________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮: પ્રવચન નવનીત ભાગ-૧ (રૂપ) થયા, તેને આગમભાષાએ ત્રણ ભાવ- ઉપશમભાવ-ક્ષયોપશમભાવ-ક્ષાયિકભાવ – કહેવામાં આવ્યા છે.
નિયમસાર' માં (ઉદય આદિ) ચાર ભાવને વિભાવ કહ્યા છે. એમાંથી ત્રણ ભાવરૂપ પરિણમન (–ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક) એ વિશેષ પર્યાય છે, માટે એને વિભાવ કહ્યો; વિકાર નહીં. જે વિશેષ દશા-ત્રિકાળી ભગવાન (ના) (આશ્રયે) – થાય છે, એ વિભાવ ભાવ અથવા વિશેષ ભાવ. – એ જે (ઔપશમિકાદિ) ત્રણ ભાવ “મોક્ષનો માર્ગ છે, એને આગમભાષાએ ત્રણ ભાવ કહેવામાં આવ્યા છે. એ ભાવત્રય કહેવાય છે.
અધ્યાત્મભાષાથી”. આહા.... હા! આગમભાષા અને અધ્યાત્મભાષા જુદી છે. “અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખપરિણામ. (સંજ્ઞા પામે છે)”. કર્મના નિમિત્તની અપેક્ષાએ ઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક (છે). તો પોતાની પર્યાયમાં – તેનાથી (કર્મથી) ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક- નથી થતા; પોતાથી થાય છે. પણ એમાં પેલા (કર્મના) નિમિત્તનો પણ ઉપશમ (આદિ) છે તેથી એ અપેક્ષાએ આગમભાષાથી આ ત્રણ ભાવને મોક્ષનો માર્ગ કહ્યો. પણ (એને) અધ્યાત્મભાષાથી શુદ્ધાત્માભિમુખ અર્થાત્ ભગવાન પૂર્ણાનંદનો નાથ (આત્મા), એની સન્મુખનાં પરિણામ (કહેવામાં આવે છે).
આહા. હા.! ઝીણી વાત છે, ભાઈ ! આ જન્મ-મરણથી રહિત થવાની ચીજ અલૌકિક છે. બાપુ! બાકી તો જન્મ-મરણ કર્યા જ કરે. નરક-નિગોદના ભવ કરી કરીને એના ચોથા નીકળી ગયા છે! – પર્યાયમાં હોં! દ્રવ્ય તો ભગવાન જેવો છે તેવો ત્રિકાળી અંદર પડ્યો છે.
એ દ્રવ્યસ્વભાવની સન્મુખ થવું - એ મોક્ષમાર્ગ છે. - એને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ' કહેવામાં આવે છે. (અને) ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપના અભિમુખ (થવા) થી જે પરિણામ થયાં, એને આગમભાષાથી ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક કહેવામાં આવે છે. અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ” – ત્રિલોકના નાથની સન્મુખ-પરિણામ થયાં. અર્થાત્ જે પરિણામ રાગ-સન્મુખ હતાં એ પરિણામ ત્રિલોકના નાથની સન્મુખ થયાં. એ શુદ્ધાત્માભિમુખતાને સમ્યગ્દર્શન - જ્ઞાન-ચારિત્ર - મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આહા.... હા..
હા !
એમાં ઓલાં વ્રત ને તપ ને ભક્તિના વિકલ્પ તો ક્યાંય ગયા, એ તો પાપ... સંસાર છે બધો! આ ઝીણી વાત, ભાઈ ! કહ્યું હતું ને...(“પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ; પુત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ .) પાપને પાપ તો સૌ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે. યોગીન્દુદેવ (યોગસાર' માં) આ કહે છે. અને (“સમયસાર') પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે આવે છે કેઃ પુણને પાપ કેમ કહ્યું? કે જ્યારે શુભભાવ ઉત્પન્ન થાય છે ત્યારે પવિત્ર ભગવાન અખંડાનંદમાંથી – સ્વરૂપથી પતિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com