________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર૦: ર૬૭ થાય છે, (એ) વિયોગ. એમાં ને એમાં તો તે છે. “પંચાસ્તિકાય' માં છે કે આ જે દ્રવ્ય છે એમાં પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય છે, એ પણ સંયોગ છે. વસ્તુમાં નથી. પર્યાય (ઉત્પાદ થાય ), આ સંયોગ થયો અને પર્યાય વ્યય થાય છે, એ વિયોગ થયો. અર્થાત સંયોગ-વિયોગ, “પર્યાય” માં છે એ પર્યાયમાં છે, એ યથાર્થ છે! પણ પરનો સંયોગ વિયોગ એ યથાર્થ નથી; વ્યવહારથી પણ યથાર્થ નથી. એવો (પરનો સંયોગ-વિયોગ) અભૂતવ્યવહારથી કહયું ને? –એ અસદ્દભૂતનો અર્થ જ “જૂઠો” છે, એ જૂઠું છે! પણ આ (સંયોગ-વિયોગ જે પર્યાયમાં છે તે) જૂઠું નથી ! સમજાણું કાંઈ?
આહા... હા! “નિયમસાર' માં પર્યાયને પરદ્રવ્ય કહ્યું, પરભાવ કહ્યો. નિર્મળપર્યાયને (પણ) પરદ્રવ્ય અને પરભાવ અને હેય કહ્યો. (છતાં) એ પર્યાય છે ખરી. પર્યાયનયનો વિષય, વ્યવહારનયનો વિષય “સત્' છે! સદ્ભૂતવ્યવહારનયનો વિષય છે! જેમ માટીનો ઘડો કુમારે કર્યો' એમ નહીં. (કેમકે, ) એ તો એમ છે જ નહીં. સમજાણું કાંઈ ?
આહા. હા! પ્રભુ! કેટલીય વાર તો એમ કહે છે (ક) અરે પ્રભુ! આપની નય ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળની જેમ નય (છે ) ! કોઈ વખતે કાંઈ કહો.. કોઈ વખત કઈ અપેક્ષાથી.“કળશ” માં (નયને) “ઇન્દ્રજાળ' કહી છે. પણ (જ્યાં) જે અપેક્ષાએ જે કહ્યું તે યથાર્થ છે!
જિજ્ઞાસા: શું ઇન્દ્રજાળ જેવી આ વાત છે?
સમાધાનઃ લાગે. અજ્ઞાનીને લાગે, એમ કહે છે. બાકી છે તો યથાર્થ. ઇન્દ્રજાળ જેવું લાગે. ઘડીકમાં એમ કહે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. અહીં કહ્યું કે, ઘાતકર્મ (આત્માની) પર્યાયને ઘાતે. તો એમઆવ્યું કે, પદ્રવ્ય પરદ્રવ્યનું કર્યું. (પણ) એ (કથન) અસભૂતવ્યવહારનું છે. પણ પોતાની પર્યાયમાં પોતાનાથી જે ઘાત થયો એ “ભાવઘાતી” પોતાનાથી છે; એ સત્ય છે. ઘાત થયો જ નથી, (એમ નથી). ઘાત પોતાનાથી થયો, એ યથાર્થ છે; એ વ્યવહારનયનો વિષય છે. આહા.. હા. હા! કઈ અપેક્ષાએ ક્યાં શું કહ્યું. કયા નયની વાત છે? – એ સમજે નહીં, અને એકાંત તાણે તો તે પણ જૂઠો છે. બાકી તો દ્રવ્ય' છે, એ નિશ્ચય છે અને “પર્યાય” માત્રકેવળજ્ઞાન, ક્ષાયિકભાવ-પર્યાય પણ-વ્યવહાર છે. પણ એ “વ્યવહાર' વિષય છે! એ અસદ્દભૂતવ્યવહારની જેમ (નથી). સમજાણું કાંઈ? [ (શ્રોતા:) ઘણું સારું સ્પષ્ટીકરણ કર્યું.] પત્ર આવ્યો છે ખાનગી. એમ કે: વ્યવહાર નદ્દન જૂઠો (કહેવો) એકાંત છે, અમને વાત બેસી નથી” – શું છે? ભાઈ ! “વ્યવહાર જૂઠો છે” એ તો “પરનું પરથી થવું' એ જૂઠો નય છે. (અર્થાત્ ) “ઘડો કુંભારથી થયો’ એ જૂઠું છે. પણ “ઘડો માટીથી થયો એ જૂઠું નથી. પર્યાય તો છે. વ્યવહાર તો છે. પર્યાય માત્રને વ્યવહનાર કહે છે. –' પંચાધ્યાયી'. પર્યાય માત્ર-ક્ષયિક ભાવ, અરે ! સિદ્ધપર્યાય પણ- વ્યવહાર છે. દ્રવ્યમાં બે ભાગ પાડવા-એક સંસારી પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com