________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૫૩
કરવી, એ કાર્ય વીર્યગુણનું નથી. જ્યારે દ્રવ્યની દૃષ્ટિ થઈ ત્યારે જેટલા અંતરમાં અનંત (ગુણ ) છે, એની પ્રગટ અવસ્થાની રચના વીર્ય કરે છે, એ કાર્ય વીર્યનું છે. આહા... હા! પુરુષાર્થની સમ્યગ્દર્શન થાય છે, એમ કહેવું છે. એ (સમ્યગ્દર્શનની ) પર્યાય પણ ક્રમબદ્ધમાં આવે છે; પણ એ પુરુષાર્થથી થાય છે. અનંત નિર્મળ પર્યાયની રચના વીર્યગુણ કરે છે, તો એમાં ( ક્રમબદ્ધમાં ) પુરુષાર્થ આવ્યો કે નહિ ?
અને એ સમયે જે રાગ આવે છે તે આત્મામાં જે એક ભાવગુણ છે તેની વિકૃત પરિણતિ-ષટ્કારકરૂપે થાય છે; એનાથી રહિત થવું એવો ભાવગુણ છે. સુડતાલીસ શક્તિમાં છે. આહા... હા... હા ! આવી વાતો!! હવે એમાં સમજવું શું? જે પર્યાય ષટ્કારકરૂપે વિકૃત થાય છે, એ પર્યાયથી રહિત, ભાવ નામનો ગુણ છે; એનું પરિણમન ( વિકૃત) રહિતપણે થાય છે; વિકૃતસહિતપણે નહીં.
.
એ ‘ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવામાં ‘દ્રવ્ય ' નો નિર્ણય થાય છે. દ્રવ્યમાં વીર્ય ’ એક એવો ગુણ છે કે જે સ્વરૂપની નિર્મળ રચના કરે; રાગની (રચના) કરે, એમ અમાં છે જ નહીં. આહા... હા !
રાગ આવે છે... તો અહીં જ્ઞાન, રાગ સંબંધી જ્ઞાન કરે છે. (છતાં) એ રાગ છે, તો એનું જ્ઞાન કરે છે, એમ પણ નથી. એ જ્ઞાનની પર્યાય સ્વનું જ્ઞાન કરે છે અને ૫૨નું જ્ઞાન (કરે છે. છતાં) ૫૨ છે, તો ૫૨નું જ્ઞાન કરે છે, એમ પણ નથી. એ જ્ઞાનની પર્યાય, પોતાના સ્વ-૫૨ પ્રકાશક સામર્થ્યથી પ્રગટ થાય છે. રાગ હો... પણ રાગ છે, તો અહીં (જ્ઞાનમાં) એ રાગનું જ્ઞાન થયું, એવું નથી. પોતાના જ્ઞાનની પર્યાયમાં સ્વ-પર પ્રકાશક તાકાત હોવાથી (જ્ઞાન થાય છે).
એ અનંતી પર્યાય દરેક પર્યાયમાં-વીર્યની રચના છે. એ અનંત પરિણામો પોતાના પુરુષાર્થથી પ્રગટ થાય છે. અને તે પરિણામો નિર્મળ ઉત્પન્ન થાય છે. મલિન (પરિણામ ) ની વાત અહીં છે જ નહીં.
–
એ સમયે જે રાગ છે, તે સંબંધી જ્ઞાન, પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. રાગ છે, તો રાગનું જ્ઞાન થાય છે, એમ નથી.
એમ કહ્યું ને...! “ પોતાના પરિણામોથી ઊપજતો થકો ... તો ‘રાગ' છે, એ કોઈ પોતાનાં પરિણામ નથી. રાગ-દયા, દાન આદિ-કાંઈ પોતાના સ્વભાવનાં પરિણામ છે? (નહીં). કારણ કે - આત્મામાં જેટલા ગુણ છે એમાં વિકૃત પર્યાય કરી શકે એવો કોઈ ગુણ જ નથી. અનંત ગુણ પવિત્રતાની પરિણતિ કરી શકે એવા છે. વિકૃત (પરિણતિ ) કરી શકે એવો કોઈ ગુણ અનંત ગુણમાં નથી. વિકૃતિ (પર્યાયમાં) થાય છે. એ તો પર્યાયદષ્ટિથી નિમિત્તને વશ થઈને થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com