________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૧૯ (જેનો સ્વભાવ છે)” જેને (“સમયસાર') છઠ્ઠી ગાથમાં “જ્ઞાયક' કહ્યો. ૧૧મીમાં જેને “ભૂતાર્થ' કહ્યો. એને અહીંયાં “પરમ પરિણામિકભાવ' કહ્યો (છે). આહા... હા! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે. ભાઈ !
આહા... હા! “પરમ પરિણામિકભાવ” અર્થાત્ (ઔદયિકાદિ) ચાર ભાવમાં તો, ઉદય (ભાવ) માં તો કર્મનું નિમિત્ત આવે છે અને ત્રણ ભાવમાં (ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવમાં કર્મના) નિમિત્તના અભાવની અપેક્ષા આવે છે. (તેથી) એ (ચારે) અપેક્ષિત ભાવ થઈ ગયા. (અને) આ (કારણપરમાત્મા) ત્રિકાળ નિરપેક્ષભાવ (છે) એને (પરમ) પારિણામિકભાવ કહે છે. એ પરમ પરિણામિકભાવ જેનો સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ છે. આહા... હા ! જેનો પરમપરિણામિક સહજ સ્વભાવ, અનાદિ-અનંત શદ્ધ અતીન્દ્રિયઆનંદસ્વભાવ છે ! પર્યાયબુદ્ધિ છોડ (તો) એવી ચીજ અતિરૂપ છે, વિદ્યમાન છે.
“પંચાસ્તિકાય” ગાથા-૧૭રની ટીકામાં એમ લીધું છે કે ચારે અનુયોગનો “સાર” શું? (એમ કે) ચરણાનુયોગમાં એમ કહ્યું ને દ્રવ્યાનુયોગમાં એમ કહ્યું ને કથાનુયોગમાં આમ (ને કરણાનુયોગમાં આમ )! -ચારે અનુયોગમાં તાત્પર્ય તો ‘ વીતરાગતા' છે. જો વીતરાગતા તાત્પર્ય. છે તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય? ત્યાં પાઠ એવો છે કે સૂત્ર અર્થાત્ ગાથા દીઠ તો તાત્પર્ય કહ્યું, પણ આખા શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. જૈનદર્શનના બધા શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા દે
વીતરાગતા તો પર્યાય થઈ. તો વીતરાગતાની પર્યાય કેવી રીતે ઉત્પન્ન થાય ?
હવે આપણે અહીંયા મેળવવું છે ને..? આહા.. હા! આ વાત અહીં કહે છેઃ સમ્યગ્દર્શન એ પણ વીતરાગી પર્યાય છે. ત્રિકાળી પરમસ્વભાવભાવને ધ્યેય કહ્યું, તે જ ઉપાદેય કહ્યું; એને ધ્યાનમાં ધ્યેય બનાવીને, એને ઉપાદેય કરીને, જે (પર્યાયમાં ) સમ્યગ્દર્શન-જ્ઞાન ઉત્પન્ન થયું તે વીતરાગી પર્યાય છે. એ વીતરાગી પર્યાય, ચારે અનુયોગનો સાર છે અને એ વીતરાગી પર્યાય, પરમપરિણામિક ભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ ?
આહા.... હા! આ ટીકા તો ગજબની ટીકા છે! એવી ટીકા તો (બીજે) ક્યાંય નથી. મુનિ પદ્મપ્રભમલધારિદેવે બનાવી છે. પાઠમાં છે એવું સ્પષ્ટ કર્યું છે. જેમ ગાય અને ભેંસને આંચળ હોય છે, આંચળમાં દૂધ હોય છે તો અંદરથી કાઢે છે ને...! અહીં તો પ્રત્યક્ષ જોઈને એક એક વાત નક્કી કરી છે. એમ શાસ્ત્રના શબ્દોમાં ભાવ ભર્યા છે, એને પદ્મપ્રભમલધારિદેવે ર્તકથી ટીકા કરીને ખોલી દીધા છે. એમાં (જે) ભાવ ભર્યા છે એને કાઢયા છે!
પાઠમાં છે: “નીવાવિવદિતઘં દેવમુવાલેયમપૂનો .” એનું સ્પષ્ટીકરણ કર્યું: ઉપાયમMો અપ્પા.” -એ પરમ પરિણામિકભાવ, કારણજીવ, ધ્રુવજીવ, નિત્યજીવ, અતીન્દ્રિયસ્વભાવવાળો, શુદ્ધ-સહજ સ્વભાવવાળો જીવ; એને અહીં “કારણ પરમાત્મા’ કહે છે. આહા... હા ! એ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા છે!
આહા.... હા! વીતરાગતા સાર (છે), તો એમાં પણ ‘આ’ આવ્યું. ચારે અનુયોગનો સાર (છે) – “દ્રવ્યનો આશ્રય લેવો'. આહા... હા ! પૂર્ણ બ્રહ્મ પ્રભુ! પૂર્ણમ્ રૂ!
અન્યમતમાં પણ “પૂર્ણમ્ રૂમ્' તો કહે છે; પણ એને પર્યાયની ખબર (જ) નથી. એ તો એકાંત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com