________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬: પ્રવચન નવનીત ભાગ-૧ માટે એમાં કંઈક ધર્મ થઈ ગયો? (–એમ નથી). (કેમ કે) આત્મા પૈસા ખર્ચી જ શકતો નથી. એ પરમાણુની પર્યાયનું કાર્ય, તો એ પરમાણુનું છે; બીજાનું નથી. અને પૈસાના કાર્યથી મંદિર થાય, એમ પણ નથી.
જિજ્ઞાસાઃ આપ કોઈનો ઉપકાર ગણતા નથી?
સમાધાન: એ તો બધી વ્યવહારની વાતો છે. શાસ્ત્રમાં ઉપકાર (ની વાત) આવે છે ને...“મોક્ષમાર્ગ પ્રકાશક' આઠમા અધ્યાયમાં છે કે અરતોએ પણ ઉપદેશ આપીને ઉપકાર કર્યો છે, તો હું ઉપકારનો અધિકાર લખું છું. તો અમે પણ ઉપકાર કરીએ છીએ. એ તો નિમિત્તથી કથન છે. સમજાણું કાંઈ ? અત્યારે તો ઘણું ચાલે છે ને ચૌદ બ્રહ્માંડનો નકશો બનાવીને નીચે લખે છે “પરસ્પરોપ્રદો નીવાનામ”. પરસ્પર ઉપકાર કરે છે. એ ઉપકાર કરે છે, એવી વયાખ્યા નથી. ઉપકારનો અર્થ “નિમિત્તપણે છે” એટલું જ્ઞાન કરાવવા માટે “ઉપગ્રહ' અથવા ‘ઉપકાર’ એમ બે શબ્દ લીધા છે.
અહીંયાં તો પરમાત્મા એમ કહે છે કે જીવનમાં પોતાનાં પરિણામ કહો કે કર્મ કહો કે કાર્ય કહો; પોતાનાં કાર્યથી ઊપજે છે છતાં તેને અજીવની સાથે, રાગની સાથે, કર્મની સાથે, શરીરની સાથે, કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. એ કર્મ-જડનું કાર્ય અને આત્મા “કારણ ' , એમ સિદ્ધ થતું નથી. આ શરીર (હોઠ) ચાલે છે, એવી ભાષા નીકળે છે; તો એ ભાષાનું નીકળવું કાર્ય અને આત્મા “કર્તા' , એવું ક્યારેય સિદ્ધ થતું નથી. (અર્થાત્ ) તેને (જીવન) અજીવની સાથે કાર્યકારણભાવ (સિદ્ધ થતો નથી).
એ તો કાલે કહ્યું હતું ને..કે આત્મામાં “અકાર્યકારણ” નામનો ગુણ છે. પર “કર્તા ” અને આત્માની પર્યાય ‘કાર્ય ' , એમ તો થતું નથી. રાગ 'કર્તા' અને નિર્મળ પર્યાય “કાર્ય' , એમ પણ થતું નથી. ઝીણી વાત છે! વ્યવહારરત્નત્રય “કર્તા' અને સમ્યગ્દર્શન-નિર્મળ પર્યાય “કાર્ય' , એવું કર્તા-કર્મપણું નથી. બહુ તો આત્મા “કર્તા અને નિર્મળ પર્યાય “કાર્ય' , –એમ (કર્તા-કર્મના) બે ભેદ ઉપચારથી પડે છે. પણ વ્યવહાર-રાગ (માં) (તો પરમાર્થે ઉપચાર પણ લાગુ પડતો નથી ).
(કેટલાંક) લખાણ આવે છે: વ્યવહાર કરો. વ્યવહાર કરો કરતાં કરતાં પછી છોડી ધો ! (શ્રોતા ) પહેલાં તો કરવું પડે ને? (ઉત્તર) પહેલાં અને પછી, કરે કોણ...?
(અહીં કહે છે કે:) પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થવાવાળો પ્રભુ (પોતે છે). અને બીજાનાં પરિણામથી ઉત્પન્ન થવાવાળું એ (અન્ય) દ્રવ્ય છે. (કેમ કે, બીજું) દ્રવ્ય, પરિણામ વિનાનું નથી. અથવા પરદ્રવ્ય પોતાનાં કાર્ય વિનાનું નથી. તો એ કાર્ય તો તેનું છે. (જો) આત્મા પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે તો (તો) બીજાં દ્રવ્ય કાર્ય વિનાનું થઈ ગયું. અર્થાત્ (તે) દ્રવ્ય, પર્યાય વિનાનું થઈ ગયું! (પણ) પર્યાય વિનાનું દ્રવ્ય કદી હોતું જ નથી. આવી વાત છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com