________________
ધન્યકુમાર તથા શ્રીશાલિભક નામના મહર્ષિઓની કથા (૨૭) દ્રવ્ય વિના તે ઉત્સવ શી રીતે કરી શકાય?” અજ્ઞાનપણથી ફરી કહ્યું કે “હે માત! મને ખીર આપ, નહિ તે હું ભજન કરીશ નહિ. કહ્યું છે કે બાળકને આગ્રહ બલવાન હોય છે. પુત્ર આગ્રહથી ખીર માગવા લાગ્યો તેથી નિર્ધન એવી તે સ્ત્રી પોતાની પૂર્વની સધન અવસ્થાને સંભારી અત્યંત દુઃખી થઈને ઉંચા શબ્દથી રોવા લાગી. તેણીનું ગાઢ રૂદન સાંભળી પાડોશણ સ્ત્રીઓ દેડી આવી અને દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળી તેઓ કહેવા લાગી કે “હે સખિ! તું કેમ બહુ રૂએ છે?” નિર્ધન સ્ત્રીએ પોતાના પુત્રે કરેલા આગ્રહની યથાર્થ વાત કહી તેથી દયાળુ એવી તે સ્ત્રીઓએ ચોખા, ઘી, સાકર, દુધ વિગેરે આણી આપ્યું પછી માતાએ વૃતાદિયુક્ત ખીર બનાવી પુત્રને પીરસી ત્યાર પછી તે કાંઈ કાર્યને માટે પિતાના ઘરની અંદર ગઈ. આ વખતે જાણે તે સંગમને સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે વહાણ હાયની ? એવા એક માસના ઉપવાસી મુનીશ્વર ત્યાં આવ્યા. અકસ્માત આવેલા મુનીશ્વરને જોઈ પૂર્ણ ચંદ્રને દેખવાથી ચકેરના જોડલાની પેઠે સંગમ તુરત બહુ હર્ષ પામ્યો. પિતાના શરીરને વિષે પુલકાવલીન ધારણ કરતો અને પ્રફુલ્લ નેત્રવાળે સંગમ ઝટ ઉભું થઈ મુનિરાજને જેતે છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ મુનિરાજ મારે ઘરે અતિથિ થયા તેથી હું ધારું છું કે નિચે આજે હારા ઘરે કામધેનુ અથવા તે કામઘટ, ચિંતામણું કે કલ્પવૃક્ષ આવેલ છે. આ વિચાર કરી સંગમ મુનીશ્વરને પ્રણામ કરી કહેવા લાગ્યું કે “હે મુનિરાજ ! આ પરમાન સ્વીકારી હાર ઉપર અનુગ્રહ કરે.” પછી હિતેચ્છુ એવા મુનિરાજે એ સંગમના નિર્મલ ભાવને જાણી તેને સંતોષ પમાડવા માટે તેની આગળ પાત્ર ધર્યું. પછી સંગમે વિચાર્યું જે નિગ્ન સારો લાભ થશે કારણ આજે મહારે ચિત્ત, વિત્ત અને પાત્રને સંગમ થયો છે. ખરેખર આજે હારું ભાગ્ય જાગ્યું અથવા તે ધન્ય એ હું આજે પુણ્યવાન થયે જે આ મહાત્માએ પિતાનું પુણ્યપાત્ર હારી આગળ ધર્યું.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ભાવથી સંગમે વેગથી પિતાને થાળ ઉપાડી સાધુને ખીર વહોરાવી દીધી. સર્વ પ્રકારની ઉપાધિથી શૂન્ય એવા આ દાનથી તે સંગમે ઉત્તમ આયુષ્ય બાંધ્યું અને અલ્પ સંસાર કર્યો. મુનિરાજ તેના ઘરેથી ચાલ્યા ગયા પછી સંગમની માતા બહાર આવી માતાએ ધાર્યું કે પુત્ર ખીર ખાઈ ગયે તેથી તેણીએ હર્ષથી બહ ખીર પુત્રને પીરસી. સંગમ અતૃપ્ત હતું તેથી તેણે કઠપર્યત ધરાઈ ખીર ખાધી. સાંજે અજીર્ણ થયું તેથી સંગમ રાત્રીએ પેલા મુનિરાજનું સમરણ કરતે છતે મુત્યુ પામ્યો. દાનપુણ્યના પ્રભાવથી સંગમ રાજગૃહ નગરને વિષે ગભદ્ર શ્રેણીની સ્ત્રી ભદ્રાના ઉદરને વિષે પુત્રપણે અવતર્યો. માતાએ સ્વમામાં સારૂ પાકેલું અભૂત શાલિનું ખેતર દીઠું. તેમજ તેને ઉત્પન્ન થએલ ધર્મકૃત્ય સંબંધી હાલે શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા તેજથી અંધકારને નાશ કરતા એવા સૂર્યને પ્રગટ કરે તેમ ભદ્રાએ ઉત્તમ ગુણવાળા પુત્રને સુખે જન્મ આપ્યા. પુત્રને જન્મ