________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨: પ્રવચન નવનીત ભાગ-૧
કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં. પછી લોકોએ પોતાની કલ્પનાથી-સ્વચ્છંદથી માર્ગ ચલાવ્યો (સનાતન ) માર્ગ કોઈ બીજો છે. વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા એ અહીં કહે છેઃ
શુદ્ધ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ (ભગવાન આત્મા ) એ (રાગ-દ્વેષનો) કર્તા-ભોકતા નથી. (એ) શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં અભેદ થયો ( અર્થાત્ ) જે અનાદિથી રાગ-દ્વેષમાં ભેદરૂપ થઈને ત્યાં રોકાઈ ગયો હતો, એ પોતાના શુદ્ધસ્વરૂપ ચિદાનંદ પ્રભુમાં અભેદ થયો. જુઓ! “ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ ”. એ શુદ્ધજ્ઞાનપરિણતિ થઈ કેમ ? (કેઃ) એ ત્રિકાળી જ્ઞાયકભાવ જે આત્માનો આશ્રય કરતાં. (એના) અવલંબનથી શુદ્ધ ઉપાદાન પર્યાયમાં નિર્મળ વીતરાગી આનંદ આવ્યો, વીતરાગી સમકિત થયું, વીતરાગી જ્ઞાન થયું, –એ ચોથે ગુણસ્થાને.. . એ શુદ્ઘપરિણત એ જ પોતે ઉપાદાન-પર્યાયમાં શુદ્ધ ઉપાદાનની વાત છે જીવ, શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિને ) કરતો નથી અને વેદતો નથી. આહા... હા... હા! આ તો ગંભીર ભાષા છે. ૩૨૦- ગાથાની (આ ) ટીકા ખૂબ ગંભીર છે!
–
એ
આહા... હા ! ( રાગાદિને ) કરતો નથી અને વેદતો નથી. “વિઠ્ઠી સયં પિ બાળ”. તો પહેલાં દષ્ટિની અપેક્ષાએ વાત કરી કેઃ વસ્તુ જે ત્રિકાળી છે એ પણ (રાગાદિની ) કર્તાભોકતા નથી. અને એની (વસ્તુની ) દષ્ટિ-સમ્યગ્દષ્ટિ થઈ, એ પણ એને (રાગાદિને ) કરતી ભોગવતી નથી.
પ્રશ્ન:- એ તો દૃષ્ટિ અપેક્ષાએ કહ્યું, પણ જ્ઞાન અપેક્ષાએ ?
,,
સમાધાનઃ- “વિઠ્ઠી સ્વયં નાનું માત્ર દષ્ટિ જ નહીં. (એટલે કેઃ) સમ્યગ્દર્શન થયું એ ષ્ટિ એકલી જ રાગ- દ્વેષની કર્તા- ભોકતા નથી એમ (દૃષ્ટિ ) એકલી નહીં પણ સાથે જ્ઞાન થયું એ પણ રાગ-દ્વેષનું કર્તા-ભોકતા નથી. ાઓ (પાઠ) : “વિઠ્ઠી સ્વયં પિ નળ, તેનું વ્યાખ્યાનઃ માત્ર દષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ ” (અર્થાત્ ) ભગવાનનું જે કેવળજ્ઞાન છે, ૫રમાત્મા “નમો અરિહંતાણં ” જેને ક્ષાયિક કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ “ક્ષાયિક જ્ઞાન પણ (રાગાદિનું કર્તા-ભોકતા નથી ).
22
અહીં “ પણ ” કેમ કહ્યું સમજાણું ? અહીં એક તો શુદ્ધ જ્ઞાનના દષ્ટિવંત પણ (રાગાદિના ) કર્તા-ભોકતા નથી; અને શુદ્ધ વસ્તુ (રાગાદિને ) કરતી ભોગવતી નથી. માટે શુદ્ધ વસ્તુની દૃષ્ટિના પરિણમનવાળો કર્તા-ભોકતા નહીં. એ દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું. પરંતુ ક્ષાયિક જ્ઞાન “ પણ ” ( – કેવળજ્ઞાન પરમાત્મા અરિહંતદેવ ત્રિલોકનાથ ) નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.
આહા... હા! ત્રણ બોલ લીધાઃ પહેલાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાન લીધું. પછી શુદ્ધ જ્ઞાનની પરિણતિવાળા-દષ્ટિવાળા લીધા. હવે દષ્ટિ એકલી નહીં, પણ કેવળજ્ઞાની પરમાત્માને ક્ષાયિક જ્ઞાન થયું અર્થાત્ એવી શુદ્ઘપરિણતિ દ્વારા શુદ્વ દ્રવ્યના અવલંબનથી નિર્મળ સમ્યગ્દર્શન- જ્ઞાન પરિણિત થઈ, એ દ્વારા ક્ષાયિક કેવળજ્ઞાન થયું, એ કેવળજ્ઞાન પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com