________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૨૫
માત્ર ‘દૃષ્ટિ’ ની અપેક્ષાએ નહીં, “પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.” આહા... હા! ભગવાનને ચાર કર્મ (અઘાતિયા ) બંધાય છે. એના ‘ કર્તા ’, અને એ છૂટે છે તો એના ‘ભોકતા' એ (ભગવાન) નથી. કર્મ આઠ છે ને...! ( પણ ) અરિહંત ભગવાનને ચાર (ઘાતિ) કર્મનો નાશ છે, ચાર (અઘાતિ) બાકી છે. એ ચાર કર્મના કર્તા અને ભોકતા એ ભગવાન નથી.
“ તેવો હોતો થકો શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે?” પહેલાં લીધું ને ? શુદ્ધજ્ઞાન પરિણત ધર્મ. શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જે છે એની પરિણતિ શુદ્ધ થઈ અને સમ્યગ્દર્શન થયું. એ સમ્યગ્દર્શનમાં શુદ્ધ પર્યાય શું કરે છે? શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? “ जाणादि य વંધોવું ” આહા... હા... હા.. હા! ગજબ વાત છે, પ્રભુ!
જાણે છે. ”
કોને ? બંધ
મોક્ષને. આહા.. હા!
શુદ્ધજ્ઞાનપરિણત
સમકિતી જીવ-ચોથા ગુણસ્થાનથી (છે). શ્રાવક (તો) પંચમ ગુણસ્થાન (વર્તી) હોય છે. (તેવા) સાચા શ્રાવકની વાત છે. સાચો શ્રાવક જે છે એને તો પહેલાં સમ્યગ્દર્શન થાય છે; પછી શ્રાવકની પાંચમા (ગુણસ્થાન) ની દશા ઉત્પન્ન થાય છે. પણ અહીં તો કહે છે કે ચોથા (ગુણસ્થાન ) થી શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? આ (રાગાદિનો ) કર્તા-તેની ના પાડી. બીજું શું કરે છે? વિશેષ છે કાંઈ ? હા બંધ મોક્ષનો માત્ર બંધનો જ નહીં, ભાવ બંધ મોક્ષનો પણ કર્તા નથી અને ભોકતા પણ નથી.
=
શુદ્ધ સ્વભાવ જે પરમાત્મસ્વરૂપ પોતાનું છે, અનાદિથી ૫૨માત્મસ્વરૂપી જ છે. જો ૫રમાત્મસ્વરૂપી ન હોય, તો પર્યાયમાં ૫રમાત્મા ( પણું ) આવશે કયાંથી ? બહારથી આવશે ? લટકે છે ક્યાંય ? પ્રાસની પ્રાપ્તિ છે. અંદર પડયું (વિધમાન ) છે. અંદરમાંથી આવે છે. લીંડીપીપ૨ હોય છે, (તે) કદે નાની છે, રંગે કાળી છે પણ અંદર રસમાં ચોસઠ પહોરી તીખાશ છે. એ પી૫૨માં સોળ આના (-પૂર્ણ) તીખાશ અને લીલો રંગ ભરેલો છે. એમ ભગવાન આત્મામાં સોળ આના આનંદ અને જ્ઞાન ભર્યાં પડયાં છે. જેમ ચોસઠ પહોરી (પી૫૨) ને જેમ ઘૂંટીએ છીએ, તેમ (તીખાશ અને રંગ) બહાર આવે છે; એમ ભગવાન આત્મામાં પૂર્ણ સર્વજ્ઞતા, સર્વદર્શીપણું અને પૂર્ણ આનંદ ભર્યો છે; એવી જેની દષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયું એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ, બંધ અને મોક્ષને માત્ર જાણે જ છે; બંધને કરતો નથી અને મોક્ષને કરતો નથી. બંધ જે થયો, એનો કર્તા નથી; અને બંધ જે છૂટે છે, એનો (પણ ) કર્તા નથી.
.
અરે... રે! આવું છે! છે કે નહિ અંદર (પાઠમાં ) ‘માત્ર જાણે છે. ' કોને ? કેઃ બંધ મોક્ષને. આહા... હા! શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી જીવ અર્થાત્ સમ્યદર્શનપરિણત જીવ, બંધને અને મોક્ષને કરતો નથી. પણ માત્ર બંધ-મોક્ષનો (તે) કર્તા નથી એટલું જ નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com