________________
શ્રાજ બુસ્વામી નામના થરમકવલીની કથા (૩૦૦) વય, બુદ્ધિ, રૂપ અને ચાતુર્યાદિ ગુણોથી નિરંતર પિતાને યોગ્ય એવા તે પુરૂષને મળી તું હારી વનાવસ્થાને કૃતાર્થ કર. હે ભદ્ર! જ્યારથી તે પુરૂષે તને નહીમાં નાન કરતી દીઠી છે ત્યારથી હારે વિષે બહુજ આસકત થએલે તે પુરૂષ બીજી સ્ત્રીનું નામ પણ લેતો નથી.” પછી બુદ્ધિવાળી દુગિલા પણ પિતાના હૃદયમાં રહેલા ભાવને ગુપ્ત રાખવા માટે તે તાપસીને કઠોર અક્ષરથી તિરસ્કાર કરતી છતી કહેવા લાગી. “હે મુંડા ! શું તે મદ્યપાન કર્યું છે કે જે તું કુલીન માણસને અયોગ્ય વચન બેલે છે? શું તું કુદિની છે? અરે પાપીણી, તું હારી દષ્ટિ આગલથી દૂર જા દૂર જા તને લેવાથી પાપ થાય તે પછી હારી સાથે વાત કરવાની તે વાત શી કરવી?” આવાં તિરસ્કારનાં વચન સાંભલી પાછી જતી એવી તે તાપસીની પીઠ ઉપર દુગિલાએ જાણે ભીંત ઉપર હોયની ? એમ મશથી લેપન કરેલ હાથ માર્યો.
પછી તાપસી દુર્ગિલાના આશયને ન જાણવાથી અતિ વિલક્ષ બની ગઈ અને પેલા કુશીલ પુરૂષ પાસે જઈ કડવા વચનથી કહેવા લાગી. “અરે ! પિતાને વિષે તે સ્ત્રીનું આસકતપણું દેખાડતા એવા તે મને એવું અસત્ય વચન કહ્યું? તેણે તેં પિતાનું સતીપણું દેખાડતાં છતાં કુતરીની પેઠે વચનથી હારે બહુ તિરસ્કાર કર્યો. તે મૂઢ! તે સ્ત્રીની પાસે હું વૃથા દૂતી તરીકે ગઈ. ચતુર પુરૂષને સારી ભીંત ઉપર ચિત્ર રચના કરવી ઘટે છે. અરે તેણે હારે તિરસ્કાર કર્યો એટલું જ નહીં પણ ઘર કાર્ય કરવામાં મશવાળા કરેલા હાથવડે તેણે ક્રોધ કરી મને વાંસામાં મારી છે.” આ પ્રમાણે કહીને તાપસીએ પિતાને પૃષ્ઠ ભાગ કે જેમાં દુગિલાએ મશવાલા હાથવડે પ્રહાર કર્યો હતો તે પેલા ધરૂં કામી પુરૂષને દેખાડે. કામી પુરૂષે વિચાર્યું કે “એ સ્ત્રીએ આ તાપસીના પૃષ્ઠ ભાગને વિષે પાંચ આંગુલીથી મશી હાથ માર્યો છે, તેથી તેણે મને ખરેખર કૃષ્ણપક્ષની પાંચમને સંકેત કર્યો છે. અહો ! શી તેની ચતુરાઈ કે, જેણે મને આવા બહાનાથી સકેતને દિવસ કહ્યો.
ચિત્ત! હવે તું ધીરજ રાખ! અરે ! તેણે કોઈ કારણને લીધે સંકેતનું સ્થાન તે સૂચવ્યું નથી તેથી હજુ મને તેને સંગ કરવામાં અંતરાય છે.” આમ વિચાર કરી તે કામી પુરૂષે ફરી તે તાપસીને કહ્યું. “તું તેને ભાવ જાણતી નથી, તે નિચે મહારા ઉપર અનુરક્ત છે. તેથી તું ફરી તેની પાસે જઈ પ્રાર્થના કર. હે માત! તું કઈ પણ રીતે હારા કાર્યમાં ખેદ લાવીશ નહીં. તું ફરી તેની પાસે જા. લીમી રૂપ વેલનું મુખ્ય મૂલ ખેદ નહિ કરે તેજ છે.” તાપસીએ કહ્યું
કુલીન એવી તે સ્ત્રી હારું નામ પણ સહન કરતી નથી તે પછી હારૂં ઇષ્ટકાર્ય કરવું તે તે નિચે ઉંચા સ્થાનમાં જલ રાખવા જેવું છે. જો કે હારા કાર્યની સિદ્ધિને સંદેહ છતાં નિ:સંદેહપણે હારે તે ધિક્કારજ થવાને છે તે પણ હું લજજાને ત્યજી દઈ હમણાં જાઉં છું.”