________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩૩૭ દષ્ટિથી-દ્રવ્યને દેખવાથી–એ દ્રવ્ય, મોક્ષની પર્યાયને પણ કરતો નથી; એ (તો) પર્યાય કરે છે. આહા.. હા.. હા ! – “પરમાત્મપ્રકાશ” છે, ૬૮ ગાથા ! પછી બેત્રણ ગાથા એવી લીધી છે.
પ્રભુ! તારું મરણ થાય તો ડરીશ નહીં. તને મરણ હોતું જ નથી ને! દેહ છૂટે અને મરણ થાય” એ મરણ, પ્રભુ! તને હોતું જ નથી. (તો) તું કોનાથી ડરે (છે) ? અને રોગ આવે તો ડરીશ નહીં! રોગ કોને થાય છે? એ તો જડને થાય છે. રોગ થાય છે તે તો જડમાં (છે), પ્રભુ ! તારામાં રોગ નથી. તું શા માટે ડરે છે? દેહ છૂટવો, એ તો મરણ દેહનો-જડનો વ્યય થાય છે. તારું તો મરણ જ નથી, પ્રભુ! તું શા માટે ડરે છે? આહા... હા ! આનંદમાં જા !
અતીન્દ્રિય આનંદનો નાથ (અંદર) બિરાજે છે, પ્રભુ! એની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે. પણ દ્રવ્ય છે એ તો શુદ્ધ ઉપયોગરૂપે ય પરિણમતું નથી અને બંધના કારણ શુભાશુભરૂપે ય પરિણમતું નથી.
એ અહીં કહ્યું: “પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી.” આહા... હા! “ઊપજતો.. પણ નથી કેમ કહ્યું? (કે) “મરણ પણ નથી” એમ કહેવું છે ને! પહેલા શબ્દમાં
ઊપજતો.. પણ કેમ કહી દીધું? કે પછી “મરણ પણ નથી' એમ કહેવું છે ને ! મરણ પણ નથી, “અને બંધ-મોક્ષ કરતો નથી.” આહા.. હા! ભગવાન આત્મા, જે સમ્યગ્દર્શનનું ધ્યેય, જે ધૂર્વસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ (છે); એ તો બંધ-મોક્ષને પણ કરતો નથી- એમ શ્રી જિનવર કહે છે.”
ત્રણ લોકના નાથ જિનેશ્વર-પરમાત્મા તો મહાવિદેહમાં સમવસરણમાં બિરાજે છે. એ ભગવાન-જિનવર એમ ભણે છે, કહે છે. આહા... હા! યોગીન્દ્રમુનિ કહે તો પણ સાચું છે. પણ અહીં તો (2) કહે છે કે, ભાઈ ! “એમ શ્રી જિનવર કહે છે.” નહીં તો સંત કહે તો પણ એ વાત તો યથાર્થ જ છે. પણ સંત તો જિનવરનો આશ્રય લઈને કહે છે કે, “એમ શ્રી જિનવર કહે છે”. ને પ્રભુ! તો તું જિનવરને માને છે કે નહીં? સમજાણું કાંઈ ? “ વંધુ | મોરવું
રે”- “ એમ શ્રી જિનવર કહે છે.” “ગુરુ' કહે છે એ “(જિન) વાણી” કહે છે અને (એ જ) “જિનવર' કહે છે. ત્રણેય વાત: જિનવાણી” એમ કહે છે. “જિનગુરુ' એમ કહે છે. અને “જિનવર” એમ કહે છે. આહા... હા... હા! દેવ-શાસ્ત્ર-ગુરુ-ત્રણે એમ કહે છે, પ્રભુ! આહા. હા“કહે છે' એ (જિન) વાણી આવી. “જિનવર' કહે છે” તો જિનવર આવ્યા.
ગુરુ પોતે કહે છે કે, જિનવર એમ કહે છે” તો ગુરુ પણ આવ્યા. આહા. હા! દેવ, ગુરુ અને શાસ્ત્રને કહેવું છે:
પરમાર્થ ભગવાન પૂર્ણાનંદનો નાથ (જ્યાં છે, ) ત્યાં દષ્ટિ દે! “તું પરમાત્મસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com