________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૮૩ જિજ્ઞાસાઃ કર્મશાસ્ત્રમાં શું એનાથી વિરુદ્ધ લખ્યું છે?
સમાધાનઃ ક્યાંય ( વિરુદ્ધ ) લખ્યું જ નથી. એ તો પહેલાં “પ્રવચનસાર” માં બતાવ્યું ને...! મેં ટીકા કરી જ નથી. (કહે છે કે, અમે ક્યાં અમારી પર્યાયને છોડીને, પરમાં જઈને પરને કરીએ?
આહા. હા! આકરી વાત! બાપુ! જગતથી મેળ ખાવો (શક્ય નથી). જન્મ મરણથી રહિત થવાની રીત કોઈ અલૌકિક છે! બહારથી રાજી થઈ જાય, ખુશી થઈ જાય અને બીજાના જનરંજન (માટે) અનુકૂળ એવી વાત કરે, કે લોકોનું રંજન થઈ જાય. (પણ) પ્રભુ! (–એમ જો) તું એમને જનરંજનની અનુકૂળ વાત કરીશ (તો) એ તો તારી ભ્રમણા છે! એમ
અષ્ટપાહુડ' માં કુંદકુંદ આચાર્ય કહ્યું છે. અને તારણસ્વામીએ પણ (બીજ) કહ્યું છે. આખી દુનિયા ખુશી થાય કે ભાઈ ! એકબીજાની મદદ કરો ! ત્યાં એ ગરીબ-ઓશિયાળા માણસે કહ્યું: મહારાજે ઘણું સારું કહ્યું-અમને મદદ કરવાનું કહ્યું. અમે ગરીબ માણસ છીએ. શેઠિયાને અમારી મદદ કરવાનું કહ્યું. તો (એમ) રાજી થઈ જાય !
અમારા ઉપર ઘણા ખાનગી કાગળ આવે છે. હવે અમે નિવૃત્ત થઈ ગયા છીએ, તો ત્યાં (સોનગઢમાં) અમને રાખો. એક દિગંબર સાધુના પણ લખાણ આવે છે. તમારી વાત સાંભળીને અમને એમ થયું કે અમે સાધુ નથી. અમે મુનિ નથી. અમે તો સમકિત વિનાનો ભેખ લઈ લીધો છે. હવે અમારે ત્યાં આવવાનો ભાવ છે. તમે એટલું લખો કે. આવો ! (પણ) અમે તો એટલું પણ કોઈ દી લખતા નથી. આવો કે ન આવો. એક સ્થાનકવાસીના સાધુ આવ્યા હતા. કહ્યું કે મને અહીં રાખો! પણ અહીં રાખે કોણ? બોલાવે કોણ ? એ પ્રવૃત્તિની પળોજણમાં પડે કોણ? અમારે ક્યાં રાખવા? એમાં હું શું પ્રવૃત્તિ કરું? એને આહાર-પાણી કોણ દે? મકાન કોણ દે? અહીં કોણ કરે, બાપુ? અહીં કોઈ કરે નહીં. (શ્રોતાઃ) આપ વ્યવસ્થા કરતા નથી ? (ઉત્તર) કોઈ કરતા નથી. અહીં કોણ કરે? બાપા! આ તો ઉપદેશનો વિકલ્પ આવે છે, અને વાણી નીકળે છે તે આવે છે. બાકી ઉપાધિ કોણ કરે ?
જુઓઃ અહીંયાં શું કહ્યું? “સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ”—બધાં દ્રવ્ય લીધાં. જીવ, અજીવ-પરમાણુ, ધર્માસ્તિકાય આદિ કોઈ પણ તત્ત્વ (-દ્રવ્ય) “ઉત્પાઘ” અર્થાત્ ઉત્પન્ન થવા લાયક, અને (અન્ય દ્રવ્ય) “ઉત્પાદક” અર્થાત્ ઉત્પાદ કરવાવાળો-એમ નથી. સર્વ દ્રવ્યોમાં ઉત્પાદ્ધ (એક) અને “ઉત્પાદક' (બીજો) –એમ છે જ નહીં. ઉત્પાઘ પણ તે અને ઉત્પાદક પણ તે. ખરેખર તો એની (કોઈ પણ દ્રવ્યની) પર્યાય (જે) ઉત્પન્ન થાય છે એનું કારણ પણ તે અને કાર્ય પણ તે. (અર્થાત ) પર્યાય “કારણ ” અને પર્યાય “કાર્ય” –એમ છે પ્રભુ! આહા... હા.... હા! એમાં નિમિત્ત ઉત્પાધનું ઉત્પાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com