________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪: પ્રવચન નવનીત ભાગ-૧ ઠરી જવું, જેમ પાણીમાં મેલ નીચે ઠરી જાય છે તેમ વિકારનું દબાઈ જવું અને શાંતિની ઉત્પતિ થવી. સમ્યગ્દર્શન શાંતિ છે. એ શાંતિનું ઉત્પન્ન થવું એ ઉપશમ ભાવ છે; (રાગવિકાર) દબાઈ ગયો છે. - એ ઉપશમ ભાવને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. ક્ષાયોપથમિક કેટલીક પ્રકૃતિનો ઉદય પણ છે અને કેટલીકનો ક્ષય પણ છે. ઉપશમ અર્થાત સત્તામાં રહેલી પ્રકૃતિ, એને ઉપશમ કહે છે. ઉદયમાં રહેલી (પ્રકૃતિની) વાત (જે) છે. તેને અહીં ન લેવી. ક્ષય+ઉપશમ (અર્થાત ) કેટલીક પ્રવૃતિઓનો આત્મા અવલંબનથી ક્ષય કર્યો છે અને કેટલીક પ્રકૃતિ દબાઈ ગઈ છે, અનુદયરૂપે છે, એને અહીં ક્ષયોપશમ કહે છે. એ ક્ષાયોપથમિક ભાવરૂપ પર્યાય મોક્ષનું કારણ છે. અને ક્ષાયિક ભાવ: રાગનો નાશ થઈ જવો, કેવળજ્ઞાન પ્રગટ થવું, ક્ષાયિક સમકિત પ્રગટ થવું; ક્ષાયિક કેવળજ્ઞાન પ્રગટ થવું એ (બધું ) ક્ષાયિક. અહીં તો મોક્ષમાર્ગ લેવો છે. કેવળજ્ઞાન થવા પહેલાં જે ક્ષાયિક ભાવ હોય છે (તે લેવો છે). તથા ઉદય: રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ એ ઉદય ભાવ છે. અશુભ ભાવ પણ ઉદય છે અને શુભ ભાવ પણ વિકાર (છે), ઉદય છે. –એ ચારે ભાવ પર્યાયરૂપ છે. એ ચારે ભાવ આત્માની અવસ્થા-પર્યાય-દશારૂપ છે; આત્મદ્રવ્ય રૂપ નથી.
આહા... હા ! વાણિયાને ધંધા આડે નવરાશ-ફુરસદ ક્યાં ? હમણાં એક (વિદેશી) ઇતિહાસત્તનો એક લેખ આવ્યો છે. પિતા-પુત્ર ઇતિહાસના ઘણા જાણવાવાળા છે. પિતાની ઉંમર ૬૭ વર્ષની છે. લખ્યું છે કે જૈનદર્શનનો સાર અનુભૂતિ (છે). જૈનદર્શન તો અનુભૂતિ (સ્વરૂપ) ભાવ છે. આત્માની અનુભૂતિ કરવી એ જૈનદર્શન છે. રાગ કરવો એ જૈનદર્શન નથી. પાછળ થોડું (એમ) લખ્યું છે, અરે ! એવો જૈનધર્મ વાણિયાના હાથમાં આવ્યો અને વાણિયા વેપારાદિમાંથી નવરા નથી થતા. એણે તો ઘણું વાંચ્યું; અન્યનું (તેમ જ) જૈનધર્મનું. ઘણું વાંચન કર્યું છે કે જૈનધર્મ શું? કે: રાગથી ભિન્ન આત્માની અનુભૂતિ કરવી, વીતરાગી પર્યાયનું વેદન કરવું, વીતરાગી પર્યાયને ઉત્પન્ન કરવી-એ જૈનધર્મ. પણ એ જૈનધર્મ વાણિયાને મળ્યો ! વાણિયા વેપારથી નવરા નથી. વાણિયા શબ્દ એકલા વાણિયા નહીં પણ જે વેપાર કરે (તે). અત્યારે જૈનમાં તો ભાવસાર પણ છે, ક્ષત્રિય પણ છે, એ (પણ) વેપારમાં ઘૂસી ગયા (તેથી) એને નિર્ણય કરવાનો વખત નથી. આહા.. હા ! એવું લખ્યું છે.
(અહીંયાં કહે છે કે:) (ઉદય આદિ) ચાર ભાવ પર્યાયરૂપ છે; આત્મા દ્રવ્ય-વસ્તુ છે. એમાં એ (પર્યાય) નથી. આહા.. હા! પર્યાયમાં દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ જે ઉદય ભાવ. એ વિકારરૂપી પર્યાય છે. ઉપશમ, ક્ષાયોપશમ, ક્ષાયિક એ નિર્વિકારી-નિર્દોષ વીતરાગી પર્યાય છે. -એ ચાર ભાવ પર્યાયરૂપ છે. અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ
અહીં ત્રિકાળી શુદ્ધ પરમ પારિણામિકશબ્દ ન લેતાં “શુદ્ધ પારિણામિક' શબ્દ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com