________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૪૧ (દશા) માં જ્ઞાનના બે ભેદ છે: ક્ષયોપશમ અને ક્ષાયિક. પણ (પરલક્ષી) ક્ષયોપશમ તો (સર્વ સંસારી જીવોને) અનાદિકાળનો છે; એ ક્ષયોપશમમાં આનંદનું વેદન નથી, દુઃખનું વેદન છે. ક્ષયોપશમમાં અજ્ઞાન છે તો ( ત્યાં) તો દુઃખનું વેદન છે. પણ અહીંયાં તો ક્ષયોપશમજ્ઞાન અને કહીએ છે એ કે (જે) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ પ્રત્યક્ષ' (છે). આ જે પ્રત્યક્ષ સ્વસંવેદના જ્ઞાન છે, એને જ અમે ક્ષયોપશમશાન, ત્રણ ભાવને ક્ષયોપશમજ્ઞાન, નિર્વિકલ્પ આનંદના વેદનને ક્ષયોપશમજ્ઞાન કહીએ છીએ!
પકડાય એટલું પકડવું! રાત્રે (ચર્ચામાં) પ્રશ્નની બધી છૂટ છે. ઝીણી વાત છે, બાપુ ! અહીં તો મોક્ષમાર્ગની વાત છે. આહા.. હા.. હ! સંતો કહે છે એ પરમાત્મા જ કહે છે, પ્રભુ!
ક્ષયોપશમજ્ઞાન તો અભવીને પણ છે. તો એ ક્ષયોપશમને, આ (ઉપશમાદિ) ત્રણભાવમાં ગણવો? અથવા મિથ્યાષ્ટિને પણ અગિયાર અંગનો ક્ષયોપશમ થાય છે, અરે ! (ઉપરથી) નવા પૂર્વનો (પણ) થઈ જાય છે; તો એ (જ્ઞાન) ને, આ ત્રણ ભાવમાં જે ક્ષયોપશમજ્ઞાન છે, એ જ્ઞાન કહેવું? કેઃ ના. એ ત્રણ-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવમાં જે ક્ષયોપશમશાન છે તે (તો) નિર્વિકાર સ્વસંવેદન (લક્ષણ ) ક્ષયોપશમજ્ઞાન છે !
આહા... હા! સમજાણું કાંઈ ? ભાષા તો સાદી પ્રભુ! ભાવ તો, નાથ ! તારી ચીજ (માં) અંદર કોઈ અલૌકિક છે! જેમાં પર્યાયનો પ્રવેશ નથી. એમાં રાગ અને સંસારનો તો પ્રવેશ જ નથી. આહા.... હા ! એમાં જન્મ, જરા, મરણ, બંધ-મોક્ષના પરિણામનો પણ પ્રવેશ નથી. એવો ત્રિલોકનાથ પરમાત્મા! એની અનુભૂતિ કરીને જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું, એ ત્રણેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહે છે. તો (એ) “જ્ઞાનની અપેક્ષાએ શું? ક્ષયોપશમજ્ઞાન તો અનાદિનું છે તો એને એકલો ક્ષયોપશમ કહેવો? કે ના. (એ) “નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન” (છે) ! આહાહા! ક્ષયોપશમ તો કહેવો છે, પણ ક્યો ક્ષયોપશમ ? (કે.) જે અનાદિનો ક્ષયોપશમ છે એ નહીં.
હજી કેટલાકને (તો) ભાષા ય આવડતી ન હોય (ક) ક્ષયોપશમ (વગેરે) શું? દેવદર્શન કરવા જાય. અને માથે બેઠો હોય તે કહે, તે સાંભળવું કલાક. (પણ, પોતે કોણ? એની કંઈ અંતર જિજ્ઞાસા નથી!) અરે. રે, પ્રભુ! તારી મોટ૫, તારા મહિમાની તને ખબર નથી. તારી મોટપનો મહિમા, ભગવાન વાણીમાં કહી શકે નહીં, નાથ! એવો પ્રભુ તું ભગવાનસ્વરૂપે અંદર બિરાજમાન છે.
એ ભગવાનસ્વરૂપનું જેને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું-શાંત વીતરાગી પર્યાય ભલે અલ્પ થઈ (પણ એને નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષયોપશમજ્ઞાન વર્તે છે). અહીં સાધકની વાત છે ને! સાધ્યની તો વાત નથી. કારણ કે, સાધ્ય તો ક્ષાયિક જ્ઞાન છે. કેવળીને ક્ષાયિકસમકિતની સાથે તો ક્ષાયિક-કેવળજ્ઞાન છે. આ તો સાધકજીવની વાત ચાલે છે. તો એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com