________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૨૭ પણ “નિયમિત'. એટલે જે પર્યાય થવાવાળી છે તે જ થશે. - એ મોટી ચર્ચા સંવત ૨૦૧૩માં ઈશરીમાં થઈ હતી.
કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે ક્યાં પુરુષાર્થ કરીએ?' આ ચર્ચા સંવત ૧૯૭રમાં સંપ્રદાયમાં થઈ હતી. પ્રભુ! સાંભળ: આ જગતમાં કેવળજ્ઞાન એક સમયની પર્યાય છે. તે ત્રણ કાળ–ત્રણ લોકને સ્પર્યા વિના જાણે છે, એવી એક પર્યાયની સત્તાનું સામર્થ્ય છે. એવી સત્તાના સામર્થ્યની પ્રતીતિ છે પહેલાં? “એણે દીઠું તેમ થશે' –એ વાત પછી. જ્યારે એ એક સમયની પર્યાયનું આટલું સામર્થ્ય! –એવો જે “નિર્ણય” કરે છે, (તે નિર્ણય), પરના સામર્થ્યમાંથી કે પર્યાયના આશ્રયથી થતો નથી. પરના આશ્રયે તો થતો નથી, પણ પર્યાયના આશ્રયે (પણ) એ “નિર્ણય” થતો નથી. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગમાર્ગ...!! આહા... હા... હા !
આ તો અમે કરી દઈએ.... મંદિર બનાવી દઈએ.. એવું બન્યું ને...! કોણ બનાવે, પ્રભુ ! એતો એની પર્યાયના કાળમાં, “વિયં નં ૩jiડુ”પોતાની પર્યાયના કાળે ઊપસ્યું છે. એ મંદિર કોણ બનાવે? ત્યાં પ્રતિમાને કોણ સ્થાપે? (એવો) શુભભાવ આવે; તો ત્યાં એ શુભભાવને નિમિત્ત કહેવામાં આવે છે. (અર્થાત્ ) એ ક્રિયામાં શુભભાવને નિમિત્ત કહેવામાં આવે છે. પણ શુભભાવથી તે થયું -એમ નથી.
અહીં કહે છે કે જ્યારે “કમબદ્ધ' નો નિર્ણય કરે છે અર્થાત્ “કેવળીએ દીઠું' એવો નિર્ણય કરે છે તો એવા “નિર્ણય' માં પર્યાય-જ્ઞાનસ્વરૂપી પ્રભુમાં-ઘૂસી (- પ્રવેશી) જાય છે. ત્રિકાળી જ્ઞાન છું. સર્વજ્ઞ છે. સંપૂર્ણ સર્વજ્ઞ છું'. “એ (કેવળી) સર્વજ્ઞ છે'. -એ નિર્ણય કરવામાં હું સર્વજ્ઞ પૂર્ણ છું” “(-એમ આવે છે ). આહા.... હા... હા !
અલ્પજ્ઞાનના આશ્રયે સર્વસનો સાચો નિર્ણય થતો નથી. બહારનો નિર્ણય થાય છે. એ ( પ્રવચનસાર”) ૮૦ ગાથામાં આવે છે: “નો નાગતિ અરહંત વેબૂત્તત્તિ -
Tયત્તેટિં”. એ તો વ્યવહાર છે. અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા, એ તો હજી વ્યવહાર છે. અને એ પર્યાયનો નિર્ણય કરવો, એ પણ વિકલ્પ છે, રાગ છે.
આહા... હા.... હા! પોતાનું સ્વરૂપ એ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞપણું આવ્યું ક્યાંથી? એનો સ્વભાવ સર્વજ્ઞ છે. “છે” એમાંથી પ્રાપ્તની પ્રાપ્તિ છે, કૂવામાં હોય એ અવેડામાં આવે છે. એમ અંદરમાં (આત્મામાં) હોય તે બહાર આવે છે. આહા... હા... હા..! ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ, ત્રિકાળી, અનાદિ-અનંત (છે). એને આવરણ પણ નહીં, અપૂર્ણતા નહીં, વિરુદ્ધતા નહીં, વિપરીતતા નહીં-એવો સર્વજ્ઞસ્વભાવી ભગવાન; એની તરફ જ્યારે દષ્ટિ જાય છે; ત્યારે પર્યાયમાં સર્વજ્ઞનો નિર્ણય-સમ્યગ્દર્શન-વીતરાગી પર્યાયમાં થાય છે. ત્યારે સાથે પર તીર્થકર આદિનું સર્વજ્ઞપણું વ્યવહારથી નિશ્ચયમાં આવ્યું. આ નિશ્ચયમાં ‘આ’ આવ્યું. પણ પદ્રવ્યનું સર્વશપણું એ તો પરદ્રવ્યનું છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com