________________
(૨૮૨). શ્રીષિમંડલ વૃતિ–ઉત્તરાદ્ધ એવા તે જલને વાંધું. પછી સંસારસાગરને વિષે બુડતા એવા પ્રાણીઓને તારનાર એવા તે મુનિને રોમાંચયુક્ત થએલા સર્વે જનોએ હર્ષથી વંદના કરી. ભવદત્ત મુનિએ પિતાના પૂર્વાવસ્થાના બાંધાને કહ્યું. “હે દેવાનુપ્રિયે! હમણાં તમે વિવાહના કામમાં વ્યાકુલ છે માટે અમે બીજે વિહાર કરીશું, અને તમને નિત્ય ધર્મલાભ છે. પછી ભક્તિથી ભાવિત ચિત્તવાલા સર્વે બાંધવોએ કચ્છ અને એષણય પ્રાસુક આહારથી તે મુનિને પ્રતિલાલ્યા. આ વખતે અંતઃપુરમાં ભવદેવ પિતાને કુલાચાર પાલતે છતો પોતાની નવી પરણેલી સ્ત્રી નાગિલાને સખીઓ સહિત આભૂષણ ધરાવતું હતું. ત્યાં તેણે પોતાના બંધુનું આગમન સાંભલ્યું તેથી તે પોતાના ભાઈરૂપ મુનિને જોવાના ઉત્સાહને ધરતે છતે તુરત અર્ધા આભૂષણ ધારણ કરાવેલી પોતાની સ્ત્રીને ત્યજી દઈ ત્યાંથી ચાલી નિક. “હે કાંત ! અર્ધ આભૂષણ કરેલી પ્રિયાને ત્યજી દઈ આપને જવું યોગ્ય નથી.” એમ સખીઓએ બહ કહ્યું પણ તે તે તે ભવદેવે બહેરાની પેઠે સાંભલ્યું જ નહીં. પણ તે ના પાડતી એવી સ્ત્રીઓને તેણે ઉત્તર આપ્યો કે “હે અબલા ! હું હારા બંધુરૂપ મુનિને વંદના કરી ઝટ પાછો આવીશ.”
પછી ભાઈને જવાના ઉત્સાહ યુક્ત મનવાલા ભવદેવે ત્યાંજ ઉભેલા ભવદત્ત મુનિને વંદના કરી. વંદના કરીને ઉભા થએલા પિતાના ન્હાના ભાઈને ભવદત્ત મુનીશ્વર ચારિત્ર આપવાની ઈચ્છાથી ઘીનું પાત્ર ઝાલવા આપ્યું. પછી અનગારેમાં મુખ્ય એવા ભવદત્ત મુનિ, બીજા કુટુંબીઓ ઉપર દ્રષ્ટિ દઈ ત્યાંથી તુરત ચાલી નિકલ્યા. ભવદેવ પણ બંધુ ઉપર ઝરતી ભક્તિને લીધે હાથમાં ઘીનું પાત્ર ઝાલીને તેમની પાછલ ચાલ્યો. જેમ ભવદેવ તેમ બીજા બહુ સ્ત્રી પુરૂષ પણ પ્રેમને લીધે ભવદત્ત મુનિની પાછલ ચાલ્યા. મુનિએ પોતાની પાછલ આવતા એવા માણસે માંહેથી કોઈને પાછા જવાનું કહ્યું નહીં, કારણ તપસ્વીઓને તે યોગ્ય છે. વલી મુનિએ પાછા જવાની રજા નહિ આપેલા અને લજજાથી વશ થએલા તે સર્વે કેટલેક સુધી પાછલ ગયા. બહુ દૂર જવાથી વ્યાકુલ થએલા અને આદરરહિત એવા સર્વે સ્ત્રી પુરૂષે તે મુનિને નમસ્કાર કરી પોત પોતાની મેલે પાછા વલ્યા. ભેળા મનવા ભવદેવ વિચાર કરવા લાગ્યું કે “ મુનીશ્વરે રજા નહિ આખ્યા છતાં આ સર્વે લેકે પાછા જાય છે પણ ખરે તેઓ મુનીશ્વરના બંધુઓ નથી, અને હું તે તેમને અતિ સ્નેહવાગે બંધુ છું માટે મુનીશ્વરે રજા આપ્યા વિના મારે પાછું વળવું તે યંગ્ય નથી. પછી ભવદત્ત મુનિ વાર્તાથી પોતાના ન્હાના ભાઈને આસક્ત બનાવી આદરથી સુગ્રામ ગામમાં તેડી લાવ્યા કે જ્યાં પિતાના ઉત્તમ ગુરૂ હતા. બંધુ સહિત ભવદત્ત મુનિને વસતિદ્વારમાં આવેલા જોઈ બીજા બાલ શિષ્ય મુખ મલકાવી પરસ્પર કહેવા લાગ્યા કે “ આ મુનિ કેઇને દીક્ષા લેવરાવવા અહીં તેડી લાવ્યા છે. શ્રીમાન પુરૂ પિતાના કહેલા વચનને પ્રમાણુ કરવા બહુ