________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૭૫ (–દેશના) થી નહીં. અંદર ઘણું મંથન કર્યું, તો એનાથી પણ (સમ્યગ્દર્શનાદિ) પ્રાપ્ત થાય, એમ નથી. મંથન છે, એ તો વિકલ્પ છે. પોતાનામાં કર્તા નામનો અનાદિ ગુણ છે; એ કર્તાગુણથીકારણથી એની (આત્માની) સમ્યગ્દર્શન આદિ પર્યાય ઉત્પન્ન થાય છે. અથવા કર્મ નામનો ગુણ છે, (એનું પરિણમન એ સમ્યગ્દર્શનાદિ પર્યાય છે).
અહો.... હો! એક જડ કર્મ. એક નોકર્મનું કર્મ. એક રાગનું કર્મ. એક નિર્મળ પર્યાયરૂપી નિર્મળ ભાવકર્મ. અને આત્મામાં એક કર્મ નામનો ગુણ છે. –શું કહ્યું? કે: આત્મા સિવાય (– આત્માની જેમ) અનંત પદાર્થમાં કાર્ય (–પરિણમન) (જે) થાય છે, એ એનું કર્મ છે. તે તો પદાર્થોએ પોતાનાં પરિણામ કર્યા, એ પરિણમન, એનું કાર્ય છે-કાર્ય કહો કે કર્મ કહો ( એક જ છે) –એક વાત. બીજું કર્મ જડ છે, એને કર્મ કહેવું. એ પરમાણુ પણ પોતાથી કર્મરૂપે પરિણમ્યાં છે, તે પણ કર્મ. ત્રીજું: રાગ-દ્વેષનાં પરિણામ કરવાં, તે પણ એક કર્મ, એ ભાવકર્મા ચોથું: નિર્મળ પરિણમનનું કાર્ય થાય, તે પણ કર્મ. અને પાંચમું આત્મામાં “કર્મ' નામનો એક ગુણ છે. આહા... હા... હા !
ઝીણી વાત છે, ભાઈ ! અરે... રે! અનંત કાળમાં સત્ય વાત મળી નહીં અને મળી તો ચી નહીં! આહા.... હા ! એકાંત... એકાંત લાગે! કાંઈ વ્યવહારથી કે રાગની મંદતા કરવાથી (ધર્મ) થાય છે કે નહિ? તો કહે છે કે એના (આત્માના) “કર્મ' નામના ગુણે શું કર્યું? રાગથી જો (ધર્મ) થયો, તો “રાગ” કર્તા અને “ધર્મ-પર્યાય' કાર્ય, તો (આત્માના) “કર્તા' નામના ગુણનું કાર્ય શું? આહા.... હા! ઝીણી વાત છે! પણ મુદ્દાની વાતમાં એણે ક્યારેય દષ્ટિ દીધી નથી !
અહીં કહે છે કે: “કર્મ' એટલા પ્રકારનાં છે-એક ગુણરૂપી કર્મ. એક નિર્મળ પર્યાયરૂપી કર્મ. એક રાગરૂપી ભાવકર્મ. એક કર્મરૂપી જડની પર્યાય (દ્રવ્યકર્મ). અને એક પરનાં પરિણામરૂપી (નોકર્મ).
પ્રશ્ન: તો એ પરનું કર્મ આત્મા કરે છે કે નહિ?
સમાધાનઃ (જડ) કર્મનાં પરિણામ જે છે, તેને આત્મા કરતો નથી. અને રાગ છે, તે પણ આત્મા કરતો નથી. અને નિર્મળ પર્યાયનો કર્તા (આત્મા) છે, એ પણ ઉપચારથી છે. આહા... હા! આત્મા “કર્તા” અને નિર્મળ પરિણામ પોતાનું કાર્ય” –એમ પણ ઉપચારથીવ્યવહારથી કહેવામાં આવે છે! (આ) બધું “કલશ ટીકા ' માં છે. સમજાય છે કાંઈ ?
અહીં તો કહે છે કે આત્મામાં “કર્મ' નામનો ગુણ છે. જડ કર્મનો નહીં. રાગનો નહીં. અને પર્યાયનો (પણ) નહીં. જેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી ત્રિકાળ છે, આનંદસ્વભાવી ત્રિકાળ છે; એમ કર્મસ્વભાવી ત્રિકાળ છે.
આહા... હા! આ શબ્દ પણ સાંભળ્યો ન હોય! ને આ પૈસા મંદિરમાં ખર્ચા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com