Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 325
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૩૧૩ ક્ષયોપશમ-ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. એને મોક્ષનો માર્ગ કહો કે દ્રવ્યની ભાવના કહો. એ ભાવના' પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ત્રણ ભાવસ્વરૂપે છે. (અને) ભગવાન (આત્મા), ત્રિકાળી પરમ સ્વભાવભાવરૂપ છે. અરે..! આવી વાતો છે!! શું થાય, બાપુ? અનંત કાળથી (સમકિત વિના આથડ્યો)! આહા... હા! “છવું ઢાળા” માં આવે છે ને...! મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપાયો”. – (અનંતવાર) મુનિવ્રત ધારણ કર્યા! એવી ક્રિયા તો અત્યારે (અહીં) છે જ નહીં. મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગીને અંતરના આનંદનો સ્વાદ નથી. અંતરનું ભાન નથી. અનુભવ નથી. અને એ વિના, ક્રિયાકાંડ-પંચમહાવ્રતાદિ એટલા કર્યા. એટલાં કર્યા કે ચામડી ઉતરડીને (જો) ખાર છાંટે તો ક્રોધ ન કરે.. એટલી ક્ષમા! છતાં, દષ્ટિ મિથ્યા છે! કારણકે પંચમહાવ્રતની ક્રિયાને પોતાનો ધર્મ માને છે. આહા.. હા! આવી વાતું છે!! (અહીં કહે છેઃ ) (મોક્ષકારણભૂત) જે ભાવના તે-રૂપ જે પથમિક આદિ ત્રણ ભાવ (છે). પહેલાં કહ્યું હતું ને કેઃ ચાર ભાવ પર્યાયરૂપ છે. અને ત્રિકાળ (શુદ્ધપરિણામિકભાવ) દ્રવ્યરૂપ છે. તો એ (ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિક) ચાર ભાવમાંથી ક્યા ભાવથી “મોક્ષમાર્ગ ' છે ? એ પહેલાં આવ્યું છે. ઉદય (-ઔદયિક) ભાવ એટલે રાગાદિ: દયા, દાન, વિકલ્પ (વગેરે). અને ઉપશમ (ઔપથમિક), ક્ષયોપશમ (_ક્ષાયોપથમિક), ક્ષાયિક (ભાવ) –એ ચાર તો “પર્યાય છે. અને વસ્તુ (-શુદ્ધપારિણામિકભાવ) દ્રવ્ય છે. એ દ્રવ્ય અને પર્યાયનું જોડકું થઈને, પ્રમાણ (જ્ઞાન) નો વિષય-પદાર્થ “આત્મા” છે. તો “એ (મોક્ષમાર્ગ-) પર્યાય જે છે” એ ક્યો ભાવ છે? તે બતાવે છે કે એ જે પર્યાય છે તે પથમિક આદિ ત્રણ ભાવ (રૂપ) છે. આહા... હા! વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા ! એનું અવલંબન લઈને જે પર્યાય-દશા ઉત્પન્ન થઈ, તે ત્રણ ભાવ સ્વરૂપ છે. એને “ભાવના' કહો કે “મોક્ષમાર્ગ” કહો. એ ત્રણ ભાવઃ ઉપશમસ્વરૂપ, ક્ષયોપશમસ્વરૂપ, ક્ષાયિકસ્વરૂપ છે. જે ચાર પર્યાય કહી હતી તેમાં (જે) ઉદય (–ઔદયિક) છે તે મોક્ષનું કારણ નથી. બંધનું કારણ છે. ભલે ને દયા, દાન, વ્રત, ભક્તિ કરી કરીને મરી જાય! એ બધો કલેશ છે. (સમયસાર”) નિર્જરા અધિકારમાં આવે છે: (મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા (–તૂટી મરતા થકા) “કલેશ પામે તો પામો; પણ...” (તેઓ આત્મા પ્રાપ્ત કરી શકતા જ નથી). આહા.. હા ! આવી વાતો છે !! અહીં પથમિક આદિ આદિ ત્રણ ભાવ (કહ્યા) (એમાં) સમજ્યા? પહેલાં કહ્યું છે: ઉપશમમાં રાગનો અનુદય થઈ ગયો. જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય છે તેમ મિથ્યાત્વ રાગાદિ દબાઈ જાય છે, અને ઉપશમભાવ થાય છે, એનું નામ દબાઈ જાય છે; નાશ થતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357