________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨: પ્રવચન નવનીત ભાગ-૧
પ્રવચનસાર” માં ૪૭ નયનો અધિકાર લીધો છે, ત્યાં જ્ઞાન (–પ્રમાણજ્ઞાનથી) બતાવવા માટે જરી લીધું છે કેઃ ધર્મી જીવ ગણધર છે; એને જે શાસ્ત્ર રચવાનો જરી વિકલ્પ આવ્યો, તે એનું પરિણમન છે. તેથી (તેને) એનો (વિકલ્પનો) કર્તા કહેવામાં આવે છે. પરિણમનની અપેક્ષાએ “કર્તા” કહેવામાં આવે છે. કરવા લાયક છે, માટે “કર્તા” એમ નથી. આહા.. હા! સમજાય છે કાંઈ ? “પ્રવચનસાર' માં એમ લીધું: કર્તા નય છે. ભોકતા નય છે. અહીંયાં એ ન લેવું. અહીં આ દ્રવ્યદૃષ્ટિનો વિષય છે. શક્તિનું વર્ણન છે.
જિજ્ઞાસાઃ “સમયસાર' માનવું કે “પ્રવચનસાર'?
સમાધાન: બને (માનવા), જ્ઞાનની પ્રધાનતાથી, જાણવા લાયક તે ચીજ છે; એમ જ માનવું. (અને) દષ્ટિની અપેક્ષાએ, પોતાના પરિણામ નિર્મળ જ થાય છે; એમ માનવું.
(“સમયસાર' પરિશિષ્ટમાં શક્તિના વર્ણન પહેલાં) એક પ્રશ્ન છેઃ “જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?” [ પણ અહીં “કમ' માં નિર્મળ લેવાં. આ “ક્રમ” માં મલિન ન લેવું.) ઉત્તર: “પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (આત્માને જ્ઞાનમાત્રપણું છે)”. એ અનંત શક્તિમાં “ક્રમ” ને તો નિર્મળ લીધું છે.
બીજાં જે “પંચાસ્તિકાય” માં, ૬ર-ગાથામાં લીધું, ત્યાં તો વિકારની પર્યાય પણ સ્વતંત્ર પકારકથી પરિણમે છે; એમ લીધું છે. ત્યાં (પ્રવચનસાર” માં) તો શેય અધિકાર છે, તેથી શેયને બતાવે છે.
અહીં (૪૭ શક્તિ) તો દષ્ટિપ્રધાન શક્તિનું વર્ણન છે. બધી શક્તિ પવિત્ર છે. અને પવિત્ર (શક્તિ) ને ધરનારો પ્રભુ, પવિત્ર દ્રવ્ય છે. તો પવિત્રમાંથી મમાં અપવિત્રતા આવે એ વાત નથી. અપવિત્રતા આવે છે, પણ એ અપવિત્રતાનું અહીં જ્ઞાન કરે છે. એ જ્ઞાનની પર્યાય, એ પોતાની છે. આહા.... હા... હા! સમજાય છે કાંઈ ?
કાલે કહ્યું હતું ને...આત્મામાં એક ભાવ નામનો ગુણ છે. ૩૩મી “ભાવશક્તિ ' છે: “ વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપે ભાવશક્તિ. [ અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ”.) એ ભાવશક્તિના કારણે પર્યાય નિર્મળ થાય જ છે. અહીં નિર્મળની વાત છે, “હું કરું? તો પર્યાય થાય, એવો વિકલ્પ પણ ત્યાં નથી. આહા.... હા! જ્યાં દ્રવ્ય ઉપર દષ્ટિની પર્યાય ઝૂકી, ત્યાં દ્રવ્યમાં જે ભાવ નામનો ગુણ છે, તે કારણે અનંત ગુણની પર્યાય, નિર્મળ જ પ્રગટ થાય છે. એ “ભાવ ( ગુણ )' અહીં લીધો. અને એક “ભાવશક્તિ” ૩૦મી છે. જાઓ! [“કર્તા, કર્મ આદિ] કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી [ –હોવામાત્રમયી, થવામાત્રમયી] ભાવશક્તિ. આહા... હા! બે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com