________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
રહિત છે. “ માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” આહા.. હા.. હા ! ધ્રુવ જે ધ્યેય; જેમાં પર્યાયની સક્રિયતાનો અભાવ (છે). એવો નિષ્ક્રિયસ્વરૂપ ભગવાનઆત્મા એકરૂપ (છે). જેમાં પલટવું નથી. બદલવું નથી. જન્મ નથી. જરા નથી. મ૨ણ નથી. અરે! જેમાં મોક્ષના માર્ગની પર્યાય (પણ ) નથી. –એવો નિષ્ક્રિય પ્રભુ; એ સમ્યગ્દર્શનનો વિષય છે! “માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” આહા... હા! સૂક્ષ્મ વિષય છે, ભગવાન !
જેને સમ્યગ્દર્શન, પર્યાયમાં, પ્રગટ કરવું હોય તો એણે પર્યાયથી લક્ષ છોડીને, દયા-દાનવ્રતના વિકલ્પનું પણ લક્ષ છોડીને, નિમિત્તનું અને સંયોગનું લક્ષ છોડીને, નિષ્ક્રિય જે ત્રિકાળી ધ્યેય છે એની દષ્ટિ કરવી!
આહા... હા ! વાત ઝીણી છે, પ્રભુ! આ (વસ્તુસ્વરૂપ ) તો વીતરાગ, સર્વજ્ઞ, ત્રિલોકનાથ ૫૨માત્માની દિવ્ય ધ્વનિમાં આવ્યું કેઃ પ્રભુ! તું ‘ધ્યેય’ છે. તારી દષ્ટિમાં ‘તું’ ધ્યેય છે. ‘તું’ દૃષ્ટિમાં આવતો નથી. (કેમકે) દષ્ટિ તો સક્મિ પરિણતિ છે. સમ્યગ્દર્શન, એ સક્રિયપરિણતિ છે. એમાં તે ચીજ ( નિષ્ક્રિયસ્વરૂપ નથી. અને એ ચીજમાં (નિષ્ક્રિયસ્વરૂપમાં ) તે (– સક્રિયપરિણતિ ) નથી! આહા... હા ! આવી વાતો !!
એ શુદ્ધપારિણામિક-ત્રિકાળ ભાવ-ધ્યેય છે. મોક્ષ સાધ્ય છે; સમ્યગ્દર્શનાદિ સાધક છે; પણ સમ્યગ્દર્શન-સાધકનું ધ્યેય ‘દ્રવ્ય' છે! આહા.. હા.. હા! સમજાણું કાંઈ? ‘સાધક' છે મોક્ષનો માર્ગ; એનું ‘સાધ્ય ' મોક્ષ. પણ મોક્ષના માર્ગનું-સાધકનું ‘ ધ્યેય ' દ્રવ્ય; એ દ્રવ્ય ‘નિષ્ક્રિય ’ છે. કારણકે, (એ દ્રવ્ય ) ધ્યાનરૂપ નથી, એ ધ્યેયરૂપ છે!
.
· એ (દ્રવ્ય ) ધ્યાનરૂપ નથી ’ શા માટે ? કેઃ “ ધ્યાન તો વિનશ્વર છે.” આહા.. હા.. હા.. હા! શ૨ી૨, વાણી, મન-નાશવાન; એની વાત તો ક્યાંય ચાલી ગઈ. દયા-દાનનો રાગનાશવાન; એ વાત તો ક્યાંય ચાલી ગઈ. પણ ભગવાન આત્મા પૂર્ણ પરમાત્મસ્વરૂપ; એને (જે) ધ્યાને ધ્યેય બનાવ્યો, તે ‘ધ્યાન’ વિનશ્વર છે! વિનશ્વરનો અર્થ, (કે) એ (ધ્યાન- ) દશા પલટાઈ જાય છે. પરંતુ એનો (જે) ‘વિષય ’ ‘ધ્યેયરૂપ છે. તે તો પલટતો નથી, (તે તો ) એકરૂપ ત્રિકાળ છે. (તેથી ) “ધ્યાન વિનશ્વર છે. અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે. ” સમજાણું કાંઈ ? ( હવે કહે છે કેઃ– )
"
શ્રી યોગીન્દ્રદેવે પણ , પરમાત્મપ્રકાશ ની ગાથા-૬૮માં ( એમ કહ્યું છે. ( એ ) યોગીન્દ્રદેવ દિગંબર સંત-મુનિ, અતીન્દ્રિય આનંદના રસીલા, સ્વસંવેદનને અનુભવનારા! જેને અતીન્દ્રિય આનંદનો રસ ચઢયો છે. અતીન્દ્રિય આનંદના રસીલા-વિલાસી છે. -એ મુનિ, પરમાત્મપ્રકાશ ' માં કહે છે કેઃ “નવિ ઉપખંડ્ ન વિ મારૂ બંધુ ળ મોવુ રેડ્ા નિષ परमत्थे जोइया जिणवर एउ भणेइ ।। આહા... હા! યોગીન્દ્રદેવ કહે છે કે-આ તો જિનવર એમ કહે છે, પ્રભુ! હું કહું છું, એમ નથી. ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ
''
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ܙ
(