________________
| શ્રી અભયકમા કથાન્તગત શ્રીદાયની રાજર્ષિની કથા
(રર)
wwwwwwwwwwwwwww
w
wwwwwwwwwwww
નાગિલનાં આવાં વચન અંગીકાર કરી ત્યાંથી ચાલી નિકળેલા વિદ્યુમ્માલી દેવતાએ ક્ષત્રિયકુંડ નગરમાં ગૃહસ્થની ચિત્રશાળામાં કાયોત્સર્ગે રહેલા વીરપ્રભુને દીઠા. પછી ગોશિષચંદનના કાષ્ઠને છેદી અને હિમાવાન પર્વત ઉપર જઈ નાગિલે ત્યાં જેવી દીઠી હતી તેવી આભૂષણયુક્ત શ્રી વિરપ્રભુની મૂર્તિ બનાવી. વળી જાતિવંત ચંદનના બનાવેલા સંપુટમાં તેણે તે મૂર્તિ જેમ ધનવંત પુરૂષ પિતાના દ્રવ્યને મૂકે તેમ મૂકી. આ વખતે છ માસ થયા સમુદ્રમાં આમ તેણું ભ્રમણ કરતા એક વહાણને અને આકુળ વ્યાકુળ થએલા નાવિકને વિન્માલી દેવે દીઠે. વિદ્યુમ્માલી તુરત તે નાવિક પાસે જઈ તેને કહેવા લાગ્યા. “હે મુખ્ય નાવિક ! સાંભળ, જે તે સમુદ્રને ઉતરી સિંધુસૈવીર દેશમાં રહેલા શ્રી વીતભય નગર પ્રત્યે જઈ અને ત્યાં ચાટામાં “આ સમુદ્રમાંથી મળેલી દેવાધિદેવની પ્રતિમાને કઈ કઈ એમ ઉદ્ઘોષણા કરે તે હું આ લ્હારા વહાણને આ સમુદ્ર ચક્રમાંથી બહાર કાઢું” નાવિક હર્ષથી તે વાત કબુલ કરી એટલે વિદ્યુમ્માલી દેવતાએ તેના વહાણને બહાર કાઢ્યું.
પછી તે નાવિક, તુરત સિંધુસવીરના વીતભય નગરના ટામાં જઈ પૂર્વે કહેવા પ્રમાણે જેટલામાં ઉદ્દઘોષણા કરવા લાગે તેટલામાં તે ઉદાયન રાજા કેટલાક તાપસેસહિત ત્યાં આવ્યે સર્વે માણસે પિત પિતાના ઈષ્ટદેવ રૂ૫ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને સ્મરણ કરી કુહાડાવતી પેલા સંપુટને ઉઘાડવા માટે બહુ પ્રહાર કરવા લાગ્યા. લેકેને ત્રાસ ઉપજે એવા કુહાડાના બહુ પ્રહાર કર્યા. જેથી તે કુહાડાઓ ભાંગી ગયા પણ તે સંપુટ ભાગ્યો નહીં. આશ્ચર્ય પામેલા ચિત્તવાલો રાજા ઉદાયન પણ સવારથી માંડી મધ્યાન્હ સુધી ત્યાંજ રહ્યો. ભજન અવસર પણ વ્યતીત થઈ ગયે જાણું રાણી પ્રભાવતીએ ભૂપતિને બોલાવવા માટે પિતાની એક દાસીને મોકલી. ભૂપતિએ પણ તે આશ્ચર્ય જેવા માટે રાણી પ્રભાવતીને ત્યાં જ બેલાવી. રાણી પ્રભાવતી ત્યાં આવીને પૂછવા લાગી એટલે ભૂપતિએ તે સર્વ વાત કહી. રાણીએ કહ્યું. “નિચે શંકર તથા વિષ્ણુ વિગેરે દેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક તીર્થકર ભગવાન છે. ખરેખર આ સંપુટમાં જિનેશ્વરની પ્રતિમા હશે. માટે બ્રહ્માદિકનાં નામ બોલવાથી તે દર્શન આપતી નથી. હે સ્વામિન્ ! હું તેનું નામ લઈ પ્રતિમા આપને દેખાડીશ અને તે આશ્ચર્ય આ સર્વે માણસે જુઓ.”
પછી પ્રભાવતી રાણેએ સુગંધી ચંદનથી અને પુષ્પથી સંપુટને પૂજન કરી નમસ્કાર કરી અને પછી આ પ્રમાણે કહ્યું. “આઠ પ્રતિહાર્યયુકત, રાગાદિ દોષરહિત, દેવાધિદેવ અને ત્રણ કાલ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ના જાણ એવા અરિહંત પ્રભુ અમને દર્શન આપે.” પ્રભાવતીએ, આ પ્રમાણે કહ્યું એટલે જેમ પ્રભાતમાં પદ્મકોશ ઉઘડી જાય તેમ સંપુટ પોતાની મેલે ઉઘડી ગયું, અને તેમાંથી પ્રક્ષિત પુષ્પથી પૂજાયેલી ગોશીષ ચંદનની અખંડિત નિકળેલી જિનપ્રતિમા સર્વે માણસોએ દીઠી. તે વખતે જેનશાસનની હેટી પ્રભાવના થઈ પ્રભાવતી પણ તે