________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૩૧ આવું ક્યારે નવરાશ (લઈને વિચારે) ? ધંધા આડે આખો દી (આ માટે નવરાશ લેતો નથી). (એક વિદેશી) ઈતિહાસકારે કહ્યું ને કેઃ “અનુભૂતિ એ જૈનધર્મ છે.” પણ વાણિયાવેપારીને આ જૈનધર્મ મળ્યો! (પણ એને) વેપાર-ધંધા આડ-પાપ આડ નવરાશ નથી. (જૈનધર્મ) વાણિયાના હાથમાં પડી ગયો! એવું લખ્યું છે. (આ) મોટો ઈતિહાસજ્ઞ છે. ૬૭ વર્ષની ઉંમર છે. ઘણું (સાહિત્ય) વાંચ્યું જોયું છે. પછી એણે એમ કહ્યું કેઃ “જૈનધર્મ એટલે અનુભૂતિ.” આનંદનો નાથ આત્મા એનો અનુભવ કરવો, શાંતિનું વેદન કરવું, અતીન્દ્રિય આનંદનું વેદન (કરવું) – એ અનુભૂતિ; એ “જૈનધર્મ' છે! એણે શાસ્ત્રો ઘણાં જોયાં. એમાંથી આ કાઢયું! બધાં (શાસ્ત્ર) ને, એ જાણતાં નથી. એ તો સાધારણ.. પણ કહે છે કે, એવી (મહાન) ચીજ અત્યારે વેપારીને મળી ગઈ ! અને એને વેપાર આડે નવરાશ ન મળે. આખો દી વેપારની ક્રિયા- આ લેવું ને આ આપવું ને આ કરવું ને આ કરવું. અરે. રે! એકલું પાપ. (એથી) ધર્મ તો નહીં પણ પુણ્ય પણ નહીં. અર.. ૨.. ૨! અરે ! એને સ્વર્ગ અને મનુષ્યપણું ય મળે નહીં.
અહીં તો કહે છે કે પ્રભુ! તારી પ્રભુતાથી ભર્યો પડ્યો પ્રભુ- એ મોક્ષના કારણની ક્રિયાને સ્પર્શતો નથી. મોક્ષના કારણની પર્યાય, “તે–રૂપે' દ્રવ્ય નથી! આહા. હા. હા! આવી વાત છે!! અરે પ્રભુ! (તું તો મોક્ષસ્વરૂપ છો). તારા ઘરમાં તો વીતરાગી ક્રિયા-મોક્ષમાર્ગનથી. આહા.. હા!
ભાઈ ! રૂપિયા તો ક્યાંય રહી ગયા. આ બધા કરોડપતિ..! ધૂળમાં ય નથી. કરોડપતિ' કેવા? રાગનો પતિ થાય, તો મિથ્યાદષ્ટિ છે. દયા, દાન અને વતનો વિકલ્પ ઊઠે અને એનો પતિ-સ્વામી થાય, તો મિથ્યાદષ્ટિ છે.
આહા... હા! મોક્ષના માર્ગનો “પતિ’ વ્યવહારે છે. કારણ કે, આત્મામાં સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે. એ ગુણના કારણે, પોતાનું દ્રવ્ય શુદ્ધ. પોતાના ગુણ શુદ્ધ. અને પોતાની પરિણતિ શુદ્ધ. (એ) વીતરાગપરિણતિ છે. એનો એ સ્વામી છે; (રાગનો સ્વામી નથી.
આ ચીજ (બીજે) ક્યાંય, બાપા (નથી). અરે.. રે! હજી તો બહારના રાગની મંદતાનાં ય ઠેકાણાં નથી! અરે. રે! એને આ વાત (કમ બેસે) ? કે ભગવાન! વીતરાગી ક્રિયા, એ દ્રવ્યમાં નથી. એ (ક્રિયા) દ્રવ્યરૂપ નથી; એ તો પર્યાયરૂપ છે. અરે... રે! એ મોક્ષના માર્ગની પર્યાયરૂપ જે ચીજ, તે દ્રવ્યરૂપ નથી; તો વળી, આ શરીર મારું ને પૈસા મારા ને આ બધાં (મારાં)! અરે પ્રભુ! ક્યાં ગયો ભૂતડાની પેઠે ? છતી ચીજને છોડીને, અછતી ચીજને પોતાની માનવી... પ્રભુ ! મોટી ભ્રમણામાં પડયો છે નાથ !
- ગોવામાં એક વાણિયો. એની પાસે બે અબજ ચાલીશ કરોડ રૂપિયા. એ મુંબઈમાં આવ્યો. એની સ્ત્રીને તો હેમરેજ થયું. તે તો ત્યાં પડી હતી. એક વાગે ઊઠ્યો ત્યાં કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com