Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 322
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦: પ્રવચન નવનીત ભાગ-૧ [પ્રવચનઃ તા. ૬-૮-૭૯ ] સમયસાર ’ ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા. અહીં સુધી આવ્યું: આત્મા તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ છે. એની-ત્રિકાળી જ્ઞાયકભાવની, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ‘ ભાવના ’, તે શુદ્ધભાવથી કથંચિત્ ભિન્ન છે. આહા... હા ! ૫૨ચીજ તો ક્યાંય ભિન્ન રહી ગઈ. (એની સાથે તો આત્માને ) કંઈ સંબંધ જ નથી. (અહીં ) તો અંદર શુદ્ધ ચૈતન્યઘન, સહજ શુદ્ધપારિણામિકસ્વભાવભાવ, જે દ્રવ્ય એટલે વસ્તુ, એની ‘ભાવના’ અર્થાત્ એની સન્મુખ થઈને (જે) ચૈતન્યનું જ્ઞાન અને ચૈતન્યની શ્રદ્ધા અને ચૈતન્યની રમણતા (રૂપ ) જે ‘ ભાવના (થઈ ), એ ‘ પર્યાય ' છે; તે પર્યાય, ત્રિકાળી સ્વભાવ-ચૈતન્ય પરમાનંદ સ્વભાવથી ભિન્ન છે! કારણકે: (તે) પર્યાયનો નાશ થઈને મોક્ષ થશે ત્યારે તો (તે ) પર્યાય રહેશે નહીં. (તો) જો (તે) પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય તો મોક્ષ થતાં (તે મોક્ષમાર્ગની ) પર્યાયનો નાશ થશે, તે દ્રવ્યનો (પણ ) નાશ થઈ જશે. આહા.. હા! આવી વાતો લ્યો! સમજાય છે કાંઈ ? (આત્માને) પરની સાથે તો કંઈ સંબંધ જ નથી. અહીં રાગના ભાવની વાત પણ કરી નથી. (અહીં તો કહ્યું કેઃ) ૫૨મ સ્વભાવભાવ ધ્રુવ, નિત્યાનંદ પ્રભુ, ચૈતન્યસાગર, ભગવાન નિત્યાચંદ ધ્રુવ, પરમપારિણામિકસ્વભાવભાવ, જ્ઞાયકભાવ, –એની ભાવના, એ ધર્મ ( છે ). ભાવના ' શું? કેઃ સ્વરૂપની પ્રતીતિ-અનુભવ કરીને, જ્ઞાનની પર્યાયમાં આખા શેય આત્માનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપ-રમણતા કરવી. એટલે અતીન્દ્રિય આનંદમાં રમવું એ ચારિત્ર-એ ‘ભાવના' છે. આહા... હા! એ (‘ભાવના ’) ત્રિકાળી વસ્તુ નથી. જો એ ‘ભાવના’ ત્રિકાળી વસ્તુની સાથે અભિન્ન હોય તો એ ‘ ભાવના ’ નો નાશ (–વ્યય) થઈને મોક્ષ તો અવશ્ય થશે; (તો ત્રિકાળી વસ્તુનો પણ નાશ થઈ જશે ). એટલે કે, જેને એ ‘ ભાવના' પ્રગટ થઈ, અર્થાત્ (જેને ) ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા પ્રગટ થઈ, એને તો અલ્પકાળમાં મોક્ષ થવાનો જ છે; તો એ (મોક્ષનો ) પ્રસંગ બનતાં, એ (ભાવનારૂપ ) પર્યાયનો તો નાશ થશે, એટલે મોક્ષમાર્ગરૂપ એ ભાવનાનો તો નાશ થશે; તો જો એ (ભાવના ) શુદ્ધપારિણામિકની સાથે અભિન્ન હોય તો, એનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થાય. ( પણ એમ તો બનતું નથી. તેથી) એ નિશ્ચય મોક્ષનો માર્ગ જે છે તે પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.! આહા... હા... હા ! શરીર, કર્મ, પૈસા, સ્ત્રી, કુટુંબ-એ બધાં ૫૨ છે, બિલકુલ ૫૨ છે; એને આત્માની સાથે કંઈ સંબંધ નથી, – એ માનવામાં પણ હજી પરસેવો ઊતરે! આહા.. હા ! અહીં રાગની પણ વાત નથી. (અહીં ) તો નિર્મળ પર્યાય જે છે–સચ્ચિદાનંદ પ્રભુ જીવનું જ્ઞાન, એની શ્રદ્ધા અને એની રમણતા (રૂપ ) ( જે ) પવિત્ર પર્યાય- એ પણ પર્યાયવાનથી કથંચિત ભિન્ન છે. (એક કહે છે ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357