________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમસાર ગાથા-૩૨૦: ૨૨૩
(રાગાદિનું ) કર્તા-ભોકતા નથી. એમને વાણી ( ધ્વનિ ) ખરે છે વાણીના કર્તા-ભોકતા એ નથી. એમ કહે છે.
ભગવાનની વાણી ૐ” નીકળે છે અત્યારે મહાવિદેહમાં ૐ” એવો અવાજ નીકળે છે. આવી (છદ્મસ્થ જેવી અક્ષરાત્મક) ભાષા તીર્થંકરને હોતી નથી; કેમકે (તે) વીતરાગ થઈ ગયા છે. અને સર્વજ્ઞ થઈ ગયા (તેથી) વાણી એકાક્ષર-ૐૐ ધ્વનિ-નીકળે છે “ૐ ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ”.
એ અહીં કહે છે કે “ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકા૨ક તેમ જ અવેઠક પણ છે”. આહા.. હા ! કેટલા પ્રકાર લીધાઃ દષ્ટિની અપેક્ષાએ દ્રવ્યસ્વભાવ છે એ પણ રાગનો કર્તાભોકતા નથી. દૃષ્ટિ અપેક્ષાએ શુદ્ધજ્ઞાનપરિણિત પોતે ઉપાદાનરૂપે (રાગનો) કર્તા-ભોકતા નથી. હવે શુદ્ધ જ્ઞાન-ક્ષાયિકજ્ઞાન કેવળજ્ઞાની ૫રમાત્મા એ વાણી (દિવ્ય-ધ્વનિ) ના અને શરીર ચાલે (યોગકંપન ) છે એના પણ કર્તા-ભોકતા ભગવાન નથી. ભગવાનને રાગ-દ્વેષ તો છે જ નહીં તેથી રાગ-દ્વેષના કર્તા-ભોકતા નથી.
આહા... હા! લોકોએ આવું (વસ્તુસ્વરૂપ) સાંભળ્યું નહીં અને પૈસામાં ઘૂસી (એકમેક થઈ ) ગયા છે અંદર. એ તો મરી ગયા. (પૈસા ) તો જડ-માટી છે, એ ક્યાં આત્માના છે? ‘એને હું પેદા કરું છું ને હું વાપરું છું' એમ જડનો સ્વામી થાય છે; એ મિથ્યાદષ્ટિ છે; જૈન નથી.
જિજ્ઞાસાઃ- ભલે મિથ્યાદષ્ટિ હો પણ પૈસાવાળો તો છે ને?
સમાધાનઃ - પૈસાવાળો છે જ નહીં. એ તો એક વાર નહોતું કહ્યું...! જો એક વાળો૧ પગમાં નીકળે તો રાડ નાખે! તો તને કેટલા · વાળા' છે? બાયડીવાળો... પૈસા વાળો... આબરૂવાળો... ધૂળવાળો... મકાનવાળો, ( એવા ) કેટલા ‘વાળા ’ વળગ્યા (છે) તને ? – એ પાગલપણું છે!
,
ભગવાન! વીતરાગનો માર્ગ ‘આ’ છે. ‘૫રમાત્મપ્રકાશ ’ માં દુનિયાને પાગલ કહી છે. જ્ઞાની ધર્માત્મા તત્ત્વની સત્ય વાત જ્યારે કહેતા હોય, ત્યારે પાગલ લોકોને ધર્મ પાગલ જેવા લાગે છે. આ શું કહે છે! આખો દી કરીએ છીએ, છતાં કરતો નથી, એમ કહે છે! દુકાન ૫૨ બેસીને વેપાર કરે છે ને... આ કરે છે ને આ કરે છે.. ખાવાપીવાનું કરે છે, પાણી પીવે છે, આ કરે છે! – ધૂળેય નથી કરતો, સાંભળ તો ખરો! કરે છે... કરે છે એવી માન્યતાવાળાને જ્યારે ધર્મી જીવ વીતરાગની સત્ય વાત કહે, તો પાગલ જીવને, ધર્મી પાગલ (જેવા) દેખાય. કહે કે આ પાગલ જેવી વાતો છે. અમે આખો દી કરી શકીએ છીએ ને આ જુઓ હાથ હલાવ્યો. ભાષા કરી. રોટલીનો ટુકડો આપણે કરી શકીએ છીએ ! (પણ અહીં કહે છે કે) ધૂળેય નથી કરી શકતો! સાંભળ તો ખરો; એ રોટલીનો
૧. મલિન પાણી પીવાના કારણે પગમાં વાળો નીકળે એવો રોગ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com