________________
(૧૭૮ )
શ્રીમતી રિહિણીન્ન સંબંધ. તેણના ખોળામાંથી લેપાલ નામના પુત્રને પિતાના હાથમાં લીધે. “આ હારા પુત્રને નીચે પૃથ્વી ઉપર ફેંકી દઉં છું.” એમ સ્ત્રીને કહેતા એવા ભૂપતિએ ગોખની બહાર રાખેલા હાથમાં પુત્રને હિંડેળવવા માંડે. દેવગે ભૂપતિના હાથમાંથી પુત્ર જેમ વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ નીચે પડો. રાજલેક અને નગરવાસી માણસો “હાહા શબ્દ કરવા લાગ્યા, રાજા, પુત્રની પાછળ પૃપાપાત કરવા તૈયાર થયે અને રાણી “આશું આશું” એમ કહેવા લાગી એટલામાં નગરીની અધિષ્ઠાયિકા દેવીએ તુરત અધરથીજ બાલકને ઝીલી લઈ વસ્ત્રાભૂષણથી શણગારી ઝટ રાજાના આસન ઉપર મૂક્યું. નગરવાસી લેકેથી સ્ત્રીની અને પુત્રની પુણ્યસ્તુતિ સાંભલી અશેકચંદ્ર ભૂપતિએ ફરી પુત્ર જન્મને મહત્સવ કર્યો.
આ વખતે તે નગરીના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારણહાર રૂપકુંભ નામના આચાર્ય પિતાના માણિકુંભાદિ સાધુઓના પરિવાર સાહત આવ્યા. પ્રિયા સહિત અશોકચંદ્ર ભૂપતિ ગુરૂને વાંચવા માટે ઊદ્યાનમાં ગયે. ત્યાં તેણે ગુરૂને વંદના કરીને કલેશને નાશ કરનારી ધર્મદેશના સાંભલી. પછી મહા ભક્તિ પ્રગટ કરતા એવા તેમણે રહિણીના ભાગ્ય સભાગ્યથી વિસ્મય પામેલા ભૂપતિએ રૂપકુંભ મુનીશ્વરને પૂછ્યું. “હે ભગવન ! આ મારી પ્રિયા રેહિણીએ પૂર્વભવને વિષે એવું શું પુણ્ય કર્યું છે. કે જેથી તેણીને કયારે પણ કલેશને લેશ થતું નથી ? વળી હારે. તેણીની સાથે આવે અતિશય પ્રેમ શેને? અને તેણીના આ સર્વે પુત્ર કોણ છે?” આ પ્રમાણે બહુ વિનયથી પૂછયું એટલે ઉપશમધારી એવા તે મુનિએ સંસાર સમુદ્રને તારનારી આવી વાણી કહી.
હે રાજન ! આ હારા નાગપુર નગરમાં પૂર્વે વસુપાલ નામે રાજા હતે. તેને વસુમતી નામે સ્ત્રી હતી તે રાજાને લક્ષ્મીના પાત્ર રૂપ ધનમિત્ર નામનો ગુણવાન શ્રેણી મિત્ર હતું તેને ધનમિત્રા નામની સ્ત્રી હતી. તેઓને અનુક્રમે રૂપના પાત્ર રૂપ એક પુત્રી થઈ. તે પુત્રીના દેહને બહુ દુર્ગધ હતો. તેથી માતા પિતાએ તે પુત્રીનું દુર્ગધા નામ પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ તે પુત્રીને કઈ પરણ્ય નહીં. તે નગરમાં એક વસુમિત્ર નામે ધનવંત શ્રેષ્ઠી વસતે હતો તેને વસુકાંતા નામે સ્ત્રી હતી. તેઓને શ્રીષેણ નામે પુત્ર હતો. તે શ્રીષેણ ચેરી વિગેરે સાત વ્યસન સેવન કરવામાં બહુ તત્પર હતું. તેથી તેને રાજાના હુકમથી નગરરક્ષક લેકે વધ્યભૂમિ પ્રત્યે લઈ જતા હતા. ધનમિત્રે રાજાને વિનંતિ કરી ધનાદિ આપી શ્રણને છોડાવ્યું અને તેને પોતાની પુત્રી દુર્ગધા પરણાવી. શ્રીષેણ દુર્ગધના દુઃખને વધદુઃખથી અધિક માની મહા કષ્ટથી દિવસ નિર્ગમન કરી રાત્રીએ નાસી ગયે, પછી પિતાએ તે દુર્ગધાને દીન પુરૂને દાન આપવા માટે દાનશાલામાં રાખી. ત્યાં પણ તેણીના હાથથી કે ભિક્ષા લે નહિ. પછી સાધુ પાસેથી ધર્મ પામીને શાંત ચિત્ત