________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૭ બીજા બોલમાં એમ કહ્યું કેઃ કષાયોનો સમૂહ અર્થાત્ જેટલા કષાયોના ભાવ છે. અહીં તો ચોખ્ખી વાત છે–દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બધા “કષાયોનો સમૂહ' છે, એ વ્યક્ત છે, પ્રગટ છે; એનાથી ભિન્ન, ભગવાન (આત્મા) અવ્યક્ત છે; “એ” વ્યવહાર રત્નત્રયથી પણ ભિન્ન છે, એ” આદરણીય છે.
ત્રીજો બોલઃ ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ (પર્યાયો) નિમગ્ન છે. જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ, જે સમ્યગ્દર્શનનું ધ્યેય છે; તે ‘ચિત્સામાન્ય” માં ભૂત અને ભવિષ્યની બધી પર્યાયો અંતર્લીન છે. -એમ, હે શિષ્ય! તું વર્તમાન પર્યાયમાં જાણ!
ચોથો બોલઃ ક્ષણિકવ્યકિતમાત્ર નથી માટે અવ્યક્ત છે. સિદ્ધ તો “અવ્યક્ત કરવાનું છે. “અવ્યક્ત” અર્થાત્ ત્રિકાળી જે વસ્તુ છે, તે જ આદરણીય છે. બાકી બધું જાણવા લાયક છે. તો કહે છે કે ક્ષણિક વ્યકિત જે પર્યાય છે-નિર્મળ હોં! –એ ક્ષણિકવ્યકિતમાત્ર પણ (આત્મા) નથી, એટલે “અવ્યક્ત' છે.
- હવે પાંચમો બોલઃ પ્રગટ અને અપ્રગટ એકમેક મિશ્રિતરૂપે પ્રતિભાસવા છતાં પણ(પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન એક સમયમાં એકસાથે થાય છે. જ્ઞાન તો એક સમયમાં બન્નેનું થાય છે.) –તે “વ્યક્તતા” ને સ્પર્શે નહીં, (એટલેકે) પર્યાયને દ્રવ્ય સ્પર્શ કરતું નથી. સમજાણું કાંઈ ? બહુ કઠણ.
(સમયસાર) ત્રીજી ગાથામાં તો એમ કહ્યું કે પ્રત્યેક પદાર્થ પોતાના અનંત ધર્મોને ચુંબે છે. પણ એ તો પરથી ભિન્ન કર્યા–એટલી વાત. સમજાણું કાંઈ ? પ્રત્યેક પદાર્થ પોતાના ગુણ અને પર્યાયને ચુંબે છે-સ્પર્શે છે-અડે છે. પરદ્રવ્યને ક્યારેય સ્પર્શતા નથી. એ તો પરદ્રવ્યથી ભિન્ન કરવા માટે. (કહ્યું.)
અહીં તો હવે, પર્યાય અને દ્રવ્ય-બેયને ભિન્ન કરવાની વાત છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ ? તો કહે છે કે: ક્ષણિકવ્યકિતમાત્ર તે પર્યાય છે-નિર્મળ; (પણ) એટલો જ એ (આત્મા) નથી, માટે એ અવ્યક્ત,” જે ક્ષણિક પર્યાયથી ભિન્ન છે.
આ બોલમાં તો આ આવ્યું કે: “વ્યક્ત –પ્રગટ નિર્મળ પર્યાયો અને “અવ્યક્ત” -દ્રવ્ય; બેયનું એકમેક મિશ્રિત જ્ઞાન હોવા છતાં (જ્ઞાન તો બેયનું એક સમયમાં થાય છે, છતાં, ) વ્યક્તતાને (અવ્યક્ત) સ્પર્શ કરતું નથી... બસ! એટલું લેવું છે-પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આહા.... હા... હા !
ત્યાં (ત્રીજી ગાથામાં) કહ્યું કે સર્વ દ્રવ્ય પોતાના બધા ગુણ-પર્યાયને ચુંબે છે. ભાઈ ! ત્યાં તો ફક્ત પરિદ્રવ્યથી ભિન્ન કરવાની વાત લીધી છે. અહીં તો કહે છે કે પોતાનું દ્રવ્ય જે ત્રિકાળી છે તે ધ્રુવ છે, તે વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી, અડતું નથી. આહા... હા... હા! સમજમાં આવે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com