________________
( ૪ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાહ
અઢાર વર્ષના પુત્ર, કે જેને માતાએ મસ્તકને વિષે અને પિતાએ પગને વિષે ઝાલેઢા હાય, તેને તું પોતાના ખડગવતી હણી મને બલીદાન આપ તે હું તને ત્યજી દઉં. આ કાર્યની હું તને નિશ્ચયે સાત દિવસની અવધિ આપું છું.” રાજા, અવસર મલવાની ઇચ્છાથી તે દૈત્યનાં વચન અંગીકાર કરી તુરત પ્રિયાસહિત અશ્વ ઉપર એસી પાતાના નગર તરફ ચાલ્યે. પ્રભાત વખતે પાતાની પાછળ આવતા અને પાતે મળવાથી હર્ષ પામેલા સેવકાને તે મળવંત ભૂપતિ મલ્યે. અનુક્રમે તે ભૂપાલ, નિરૂત્સાહપણે પેાતાના નગરમાં આવીને પેાતાના મંદીરમાં ગયા. પછી રાજાએ પા તાના સર્વ વૃત્તાંત વ્રુદ્ધ પ્રધાનેાની પાસે કહ્યો એટલે તેઓએ તુરત ભૂપતિના સમાન એક સૂવર્ણની મૂર્ત્તિ કરાવી. પછી મંત્રીએ જ્યાં ઘણા વિપ્રોના ઘણાં ઘરો હતા એવા નગરને વિષે લક્ષ દ્રવ્યસહિત તે સુવર્ણ પુરૂષને ફેરવવા પૂર્વક એવા પટ્ટહ વગડાવ્યેા કે હું લેાકેા ! કાઇ પુણ્યથી પવિત્ર અંધારી રાતને વિષે જન્મેલા બ્રાહ્મણ પુત્ર અર્પે છે ? કે જે દયાવત પોતાના જીવિતના દાનથી રાજાને પ્રસન્ન થાય. નિશ્ચે રાજા તેના પિતાને અસંખ્ય દ્રવ્ય અને આ સુવર્ણ પુરૂષ આપશે.” આ પ્રમાણે પટહુ વગડાવતાં સાત દિવસ થયા એવામાં તે સાતમે દિવસે કોઇ એક બ્રાહ્મણના પુત્રે તે પટહને રોકીને તેની ઉદ્ઘાષણાના સર્વ તાત્પર્ય જાણ્યા. પછી તે વાત પોતે કઃલ કરી. રાજપુરૂષાને ઘરની બ્હાર ઉભા રાખી દયાથી ભિજાઈ ગએલા ચિત્તવાળા પેાતે ઘરની અંદર જઈને અત્યંત ભયભ્રાંત થએલા માતા પિતાને પ્રતિષેધ કરવા લાગ્યા. “ હું માતા પિતા ! આજે મ્હારા ઉપર પૂર્વના બહુ પુણ્યે પ્રસન્ન થયાં છે. વલી અસખ્ત મનારથાથી મ્હારી ઇચ્છાઓ ફલીભૂત થઈ. નિશ્ચે વાયુમય પ્રાણા નાશવંત સ્વભાવવાલા છે. માટે જેમ તેમ કરીને પણ હું. આ મ્હારા પ્રાણાથી અખંડિત એવા યશને ખરીદ કરૂં. વલી “હું સર્વ પ્રાણીઓના હૃદયમાં વસેલા છું. એમ જે કહે છે. તે ત્રણ જગના નિયંતા ભગવાન્ પરમાત્મા ખરેખર મ્હારા ઉપર પ્રસન્ન થયા છે કે જેથી મને આવા અવસર મલ્યા. આ જગતમાં પેટભરા મનુષ્યા તા ઘણાએ ઉત્પન્ન થાય છે. પરંતુ જે પરોપકારને માટેજ જન્મે છે. તેજ જન્મ્યા કહેવાય છે. તેમ તે મુવા છતાં પણ જીવતા કહેવાય છે. વિશ્વમાં સર્વે પ્રાણીએ પોતાના આત્માનું પાષણ કરે છે. તેમ જગત્ પણ પાતાનુ પોષણ કરે છે. પરન્તુ કાઇ કાઈનું પાષણ કરતું નથી. નિશ્રે આ દેહ ભાગ્યાધીન છે. એજ કારણથી આત્માનું હિતકારી શાશ્વતું પુણ્ય અંગીકાર કરવું. જેને દેહ કૃતાપણાથી ખીજાઓને વિદ્મ ઉપજાવતાં છતાં વૃથા નાશ પામે છે તે પુરૂષ પરોપકાર અથવા પુણ્યને અર્થે શું કાર્ય કરી શકવાના છે. જો દેહ પાપકાર કરવાવામાં સમર્થ ન હાય તાઅધમ ભક્ષણથી પાષણ કરેલા તે અધમ દેહથી જી? અર્થાત્ કાંઇ નહિ. જે પરોપકાર કર નારા છે તેજ મ્હાટા કહેવાય છે જેમ કે મેઘ, વૃક્ષ, સૂર્ય અને ચંદ્રકાંત પરીપકારથી વિશ્વમાં ગરીષ્ટપણું પામ્યા છે. હું માતા પિતા ! તમે દ્રવ્ય વડે કરીને, રાજા પ્રાણવડે કરીને, રાક્ષસ ઈષ્ટ ભેાજનવડે કરીને અને હું મ્હારી મનેારથની પ્રા
''
"9