________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨: પ્રવચન નવનીત ભાગ-૧ “કમબદ્ધ ' ની વિશેષ પુષ્ટિનું કારણ આ છે. આ શબ્દો એમાં નાખ્યા છે, એનું કારણ છે કે જે પદાર્થમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થશે, એમાં પરની (કાંઈ અપેક્ષા નથી). “ઉત્પા” ઉત્પન્ન થવા લાયક (એક ચીજ ), અને “ઉત્પાદક” બીજી ચીજ, એમ છે જ નહીં. એ ઉપર આવી ગયું છે ને....! “ આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે. દરેક દ્રવ્યની પર્યાયમાં પર્યાયરૂપી “ઉત્પાધ” અને નિમિત્ત “ઉત્પાદક' એવો અભાવ છે. આહા... હા ! બહુ કઠણ ! અપૂર્વ વાત છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની દિવ્યધ્વનિ ‘આ’ છે!
અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ છે. વ્યવહારથી નિશ્ચય થાય છે ને... આમ થાય છે ને તેમ થાય છે!
અહીં તો કહે છે કે: (જે) પોતાની નિશ્ચયપર્યાય સ્વદ્રવ્યના આશ્રયે થઈ, એનો કર્તાઆત્મા (છે) અને તે નિર્મળપર્યાય (એનું) “કર્મ” (છે); એમાં કોઈ રાગની કે પરની અપેક્ષા છે જ નહીં. વ્યવહાર રાગની મંદતા હતી. તો આ નિશ્ચય સમ્ય
ચું ( –એમ નથી). જ્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, તે પહેલાં શુભભાવ હોય છે. અશુભભાવ હોય અને પછી સમકિત થાય, એમ થતું નથી. (અર્થાત્ ) જ્યારે ;
રે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તો એની પહેલાં-છેલ્લે શુભભાવ જ હોય છે. “આ હું આનંદ છું... શુદ્ધ છું” એવો જે વિકલ્પ આવે, તે શુભભાવ છે. તો (એથી) સમ્યકગ્દર્શન ઉત્પન્ન થયું, એમ છે જ નહીં. (અર્થાત્ ) સમ્યગ્દર્શન “ઉત્પાઘ” અને રાગ-વિકલ્પ “ઉત્પાદક' –એમ નથી. આ એટલામાં આટલું લખ્યું છે !
અહીંના પંડિતોનો પ્રભાવનામાં મોટો હાથ છે. (પણ) એ કથન નિમિત્તથી છે. જ્યાં જ્યાં પ્રભાવનાની પર્યાય થવાવાળી થાય છે, તો તેમને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્તની અપેક્ષા પ્રભાવનાની પર્યાયમાં નથી !
(આ વાત) આમાં (શાસ્ત્રમાં) છે કે નહીં? જુઓઃ “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે સિદ્ધિ હોવાથી” (એટલે કે, કોઈ પણ પદાર્થ કર્તા ' થઈને, “કર્મ' અર્થાત્ તે તે સમયે (પોતપોતાની) પર્યાયનું કાર્ય થયું, તે અન્યનિરપેક્ષપણે (છે). અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી (તેને) પરદ્રવ્યની અપેક્ષા નથી.
સ્વદ્રવ્યની પર્યાય તે “કાર્ય અને સ્વદ્રવ્ય એનું “કર્તા' –એ (પણ) વ્યવહારથી છે. બાકી પર્યાય કાર્ય અને પર્યાય કર્તા (એમ છે!) એ સ્વદ્રવ્યમાં છે. પણ એ પર્યાય “કાર્ય' અને નિમિત્ત “કર્તા' –એવી કોઈ ચીજ વસ્તુસ્થિતિ) નથી! આહા.... હા ! સમજાય છે કાંઈ? આ વાત, પ્રભુ ! ભાષાથી નહીં (પણ) અંતરમાં બેસવી (બહુ કઠણ! એમાં ઘણો પુરુષાર્થ જોઈએ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com