________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
૩૯
પ્રચલિત ચતુર્વિંશતિસ્તવને ગ્રહણ કરતાં પ્રથમ તીર્થપતિના કાળને જ અહીં ગ્રહણ કરેલ છે. તેનું કારણ વર્તમાનમાં ચોવીસ તીર્થંકરો સિદ્ધાવસ્થામાં હોવાથી દ્રવ્યજિન હોવા છતાં વર્તમાનમાં ગુણસંપત્તિયુક્ત છે, કેમ કે સિદ્ધાવસ્થામાં પરિપૂર્ણ ગુણયુક્ત છે; જ્યારે ઋષભદેવ ભગવાનના કાળમાં અન્ય તીર્થંકરો યાવત્ એકેન્દ્રિયાદિમાં પણ હોઈ શકે છે, અને તે ભૂમિકામાં મોક્ષને અનુકૂળ સંપૂર્ણ ગુણસંપત્તિનો અભાવ પણ હોઇ શકે છે; આમ છતાં તેઓ આરાધ્યપણાને પામે છે, તે વસ્તુ કારણઅવસ્થારૂપ દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતાને બતાવે છે.
ટીકાર્ય : -
ન .....વગ્રòપત્ચાત્ । અને ઋષભ-અજિતાદિકાળમાં એક સ્તવ, દ્વિસ્તવાદિ પ્રક્રિયા પણ કરવી શક્ય નથી, કેમ કે શાશ્વત અધ્યયનપાઠની લેશથી પણ પરાવૃત્તિ કરવાથી કૃતાંતકોપનું વજ્રલેપપણું છે.
વિશેષાર્થ :
ચતુર્વિંશતિસ્તવ શાશ્વત અધ્યયન પાઠ છે, અને તેને એક સ્તવ, બે સ્તવાદિ પ્રક્રિયા કરીએ તો પરાવૃત્તિ થાય, અને તે ઉત્સૂત્રભાષણરૂપ હોવાથી દીર્ઘસંસારનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે, દરેક ચોવીસીમાં તીર્થંકરો ભિન્ન ભિન્ન થાય છે તો પણ ચતુર્વિંશતિસ્તવ શાશ્વત છે; ફક્ત તે તે ચોવીસીમાં તે તે નામો યુક્ત ચતુર્વિંશતિસ્તવની ગણધરો રચના કરે છે. તેથી પ્રસ્તુત નામવાળું ચતુર્વિંશતિસ્તવ શાશ્વત નહિ હોવા છતાં ચતુર્વિંશતિસ્તવરૂપે શાશ્વત છે.
ટીકાર્ય :
ન ચૈ......વાધાત્, અને નામ ઉત્કીર્તનમાત્રમાં તાત્પર્ય હોવાને કારણે અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત એવા ઉત્કીર્તનનું રાજવિષ્ટિ=રાજાની વેઠ, સમપણું હોવાને કારણે યોગીકુળમાં જન્મતું બાધકપણું છે.
વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, ઋષભદેવ ભગવાનના કાળમાં ચતુર્વિંશતિસ્તવની આરાધના થાય ત્યાં, ચોવીસે તીર્થંકરોના નામમાત્રનું ઉત્કીર્તન ક૨વામાં તાત્પર્ય છે; તેથી ત્રેવીસ તીર્થપતિઓના દ્રવ્યનિક્ષેપા આરાધ્ય છે એવો અર્થ તે સ્તવથી પ્રાપ્ત થાય નહિ, તેથી અવિરોધ છે=દ્રવ્યનિક્ષેપો ન સ્વીકારીએ તો પણ વાંધો નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત જે નામમાત્રનું ઉત્કીર્તન છે તે રાજાની વેઠ સમાન છે, અને તે યોગીકુળના જન્મનું બાધક છે. આથી કરીને જ દ્રવ્યઆવશ્યકનો નિષેધ શાસ્ત્રમાં કરેલ છે.
અહીં વિશેષ એ છે કે આ રીતે અર્થના ઉપયોગરહિત ઉત્કીર્તન યોગીકુળના જન્મનું બાધક કહીએ