________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૪૯
અરે! શું કરે ? દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ.. નવ તત્ત્વને માનીએ છીએ, (તેથી ) અમને સતિ તો છે. હવે વ્રત આદિ ચારિત્ર લઈ લ્યો! – (એવું) ધૂળમાં સમિત ન હોય. એક પંડિત ( એમ ) માનતો હતો ને..! એ કહેતો હતો કેઃ દિગંબરમાં જન્મ્યા એને બધાને સમકિત તો છે, હવે ચારિત્ર લઈ લ્યો. ( શ્રોતાઃ ) ( એવી ) વાત કોઈ અપેક્ષાએ કરી હશે ? (ઉત્તર:) કોઈ પણ અપેક્ષાએ વાત (હોય ), ( એ વાત ) બધી જૂઠી છે.
66
અહીં તો ( ‘સમયા૨' ગાથા-) ૧૪૪ ની ટીકામાં કહ્યું ને...! (કેઃ ) “ જે ખરેખર
સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો
છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ (કેવળ) એકને જ (એટલે કે) શુદ્ધ જીવ પરમાત્મા ભગવાનસ્વરૂપ-એને એકને જ, નયથી રહિત-નયપક્ષપાતથી રહિત સમ્યગ્દર્શન થયું-એને સમ્યગ્દર્શન-જ્ઞાન નામ મળે છે. આહા.. હા! જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો સમયસાર છે. ખરેખર આ એકને જ.. એકને જ (સમ્યગ્દર્શનજ્ઞાન નામ મળે છે).
આહા.. હા ! ભાઈ! આ તો ૫રમાત્મા ત્રિલોકનાથની ધારા છે. પરમાત્મા એમ ફરમાવતા હતા તે વાત ‘આ’ છે. ખરેખર એકને જ –કોને એકને ? (કેઃ) વિકલ્પથી રહિત અંદર નિર્વિકલ્પ અનુભવ થયો ( અર્થાત્ ) ‘હું શુદ્ધ છું, અબદ્ધ છું, અખંડ છું' એવા વિકલ્પથી પણ રહિત થયો, ત્યારે જે સમ્યગ્દર્શન થયું- એ એકને જ, બીજી કોઈ નહીં, એવી સભ્યયગ્દર્શનપર્યાયને-એકને જ કેવળ-એકલું સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ પ્રાપ્ત છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી. (એમ ) એ પર્યાયને (દ્રવ્યમાં ) અભેદ ( કરીને ) કહેવામાં આવી છે. છે તો દ્રવ્યથી ભિન્ન પર્યાય; પણ પર્યાયનું (જે) લક્ષ પર ઉપ૨ હતું એ અંતરમાં ગયું, તે અપેક્ષાએ અભેદ કહેવામાં આવ્યું. આહા... હા સમજાણું કાંઈ ?
એ અહીં કયું. “શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું.” જીવત્વ, ભવ્યત્વ અને અભયત્વ-ત્રણેયમાં ‘જીવત્વશક્તિ' જે ત્રિકાળ છે, તે શુદ્ધ પારિણામિક ભાવે છે; એ પારિણામિક ભાવ દ્રવ્યનો સ્વભાવ છે એને પારિણામિકભાવનું નામ-સંજ્ઞા મળે છે. છે... ? “ શુદ્ધ પારિણામિક ભાવ એની સંજ્ઞાવાળું જાણવું.” એવું એને નામ મળે છે. આહા.. હા.. હા! શુદ્ધ પારિણામિક સ્વભાવ, ત્રિકાળી ભગવાન પૂર્ણ પ્રભુ-એમાં દયા, દાન ( આદિના ) રાગનો તો અભાવ છે, એ તો ચીજની બહાર રહ્યા. (પણ ) જેમાં ( ક્ષાયિક સમકિતપર્યાય થઈ એનો પણ જેમાં અભાવ છે; એવો શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળી જીવત્વશક્તિ, જીવનું જીવપણું, કારણ જીવ,, કારણ પ૨માત્મા-એને ‘ પારિણામિક ભાવ' એવી સંજ્ઞાવાળું જાણવું.
શુદ્ધ
""
Please inform us of any errors on rajesh@AtmaDharma.com