________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૬૫
કાગળ આવ્યો છે ખાનગીમાં. (એક વિદ્વાનનું) સાંભળીને કોઈને એકાંત લાગ્યું છે એટલે એક મોટો પ્રશ્ન આવ્યો છે. એમ કે: આ (વિદ્વાન ) બધો વ્યવહા૨ જૂઠો જૂઠો.. જૂઠો જ કર્યા કરે છે.' પણ ‘બધો વ્યવહાર જૂઠો હોય તો ક્ષાયિકભાવ પણ જૂઠો થાય! ' – (તે) વ્યવહારનયનો વિષય છે!
આહા.. હા! ઝીણી વાત છે. આ નિર્ણય કરવાની નવરાશ વાણિયાને ન મળે ! આ લોકો સાંભળવા આવ્યાં છે. દેશ મૂકીને, સ્વદેશ મૂકીને, ઘરની સગવડતા મૂકીને અત્યારે હજારો માણસો બહારથી આવ્યા છે. એના ઘરમાં (જેવી) સગવડતા છે એવી સગવડતાં અહીં તો નથી; તોપણ બહારથી આવ્યાં છે. ( શ્રોતાઃ ) એ (આપનું મંગળકારી પ્રવચન ) સૌથી મોટી સગવડતા છે. (ઉત્તર:) આ સગવડતા છે! વાત તો એવી છે, ભગવાન ! સાચી વાત છે.
આહા... હા ! જુઓ તો ખરા! દશ ભાવપ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ-અને ભવ્યત્વ-અભવ્યત્વ (એ) ત્રણે ‘પર્યાયનય ' નો વિષય છે.
“ તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ( એટલે પર્યાયોનું ) ઘાતક ‘દેશઘાતી’ અને સર્વઘાતી' એવાં નામવાળું મોહાદિક કર્મ સામાન્ય પર્યાયાર્થિનયે ઢાંકે છે.” એ તદ્દન અસદ્દભૂત વ્યવહારનયની પર્યાય છે. એ દેશવાતિ અને સર્વઘાતિ આત્માને ઢાંકે છે એ અસદ્દભુત પર્યાયનયનો વિષય છે. જેમ ‘ઘીનો ઘડો’ છે, તેમ આ વિષય છે. પણ (જે) અંદરમાં ઘાત થાય છે-એ પર્યાયનયનો વિષય છે. એ પોતાનાથી ભાવવાત થાય છે.
‘ પ્રવચનસાહ’ ૧૬ મી ગાથામાં છેઃ ‘દ્રવ્યવાતી ઘાત કરે' એ તો અસદ્દભૂતવ્યવહાર કથન છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો ઘાત કરે, એ વાત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અસદ્દભૃતવ્યવહારનયથી કહી છે. પણ એનો અર્થ એવો નથી કે ‘પર્યાયમાં ઘાત હોતો જ નથી ’ એ ઘાત થાય છે! ‘ભાવઘાતી ’ પોતાનાથી છે! ભાવઘાતી પોતાનાથી ઘાત (થાય ) છે; એ પણ પર્યાયનયનો વિષય અને વ્યવહારનયનો વિષય છે; પણ એ સદ્ભૂતવ્યવહારનયનો વિષય છે. સદ્દભૂત-પર્યાયમાં છે. માટીમાં ઘડાની પર્યાય છે.. બસ ! એ પર્યાય છે ને... ‘ ઘડો.’ ‘ પર્યાય ’ એ વ્યવહાર છે. ‘ઘડો કુંભારે કર્યો' એ અસદ્ભુતવ્યવહાર છે. પણ ‘માટીમાં ઘડાની પર્યાય થઈ ’ એ અસદ્ભૂતવ્યવહા૨નયનો વિષય છે! એ વ્યવહાર જૂઠો છે, એમ નથી. વ્યવહાર તરીકે ‘ પર્યાયનય ' નો વિષય છે!
અહીંયાં કહે છે : “તે ત્રણમાં ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ( અર્થાત્ સમકિત-ચારિત્ર આદિ ગુણોનું, ગુણ એટલે પર્યાયનું) ઘાતક ‘દેશઘાતી ’ અને ‘સર્વઘાતી ’ એવાં નામવાળું મોહાદિક કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com