________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ ૧૨૫ વીતરાગસ્વભાવી આત્મા છે, ત્રિકાળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, શુદ્ધ છે, પરમ પારિણામિક તત્ત્વ-ભાવવાળું ‘નિજ દ્રવ્ય છે! એ નિજદ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી–નિજદ્રવ્ય, વીતરાગસ્વરૂપ છે; એના ઉપર દષ્ટિ કરવાથી-પર્યાયમાં “વીતરાગતા' ઉત્પન્ન થાય છે.
એમ કહીને ઘણું કાઢી નાખ્યું. : નિમિત્તથી વીતરાગતા હોય, વ્યવહારરત્નત્રયથી નિશ્ચય હોય, એ વાત કાઢી નાખી. વ્યવહારરત્નત્રય, દયા-દાન-પૂજા-ભક્તિનાં (જે) પરિણામ, એનાથી સમ્યગ્દર્શન થાય છે, એ વાત કાઢી નાખી. અને એ (ભાવ) કરવાવાળો (એને) આવું-પાછું કરે છે, એ વાત પણ કાઢી નાખી.
છતાં, શાસ્ત્રમાં એવો પાઠ આવે છે કે આ જીવે થોડા-અચિરકાળમાં કેવળજ્ઞાન લીધું; વિરમ’ –વિશેષ નહીં, અલ્પકાળમાં લીધું. પણ એનો અર્થ શું? કેઃ જેની દષ્ટિ દ્રવ્ય-જ્ઞાયક ઉપર પડી છે (અર્થાત્ ) જેને જિનસ્વરૂપની દષ્ટિ-અનુભવ થયો, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો કાળ જ અલ્પ છે. ક્રમસર તો આવશે. સમજાણું કાંઈ ?
“પખંડાગમ' માં તો એવો એક લેખ છે કે જ્યારે મતિ અને શ્રુતજ્ઞાનમાં જે સર્વજ્ઞસ્વરૂપી પ્રભુનો જ્યાં અનુભવ થયો, અને મતિશ્રુતજ્ઞાન સમ્યજ્ઞાન થયું; તો (ત્યાં) મતિજ્ઞાન” કેવળજ્ઞાનનો બોલાવે છે! આહા.... હા. હા.. હા! શું કહે છે? કે એ જે મતિજ્ઞાન- “જે સમયે જે પર્યાય થાય છે' એવો નિર્ણય કરવા જાય છે; તો વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ જાય છે; અને એ વીતરાગભાવ ઊપજે છે. ઝીણી વાત છે, ભાઈ !
કોઈ એમ કહે છે કેઃ ચોથો ગુણસ્થાનમાં તો સમકિત સરાગ જ થાય છે, વીતરાગ સમકિત હોતું નથી. –એમ કહેવું તે જૂઠું છે. કેમકે “ક્રમબદ્ધ ' માં તાત્પર્ય વીતરાગતા છે અને “વીતરાગતા” વીતરાગસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે થાય છે. ચોથું ગુણસ્થાન છે, એ સમકિત “વીતરાગી પર્યાય છે. એ તો રાગની અપેક્ષાથી કોઈ સ્થળે સરાગ સમતિ કહ્યું છે. સમકિત” સરાગ નથી. હા ( સંપૂર્ણપણે ) રાગનો અભાવ કર્યો નથી, વીતરાગ થયો નથી એ અપેક્ષાએ, સમકિતીને સરાગ સમકિતી કહ્યો. સમજાણું?
ઉમાસ્વામી (કૃત) તત્ત્વાર્થસુત્ર” માં બે પાઠ આવે છે કેઃ જ્યારે સ્વર્ગનું આયુષ્ય બંધાય છે, તો સરાગ સંયમથી બંધાય છે. અને શતાવેદની ય બંધાય છે તે પણ સરાગ સંયમથી બંધાય છે. તો (ત્યાં) સરાગ સંયમ કહેવામાં આવ્યું છે. પણ એ “સંયમ' સરાગ નથી. સંયમ તો અંતર વીતરાગી પર્યાય, તે જ સંયમ છે. પણ સાથે આયુષ્ય બંધાવાનું કારણ રાગ હતો, તો રાગને કારણે સરાગ સંયમ કહી દીધું. સંયમ રાગ છે- એવો સંયમ નથી.
એમ સમકિતમાં સરાગી સમકિત પણ કહ્યું છે; એ તો રાગનો દોષ નીકળ્યો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com