________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૩ અને કોઈ ઠેકાણે “શુદ્ધ' કહે. પરમ ભાવ શુદ્ધ કહો કે સહજ પરમ પરિણામિકભાવ કહો (એકાર્થ છે).
(આ) જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય ! આહા... હા ! સલકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિવામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય! અહીં શુદ્ધપારિણામિકભાવ લીધો છે, છેલ્લી લીટી. શુદ્ધ કહો કે પરમ કહો. એ શબ્દ પહેલાં આવ્યો છે. જુઓ! “શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ” એમ લીધું છે. “પરમભાવ” કહો (ક) શુદ્ધપારિરણામિક’ કહો (એક જ છે ).
અહીં તો કહે છે: “સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મ દ્રવ્ય ”- નિજ પરમાત્મા! એ “પર” નહીં. અર્થાત્ (અન્ય- સર્વજ્ઞ-વીતરાગ, એ નહીં, કારણ કે એનું લક્ષ કરવાથી તો રાગ થાય છે. આહા.. હા! નિજપરમાત્મદ્રવ્ય! કેવું? કેઃ “સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ”. એ નિજપરમાત્મદ્રવ્ય! એનું આ લક્ષણ: “સહજ-શુદ્ધ-પારિણામિકભાવ”. અને લક્ષ્યઃ “નિજપરમાત્મદ્રવ્ય”.
- હવે શું કહે છે? એવા “નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યકશ્રદ્ધાન”- એ ભવ્યત્વશક્તિની વ્યકિત થઈ, એ વ્યકિત “સમ્યગ્દર્શન”. એ પર્યાય છે. “ભવ્યત્વશક્તિ' એ પણ પર્યાયમાં પર્યાયનયથી છે. એવી શક્તિની વ્યક્તતા- એ જે નિજપરમાત્મ દ્રવ્યની પ્રતીતિ ( રૂપ ) “સમ્યગ્દર્શન', એ પણ પર્યાયનો વિષય છે. એ કહે છે: “સમ્યક શ્રદ્ધાન-સમ્યજ્ઞાન સમ્યક અનુચરણરૂપ પર્યાય પરિણમે
સમજાય એટલું સમજવું! ન સમજાય તો રાત્રે (ચર્ચામાં ) પ્રશ્ન કરવો. પણ સંકોચ, ન રાખવો! સમજવા માટે બધા પૂછે, ભાઈ ! આ તો વીતરાગ-માર્ગ (છે), બાપા! (સંપ્રદાયમાં) ચાલતું ન હોય એટલે (વિષય) જરી સૂક્ષ્મ લાગે. પણ સંકોચ રાખ્યા વિના પૂછવું. સંકોચ રાખવો નહીં. ન સમજાય એ બરાબર પૂછવું. ભાઈ ! આ તો પ્રભુનો માર્ગ છે! એ પ્રભુનો માર્ગ એ આત્માનો માર્ગ છે!
અહીંયાં કહે છે: સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનું “સમ્યકશ્રદ્ધાન' એ ભવ્યત્વશક્તિની વ્યક્તતા (છે). એ ભવ્યત્વની યોગ્યતાનું “ ફળ” વ્યક્ત થયું. છે તો એ પણ પર્યાય, છે તો એ પણ વ્યવહારનયનો વિષય. “ભવ્યત્વ (શક્તિ)” પર્યાય છે. એ વ્યવહારનયનો વિષય (છે). અને શક્તિનીય વ્યક્તતા' એ પણ પર્યાય-વ્યહારનયનો વિષય (છે). પણ એ યથાર્થ છે! જેમ “ઘાતકર્મી ઘાત કર્યો' એમ આ (વાત) નથી. જેમ “ધીનો ઘડો' કહ્યો. એમ આ નથી. આ તો ખાસ શક્તિની વ્યક્તતા અર્થાત્ જે ભવ્યશક્તિની યોગ્યતા પર્યાયમાં હતી (તેની વ્યક્તતા) છે. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com