઉત્તમ નગરમાં સિંહ સમાન ઉત્કટ મહેંદ્રસિહુ નામે રાજા રાજ્ય કરતા હતા તેને કુર્માદેવી નામે સ્ત્રી હતી. દુર્લભ કુમારના જીવ મહાશુક્ર દેવલાકથી ચવીને ભવનનું સ્વપ્ત સૂચવતા છતા તે કુર્મોદેવીના ઉદરને વિષે અવતર્યા. કુર્માંદેવીએ હર્ષોંથી સવારે સ્વમાની વાત પતિને કહી. પતિએ કહ્યુ કે “ હું પ્રિયે ! તને લક્ષ્મીના ભવન (સ્થાન) રૂપ પુત્ર થશે.” પછી ષિત અને ગર્ભને ધારણ કરતી એવી કુમાદેવીને પૂર્વ પુણ્ય સૂચવનારા પ્રીતિકારી ધર્મ શ્રવણુ કરવાના ડાહલેા ઉત્પન્ન થયા. ભૂપતિ ષટદર્શનના આચાર્યને ખેલાવી નિર ંતર તેનાં તેનાં ધર્મશાસ્ત્ર રાણીને સંભળાવવા લાગ્યા. તેમાં પાંચ દનવાળા તા પોત પોતાના હિંસાવાળા ધર્મના એધ દેવા લાગ્યા જેથી તે ધર્મ સાંભળી કુર્માંદેવી બહુ ખેદ પામવા લાગી. પછી હર્ષિત ચિત્તવાળા ભૂપતિએ ભક્તિથી જૈનમુનિને ખેલાવીને તેમનાં ધર્મશાસ્ત્ર સ ંભળાવવા લાગ્યા. સર્વ જીવ ઉપર દયા રાખવાના સારવાળા શ્રી અરિહંત પરમાત્માના પરમ આનંદમય આગમને સાંભળતી કુર્માંદેવી પેાતાને સંસારમાં સુખી માનવા લાગી. જેમ મેરૂ પર્વતની ચુલિકા કલ્પવૃક્ષને જન્મ આપે તેમ રાણી કુર્માંદેવીએ નવ માસ અને સાડાસાત દિવસ ગયે છતે એક પુત્રને જન્મ આપ્યા. ભૂપતિએ પણ તે વખતે હર્ષ થી યાચક જનેાને પ્રમાણ વિનાનું મહ દાન આપતાં છતાં પુત્રજન્માત્સવ કર્યો, ઉત્તમ દોહદના અનુ