Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 299
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૭ (એમ કહ્યું કે : જાણનક્રિયા (રૂપ ) જે પર્યાય તે દ્રવ્યથી અભિન્ન છે. કારણ કે : જાણનક્રિયાના આધારથી આત્મા જાણવામાં આવે છે. એ કારણે જાણનક્રિયા-શુદ્ધોપયોગ-શુદ્ધ ( આત્મ ) અભિમુખ પરિણામની સાથે આત્માને અભિન્ન ગણવામાં આવ્યો છે; અને વિકારને ભિન્ન કરીને (તેનું) ક્ષેત્ર ભિન્ન, સત્તા ભિન્ન, સ્વરૂપ ભિન્ન (સિદ્ધ કર્યું છે). એટલે કે : આત્મા અને રાગ–બન્ને વચ્ચે કોઈ (૫૨માર્થભૂત) આધાર-આધેય સંબંધ નથી. આહા...હા...હા ! પ્રશ્ન : એ જાણનક્રિયાને આધાર કેમ કહી ? ઉત્તર : એ જાણનક્રિયાથી જે ચીજ (-આત્મા) જાણવામાં આવી છે તે ચીજ તો અનાદિ (છે) પણ અંતર્મુખ થઈને એ (ચીજ ) જાણવામાં આવી. (તેથી ) તે જાણનક્રિયા આધાર છે; કારણ કે એના આધારથી જાણવામાં આવી. ઝીણી વાત છે, ભાઈ! ત્યાં (સંવર અધિકારમાં) તો જાણનક્રિયા જે ધર્મ-પર્યાય, એને આત્મા અભિન્ન કહી; અને અહીંયાં ભિન્ન કહે છે. અને અપેક્ષાથી કથંચિત્ ભિન્ન કહે છે. શું કહે છે જુઓ! પર્યાય જે નિર્મળ પર્યાય (અર્થાત્ ) મોક્ષમાર્ગની પર્યાય, જે શુદ્ધ ઉપયોગ અને વીતરાગી પર્યાય જે મોક્ષનું કારણ, તે ‘ વીતરાગી પર્યાય ', શુદ્ધારિણામિકભાવલક્ષણ ‘ શુદ્ધાત્મદ્રવ્ય ’થી કથંચિત્ ભિન્ન છે. " જયસેન આચાર્યની અપેક્ષા જરી જ્ઞાનપ્રધાન કથનની છે તેથી ‘કથંચિત્ ભિન્ન ’ કહ્યું. ( જ્યારે ) અમૃતચંદ્ર આચાર્ય તો (‘પ્રવચનસાર') ગાથા-૧૭૨, ‘અલિંગગ્રહણ ' બોલ-૧૯માં એમ કહે છે કે : ભગવાન આત્મા, પર્યાયથી ભેદલક્ષણવાળો, એ પર્યાયને સ્પર્શતો ય નથી. અર્થાત્ પર્યાયરૂપ વિશેષભાવને દ્રવ્ય સ્પર્શતું નથી. આલિંગન કરતું નથી. આહા...હા ! પર્યાય દ્રવ્યને આલિંગન કરતી નથી અને દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. ઝીણી વાત છે, ભાઈ! એ શુદ્ધ પર્યાય ), જે ધર્મ (રૂપ ) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની શુદ્ધોપયોગ પર્યાય, તે પર્યાય આત્માને સ્પર્શતી નથી. બિલકુલ સ્પર્શતી નથી, એમ કહ્યું. અને અહીંયાં કથંચિત ભિન્ન કહ્યું. એમ અપેક્ષાથી કથન છે. અહીંયાં કહ્યું કે : પ્રભુ આત્મા જે નિત્યાનંદ ધ્રુવ, એની સન્મુખ થઇને જે મોક્ષમાર્ગનાં પરિણામ થાય છે, એ અપેક્ષાથી, અહીંયાં સામાન્ય મોક્ષમાર્ગની પર્યાય કેવી છે ને...! એ અપેક્ષાએ, જરી કચિત્ ભિન્ન કહ્યું. પણ સમુચ્ચયથી જ્યાં લેવું છે : અલિંગ્રહણમાં, (ત્યાં) અમૃતચંદ્રાચાર્ય તો એમ કહે છે કે : પર્યાયનો ભેદ-પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. ભાઈ! આવો વિષય આકરો છે. અહીં રાગ-વિકારની વાત નથી. શ૨ી૨, વાણી, મન અને કર્મની વાત પણ નથી. (એ તો ) જગતના સ્વતંત્ર પદાર્થ (છે, જે) પોતાનાથી પરિણમી રહ્યા છે. પૈસા જડ, મકાન, આબરૂ એ તો પરમાણુની પર્યાય; પોતાનાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357