________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા – ૩૨૦ : ૨૯૩ માતાના પેટમાં થાય! પ્રભુ! તમે અમારા હૃદયમાં પધરામણી કરી છે, તો) નાથ ! આ શરીરમાં રોગ રહી શકે નહીં. આહા...હા! આ તો કુદરતી બની ગયું.. હોં! એ આમ (સ્તુતિ) કરે અને (એમ) બની જ જાય, એમ નથી. કારણ કે, ભગવાનની પ્રાર્થના કરવી એ તો શુભ રાગ છે, તો શુભ રાગથી રોગ મટી જાય? (- એમ નથી). પણ તે કાળે એ (રોગ) મટવાની પર્યાય થવાની હતી! (મુનિરાજે) પ્રભુને કહ્યું : પ્રભુ ! જ્યાં તમે જન્મો છો ત્યાં સોનાના ગઢ અને રતનના કાંગરા..નાથ ! એ ગામની આવી શોભા !! પ્રભુ ! હું તમને ધ્યાનમાં લઉ છું, તો તમે આ (કોઢવાળા) શરીરમાં (પધારશો) અને આ રોગ રહેશે? - આવું બોલ્યા નહીં. પણ અમારો પ્રભુ અહીં રહ્યો! અમારી ચીજ કેવી ? શરીર તો અમારી ચીજ જ નથી. તો (તે) કેવી થઈ જશે? – એમ પ્રાર્થના કરતાં કરતાં વેદનનું સ્મરણ આવ્યું. પ્રભુ! અમે તો વર્તમાનમાં થોડા આનંદનું વેદન કરીએ છીએ. (અને) પ્રભુ ! આપને તો પૂર્ણ આનંદનું વેદન (છે). પણ મારા પૂર્વના ભવનાં દુઃખ સ્મૃતિમાં આવે છે, તો
ધના ઘા વાગે છે, પ્રભુ ! એ દુ:ખના સ્મરણથી ( જ એટલું ), તો દુ:ખ કેટલું ? એનો એમને ખ્યાલ આવ્યો. (પણ) અહીં તો હજી કેટલું દુઃખ...એનો ખ્યાલ-ખબર પણ નથી. નરકમાં અને નિગોદમાં કેટલું દુઃખ છે ? એ કોઈ દી વિચારમાં ય લાવ્યો નથી. ખ્યાલમાં ય નથી! આ તો (મુનિરાજને) ખ્યાલમાં આવ્યું છે કે – નરકમાં આવું દુ:ખ !! જેવી સ્થિતિ છે તેવી ખ્યાલમાં આવી છે. આહા..હા ! તો કહ્યું કે : પ્રભુ આપનો જન્મ ક્યાં થાય છે, પેટમાં આવો ત્યાં આમ હોય ! પ્રભુ ! આપ જ્યાં પધારો ત્યાં આમ થાય ! તો અમે તમને ધ્યાનમાં લઈ લીધા. તમને અહીં પધરાવી દીધા...તમે અમારામાં આવી ગયા અને પ્રભુ! આ શરીરમાં શું (કોઢ) રહેશે? તો ફટાક કોઢ મટી ગયો. પણ રાજાએ “કોઢ છે” કહ્યું હતું તે ખોટું છે, એમ ન ઠરે, એટલા માટે જરા (કોઢનો ડાઘ રહ્યો) કે “વાત તો સાચી હતી , પણ શ્રાવકે ભક્તિના પ્રેમથી (તેમ ) કહ્યું હતું તો એવું ફળ આવી ગયું.
જિજ્ઞાસા : ભક્તિથી કોઢ મટી ગયો?
સમાધાનઃ એમ તો લાખ ભક્તિ કરે તો ય કોઢ ન મટે! એની મટવાની યોગ્યતા હતી. સમજાય છે કાંઈ ?
સીતાજીની અગ્નિપરીક્ષા કરી ને ? રામચંદ્રજી કહે કે : સીતા! તમે રાવણ પાસે ગયાં હતાં, એટલે લોકમાં વિરોધ થઈ ગયો છે. અને રાજ્યમાં રાખી શકીએ નહીં. પરીક્ષા કરાવો. – સળગતા અગ્નિમાં પ્રવેશ કરો ! પછી તમને ઘેર લઈ જઈશ. અમારે રાજ્ય કરવું છે અને અમારે એની વ્યવસ્થા (કરવાની છે). પ્રજાને હજી રાગનો ભાવ છે એ અપેક્ષાએ કહું છું. (જો) ભાવ ન હોય, તો અમારે કંઈ નથી, આહાહા! સીતાજીએ અગ્નિની પરીક્ષા આપી. સીતાજી “ “મો રિહંતાઈ..નમો સિદ્ધા..'' કરીને અગ્નિમાં પ્રવેશ્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com