________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા - ૩૨૦ : ૨૯૧
(‘સમયસાર ’) ત્રીજી ગાથામામાં આવ્યું ને...! કે : દરેક પદાર્થ પોતાના ગુણ અને પર્યાયરૂપી ધર્મ અર્થાત્ સ્વભાવને સ્પર્શે છે. પણ એ પર્યાય ૫૨૫દાર્થની પર્યાયને કયારેય સ્પર્શતી નથી! (શ્રોતાઃ) સ્પર્શે નહીં. એનો ભાવાર્થ ? ( ઉત્તરઃ) બન્ને ભિન્ન ભિન્ન છે. (શ્રોતાઃ) તે-રૂપ થતા નથી એમ ભાવાર્થ છે? (ઉત્ત૨:) તે -રૂપ છે જ નહીં, ભિન્ન ભિન્ન
છે!
-
આહા...હા ! ‘ ધવલા !'માં તો પર્યાયને વિસદશ-વિરુદ્ધ કહી છે. અને ગુણ-દ્રવ્યને સદશઅવિરુદ્ધ કહ્યા છે. અર્થાત્ દ્રવ્યને અવિરુદ્ધ કહ્યું છે અને પર્યાયને અસદશ-વિરુદ્ધ કહી છે. કારણ કે ઉત્પાદ-વ્યય એટલે એક સમયની પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વની પર્યાય વ્યય થાય છે, તેથી એ તો વિસદશ થઈ અને ત્રિકાળી રહેવાવાળું ધ્રુવ સદશ છે. તો એ વિસદશને સદશ સ્પર્શતું નથી અને વિસદેશ છે એ સદશને સ્પર્શતું નથી. આહા...હા...હા ! માર્ગ તો જુઓ! ત્રણ લોકના નાથનો આ પોકાર છે.
66
સર્વજ્ઞદેવ ૫૨મેશ્વ૨ એક બાજુ (પંચાસ્તિકાય ’માં એમ કહે : पज्जयविजुदं दव्वं પર્યાય વિનાનું દ્રવ્ય હોતું જ નથી. એ તો પરથી ભિન્ન કરવા માટે ‘ પખ્તયવિનુવં વધ્વં એવો પાઠ છે. ને બીજી બાજુ અહીં તો (એમ કહ્યું કે :) પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે. આહા...હા !
હીરામાં ચમક ઊઠી. એ ચમક, હીરાને સ્પર્શતી નથી. અને હીરો ચમકને સ્પર્શતો નથી. અહીં તો કહે છે કે પ્રભુ! સાંભળ તો ખરો! હીરો ચમકને સ્પર્શતો નથી. એ (હીરો) જ્યારે ઘસવામાં આવે છે, તેની નીચલી ચીજ છે જેને ઘસે છે, તેને એ હીરાની પર્યાય સ્પર્શતી નથી. અને (નીચલી ચીજની ) પર્યાય, તેને (હીરાને ) સ્પર્શતી નથી. એ તો ઘણી સ્થૂળ વાત છે.
જડકર્મનો ઉદય છે, એ આત્માની પર્યાયને સ્પર્શતો નથી. આત્મામાં રાગ હોય, ક્રોધ હોય, પણ એ પર્યાયને કર્મ અડતાં ય નથી. અને કર્મની પર્યાય એને (વિકારી પર્યાયને ) સ્પર્શતી નથી. અને એ વિકારી પર્યાય કર્મને સ્પર્શતી નથી.
આહા...હા! અહીં તો એનાથી આગળ લઇ ગયા : કે મોક્ષનો માર્ગ છે, જે અપૂર્ણ મોક્ષપર્યાય-પૂર્ણ નહીં તે અપેક્ષાએ – (તે પણ સ્થંચિત્ ભિન્ન છે). કારણ કે તેનો વ્યય થઈ જશે અર્થાત્ જ્યારે મોક્ષ થશે ત્યારે આ (મોક્ષમાર્ગની ) પર્યાયનો વ્યય થશે. એ અપેક્ષા લેવી છે કે, આ પર્યાયને જો સર્વથા અભિન્ન કહો તો એ પર્યાયનો (તો) નાશ થઇ જાય છે, તો સાથે દ્રવ્યનો પણ નાશ થઈ જાય!
આહા...હા ! આવી વાતો!! બાપા! માર્ગ ઘણો સૂક્ષ્મ! એનો અભ્યાસ જોઈએ. આહા...હા! અનાદિથી ચોર્યાશીના અવતાર કરી કરીને રખડી મર્યો છે. એ નરકનાં - નિગોદનાં
દુઃખો...બાપુ ! પ્રભુ એમ કહે છે કે અરે! જઘન્ય સ્થિતિ પહેલી નરકની દશ હજા૨ વર્ષની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com