________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે. ગાથા:
સમયસાર ગાથા-૩૨૦: ૨૧૫
[પ્રવચનઃ તા. ૨૯-૭-૭૯ ]
‘સમયસાર ’ ૩૨૦-ગાથા. એની જયસેનાચાર્યની ‘તાત્પર્યવૃત્તિ' ટીકા છે. સૂક્ષ્મ વિષય
66
“ दिठ्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव ।
जाणदि य बन्धमोक्खं कम्मुदयं णिज्जरं चेव ।। "
અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષપણે દૃઢ કરે છેઃ
સૂક્ષ્મ વાત છે, ભગવાન! ભગવાન એને ‘આત્મા’ કહે છે કેઃ જે આત્મા રાગ દ્વેષ, દયા-દાન, ભક્તિ-પૂજાના ભાવનો પણ ‘કર્તા’ ન હોય. આહા... હા! અકર્તૃત્વ-ભોકતૃત્વની આવી વાત !! આત્મા (પોતા) સિવાય અન્ય દ્રવ્યનો કર્તા-ભોક્તા કંઈ છે જ નહીં. લક્ષ્મીને, સ્ત્રીને, કુટુંબને, આબરૂને પોતાનાં માનવાં અને એનું કાંઈ કામ કરવું-એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. ભગવાન એમ કહે છે કે: પોતાની પર્યાયમાં જે શુભાશુભ રાગ થાય છે, એ શુભાશુભ રાગનો ‘કર્તા ’ થવું-એ મિથ્યાદષ્ટિ છે; એને તો જૈન (મત ) ની ખબર નથી, ‘ જૈનધર્મ ’ શું છે’ એનો પત્તો ( –ભાન ) નથી. રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, દયા-દાન-વ્રતનું વેદન કરવું, એ પણ મિથ્યાત્વભાવ છે. આવો માર્ગ છે!! એ અહીં કહે છે, જુઓઃ
t
અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષ દૃઢ કરે છે. જુઓઃ “વિકી સયં પિ નાનું અારયં તદ્દ અવેવયં વેવ ”. પહેલાં દષ્ટાંત કહે છેઃ જેવી રીતે નેત્ર અર્થાત્ આંખ દશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધૂકણ-અગ્નિને સળગાવવાવાળા-કરવાવાળા-ની જેમ, કરતી નથી; (અર્થાત્ ) આંખ અગ્નિરૂપ વસ્તુને કરતી નથી; એમ આત્મ નેત્ર સમાન પદ્રવ્યને કરતો નથી.
આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! શું કહીએ? પંચમ આરામાં ( અહીં ) ત્રણ લોકના નાથ પરમાત્માનો વિરહ પડયો. પરમાત્મા તો ત્યાં (વિદેહ ક્ષેત્રમાં) રહી ગયા. અને વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિનો વિરહ પડી ગયો. વસ્તુસ્થિતિ એવી રહી ગઈ – ‘પ્રભુ! તું આવો છો’. પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ, એકાવતારી ઇન્દ્રો અને ગણધરોની સભામાં એમ ફરમાવતા હતા કે:
પ્રભુ! જેમ નેત્ર અગ્નિને સળગાવનારું નથી, તેમ (જ) કરતું નથી. સંધૂકણ કરનારની પેઠે, આંખ અગ્નિને કરવાવાળી નથી. અને જેમ તપેલા લોખંડનો પિંડ–તપેલું લોઢું–અગ્નિનો અનુભવ કરે છે; તેમ આંખ અગ્નિને અનુભવરૂપથી વેદતી નથી. ( અર્થાત્ ) જેમ તપેલા લોખંડનો પિંડ અગ્નિને વેદે છે, અગ્નિથી એકમેક થાય છે; તેમ આંખ ૫૨૫દાર્થને કરતી તો નથી પણ પ૨૫દાર્થને વેદતી પણ નથી. આહા... હા ! આ તો દષ્ટાંત (છે). એનો સિદ્ધાંતઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com