________________
શ્રી ઉદય નામના મુનિવરની કથા. (૧૩૫) રૂપ ધર્મ અંગીકાર કર્યો. તે સર્વ નયના જાણ એવા પેઢાલપુત્ર ઉદય મુનિને હું વંદના કરું છું. ૧૦૧–૧૦૨ છે
બે થી “” નામના મુનિવરની જાય , રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ચિલ્લણાદિ બહુ રાણીઓ હતી અને અભયકુમાર નામને પુત્ર મંત્રીપદ ભગવતે હતો. એકદા તે નગરમાં નાલંદ નામના પાડે શ્રી ગતમાદિ પરિવારથી વિંટાએલા શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. “ હું પહેલે, હું પહેલો ” એવા આગ્રહથી શ્રેણિક ભૂપતિ વિગેરે બહુ જને ત્યાં આવી શ્રી વિરપ્રભુને વંદના કરી ગ્ય સ્થાનકે બેઠા. આ વખતે પેઢાલનો પુત્ર ઉદય, શ્રી ગૌતમ પાસે આવીને શ્રાવકના વ્રતની વિધિ પૂછવા લાગે. પછી ગૌતમસ્વામીએ તેમની આગલ વિસ્તારથી તેરસેં કોડ શ્રાવકના વ્રતના ભાંગા નિરૂપણ કર્યા. તે સાંભલીને પ્રતિબંધ પામેલ ઉદય વૈરાગ્યને પામ્યું. પછી તેણે શ્રી વિરપ્રભુ પાસે પંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કરી મોક્ષપદ મેળવ્યું.
“શ્રી” નામના પુનિવરની કથા સંપૂર્ણ
आसी सुरसा दिव्वा, सीलं रुवं च जस्स जयपडहं ॥
तं निरकंतं वंदे, सिद्धिपत्तं सुजायरिसिं ॥ १०३ ॥ શૃંગારાદિ મનહર રસ, તેમજ જગમાં પ્રસિદ્ધ એવું શીલ તથા રૂપ વિદ્યમાન છતા જેમણે દીક્ષા લીધી, તે સિદ્ધિપદ પામનારા શ્રી સુજાત મુનિને હું વંદના કરું છું. મેં ૧૦૩ છે
આ સુજાત મુનિની કથા વાર્તક મુનિની કથાના અધિકારમાં પૂર્વે કહેલી છે માટે ત્યાંથી જાણી લેવી.
खंतिखमं उग्गतवं, दुक्करतवतेअनाणसंपन्नं ।।
किन्नरगणेहि महिअं, सुदंसणरिसिं नमंसामि ॥ १०४ ॥ ક્ષમાથી સર્વ સહન કરનારા, ઉગ્ર તપવાલા, દુષ્કર તપતેજ અને જ્ઞાનવડે સંપન્ન તથા કિન્નરસમૂહે પૂજેલા સુદર્શન મુનિને હું નમસ્કાર કરું છું ૧૦૪
गिहिणोवि सीलकणयं, निव्वडियं जस्स वसणकसवट्टे ॥
तं नमामो सिवपत्तं सुदंसणमुणिं महासत्तं ॥ १०५॥ ગ્રહસ્થાવસ્થામાં પણ જેમનું શીલવ્રત રૂપ સુવર્ણ, દુઃખરૂપ કેસેટમાં શુદ્ધ થએલું છે, તે મહા સત્ત્વવંત અને મોક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. એ ૧૦૫ છે