________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨: પ્રવચન નવનીત ભાગ-૧
આનંદપણે પરિણમો )”. એવો પાઠ છે. (– ‘પ્રવચનસાર’ શ્લોક-૨૧). દિગંબર સંતોની વાણી કોઈ અલૌકિક છે!! આહા... હા... હા ! ( કહે છેઃ ) આજે જ પ્રાપ્ત કરો! · પછી કરીશ ’... તો તને રુચિ નથી. જેની રુચિ છે, તેની તરફ વીર્ય ગતિ કર્યા વિના રહે નહીં. ‘રુચિ અનુયાયી વીર્ય'. જેની રુચિ છે એના વાયદા કરે, એમ હોતું નથી. વાયદા કરે-પછી (કરીશ ), (તો ) પછીનું પછી રહેશે.
આહા... હા! “ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરો”. પ્રભુ! ભાષા જીઓઃ એક આખા-પરિપૂર્ણ પ્રભુ, શાશ્વત-ટંકોત્કીર્ણ-શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે (૪) અવ્યાકુળપણે નાચો! આહા... હા... હા ! એક અખંડ શાશ્વત ચૈતન્યપ્રભુનું લક્ષ કરીને (એને ) પ્રાપ્ત કરો! એ કરવા લાયક છે. “ આજે જનો અવ્યાકુળપણે નાચો”. પ્રભુ! જો તું તારી ચીજમાં આજે એકાગ્ર થઈશ, તો આજે જ અર્થાત્ એ (જ) કાળે તને આનંદ આવશે. એ કહે છે, જુઓઃ અવ્યાકુળપણે પરિણમો. અતીન્દ્રિય આનંદપણે પરિણમો. પ્રભુ! એ તારું કાર્ય છે. એ આત્મા પોતાનાં પરિણામોથી ઊપજે છે. સમજાણું કાંઈ ?
આહા... હા! આકરી વાત છે, ભાઈ! આ તો ‘હું કરું... હું કરું... એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે '. બળદો ગાડાને ચલાવતા હોય, એના નીચે કૂતરો (ચાલતો હોય) જો કૂતરાનું માથું ઠાઠને અડે તો (કૂતરો માને) કે ‘મારાથી ગાડું ચાલે છે'. એમ દુકાને બેસે ને ‘આ બધો ધંધો મારાથી ચાલે છે' (એમ જો માને તો તે) કૂતરા જેવો છે. અહીં તો આ વાત છે. પ્રભુ! માર્ગ તો કોઈ અલૌકિક છે!
એ અહીંયાં કહ્યું કેઃ “કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી”. એ શબ્દ કારણ ' અને જ્ઞાનની પર્યાય ‘કાર્ય' –એમ સિદ્ધ થતું નથી. ‘ સમયસાર’ બંધ અધિકારમાં આવે છે ને ! ‘હું પરને બંધ કરાવી દઉં અને પરને વીતરાગ કરાવી દઉં, પરને હું મોક્ષ કરાવી દઉં...! ' (તો) કહે છે કે ‘મૂઢ છે’. એની વીતરાગતાથી મોક્ષ થશે અને એના રાગથી અજ્ઞાનથી સંસાર રહેશે. (તો) તું એને વીતરાગતા આપી શકે છે? ‘હું પરને બંધ અને મોક્ષ કરાવી દઉં...' (તો કહે છે) પ્રભુ! તું શું કરે છે? તું શું કરીશ? પ્રભુ! તું તો જ્ઞાનસ્વરૂપ છો ને...! જ્ઞાનસ્વરૂપમાં વિકલ્પ ( જે ) ઊઠે છે, એ (તો ) પ્રભુ! દુઃખરૂપ છે ને...! તો તારે બીજાનું શું કરવું છે? એમ અભિમાન તારે ક્યાં સુધી રાખવું છે? જ્યાં સુધી પરનું કરી શકું છું' તે અભિમાનમિથ્યાત્વ છે, ત્યાં સુધી સ્વસન્મુખ થઈ શકતો નથી. આહા... હા! ભાષા સમજાય છે ને.. ? ઝીણી વાત છે.
6
“ ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે”. શું કહ્યું ? સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે (એટલે કે) અરિહંતદ્રવ્ય ‘ ઉત્પાદક' અને સાંભળવાવાળાનું જ્ઞાન ‘ઉત્પાદ્ય ’ –એવો અભાવ છે. ઉત્પાધ અર્થાત્ થવાવાળું કાર્ય અને (એનું) ઉત્પાદક બીજી ચીજ-એવું ઉત્પાદ્ય અને ઉત્પાદક (ભાવ ) નો અભાવ છે. ‘જડની પર્યાય ’ ઉત્પાદ્ય અર્થાત્ થવા લાયક અને ‘આત્મા’ એનો ઉત્પાદક (–એવો ) અભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com