________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ નથી. – એ ઉપશમ ભાવ. ક્ષયોપશમભાવમાં કંઈક નાશ થાય છે અને કંઈક દબાઈ જાય છે. – એનું નામ ક્ષયોપશમ (ભાવ). ક્ષાયિકમાં બધા વિકારી ભાવનો નાશ થાય છે. –તેનું નામ ક્ષાયિક (ભાવ). જેટલે અંશે વિકારી ભાવનો નાશ થાય તેટલાનું નામ ક્ષાયિક.
એ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ત્રણ ભાવ, ત્રિકાળી દ્રવ્યની ભાવનારૂપ છે. સમજાણું કાંઈ ? એ ઔપથમિક આદિ એટલે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-ત્રણ ભાવ, એ સમસ્ત રાગાદિથી રહિત હોવાને કારણે એમાં- “ભાવના” અથવા એ “ત્રણભાવ” માં-રાગના વિકલ્પનો બિલકુલ અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રતના વિકલ્પ હોય, એ તો રાગ છે, ઝર છે; એનાથી રહિત (એ) ત્રણ ભાવ છે.
- વિદેશમાં કાંઈ ( તત્ત્વ સમજવા) મળે એવું નથી. ત્યાં ધૂળ (પૈસા) આવે ધૂળ! . હવે ધૂળ આવે ધૂળમાંય! એની (આત્માની) પાસે ક્યાં આવે છે? માને છે કે મારી પાસે (લક્ષ્મી) આવી, મારી છે'. ભાઈ ! આ... લક્ષ્મી ! બહારની –ધૂળની નહીં; આ અંતરમાં અનંત આનંદ અને અનંત જ્ઞાનની લક્ષ્મી પડી છે. અનંત ગુણની લક્ષ્મીનો ભંડાર ભગવાન ! –એની સન્મુખ થઈને એની દષ્ટિ, જ્ઞાન અને રમણતા કરવી, એને દ્રવ્યની ભાવના કહેવામાં આવે છે. એ
ભાવના' ત્રણ (ભાવ) સ્વરૂપે કહેવામાં આવે છે. એ ત્રણ ભાવ સમસ્ત રાગાદિથી રહિત (છે). ચાહે તો ભગવાનનો વિનય અને ભગવાનના સ્મરણનો વિકલ્પ (હો) – એ સમસ્ત રાગાદિથી રહિત ત્રણ ભાવ (છે). આહા... હા! મોક્ષનો માર્ગ, દ્રવ્યની ભાવના અર્થાત્ ત્રણ ભાવ, રાગથી બિલકુલ રહિત છે. આહા... હા! મીઠાલાલજી! આ મીઠાની (–આનંદની) વાત આવી છે! આ બધા કરોડપતિ (અહીં સાંભળવા) બેઠા છે, બધા ધૂળના પતિ (છે).
શ્રોતાઃ ધૂળના પતિને કાંઈ શેઠિયા કહેવાય ?
ઉત્તર: દુનિયા શેઠિયા (માને). (એટલે કે ) પાગલ શેઠ માને! શેઠ તો એને કહીએ કેઃ જેણે આ આત્મા, આનંદના નાથ ભગવાનનો અનુભવ કર્યો અને એના આનંદનો સ્વાદ આવ્યો; એને જ ધન્ય શેઠ-પ્રાથમિક દરજ્જાનો શેઠ કહેવામાં આવે છે.
(લોકો) વેપારના–ધૂળના કામ માટે વિદેશ જાય છે! આહા... હા! પ્રભુ! તું ક્યાં ગયો! પ્રભુ! તું વિકલ્પમાં રખડવા જાય છે. અનાદિથી તારી ચીજ તો અંદર ધ્રુવધામ પડી છે, નાથ!
ત્યાં વિશ્રામ લેવાની ચીજ છે. ત્યાં વિશ્રામ ન લઈને (૮) રાગના અવિશ્રામ-થાકના મહેલમાં ચડી જાય છે! આહા.... હા! વિશ્રામસ્થાન તો પ્રભુ પૂર્ણાનંદનો નાથ એ છે! બાકી રાગ આદિ જેટલા વિકલ્પ-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા (ના) – ઉત્પન્ન થાય છે, એ બધા અવિશ્રામ છે; એ ઝેરનો વિશ્રામ છે; આત્માનો વિશ્રામ નહીં!
આહા.. હા ! શું થાય, ભાઈ ! તો ય એટલાં ભાગ્ય છે કે લોકો સાંભળે છે. શ્રીમદ્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com