________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૨૦૭ છે' –એવું એમાં અસ્તિત્વ (ગુણ) નું રૂપ છે; (પણ) અસ્તિત્વગુણ નહીં. સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી છે અને અસ્તિત્વસ્વરૂપી છે; પણ અસ્તિત્વગુણના કારણે જ્ઞાનગુણ છે-એમ નથી. (પણ) અસ્તિત્વગુણનું “રૂપ” જ્ઞાનગુણમાં છે. “રૂપ” નો અર્થ: “જ્ઞાનગુણ છે” એ પોતાના અસ્તિત્વથી છે. એ અસ્તિત્વગુણના કારણે છે-એમ નથી. એ (સર્વજ્ઞત્વ ગુણના રૂપની) વાત તો એથી ય બહુ ઝીણી છે, બાપુ! એ જ્ઞાન “સર્વ-જ્ઞ” છે, એમાં સર્વ ગુણનું રૂપ છે. -એ શું? એની ખબર નથી પડતી. અહીં તો જે હોય એવું કહીએ. વાત તો ઘણી સૂક્ષ્મ ! ઘણો વિચાર લઈ ગયા છીએ-આગમમાં-એક એક વાતમાં. શાસ્ત્રની એક એક ગાથા, ઘણું સ્પષ્ટીકરણ કરીને, અમે અંદર સમજીએ છીએ, એમ જ માની લેવું, એમ નહીં. ભાવમાં ભાન થવું જોઈએ. “જ્ઞાન છે” એમાં અસ્તિત્વગુણ નથી, પણ અસ્તિત્વગુણનું “રૂપ” છે; એ બરાબર છે. કેમ કે “જ્ઞાન.... છે'. જ્ઞાન છે ને..! તો
છે” પણું પોતાથી આવ્યું. આમ એક ગુણનું “રૂપ” બીજા ગુણમાં ભલે હોય! પણ સર્વજ્ઞનું રૂપ” શું છે? –સૂક્ષ્મ પડે છે, ભાઈ ! ભગવાન કહે છે તે તો યથાર્થ (જ) છે. એનો પાર પામી શકાય નહીં !!
અહીંયાં કહે છેઃ સ્કુરાયમાન જ્યોતિ જ્યારે પ્રગટ થાય છે, તો લોકાલોકને જાણે છે. એમ કહે છે: સમસ્ત વિસ્તાર (માં) વ્યાસ થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે. જીવનો તો એવો સ્વભાવ છે! આહા.... હા! અંદર સર્વજ્ઞસ્વભાવ છે. અને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટે, એ તો એનો સ્વભાવ છે. પ્રાતની પ્રાપ્તિ છે! ભગવાન પૂર્ણાનંદ સર્વજ્ઞ (સ્વભાવ) અંદર વિદ્યમાન છે. પર્યાયમાં (જે) સર્વજ્ઞપણું આવે છે તે ત્યાંથી આવે છે. તો એ સર્વજ્ઞપણામાં આખું લોકાલોક જાણવામાં આવે છે. ભલે ક્ષેત્ર શરીર પ્રમાણે-આટલામાં છે!
આકાશનો અંત નથી. આકાશ પૂરું ક્યાં થયું? ક્યાં પૂરું થયું...! પછી શું? (પણ એનો અંત જ નથી ને). એ પણ જ્ઞાનમાં આવી જાય છે. ( જ્ઞાનમાં) આવી જાય છે, માટે (શું) આકાશનો અંત આવી ગયો? –એમ નથી. અનંતને અનંતરૂપે જાણવામાં આવ્યું. (તો) એ અનંતને જાણે ત્યાં અંત થઈ ગયો? ( –એવું નથી). સમજાય છે કાંઈ ?
આહા હા ! “એવો આ જીવ પૂર્વોક્ત રીતે પરદ્રવ્યનો અને પરભાવોનો અકર્તા ઠર્યો” અકર્તા સિદ્ધ થયો.
અમૃતચંદ્રાચાર્યે “ક્રમબદ્ધ' ની ટીકા પણ કરી અને પાછી એમણે એના કળશની પણ રચના કરી. આ “ક્રમબદ્ધ” નો કળશ છે. જેમ મંદિર બનાવીને પછી કળશ ચઢાવે; તેમ આ ટીકા એ “મંદિર', અને એ “કળશ” માથે ચઢાવ્યો!
અલૌકિક વાત છે, બાપુ! દુનિયાથી (જુદી). આ વસ્તુ એવી છે કે એવી વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com