________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૨૪૫ કહ્યો. નહિતર તો છે “પરમ પારિણામિક ભાવ.” પણ “પરમ પારિણામિક' વારંવાર કહે છે; તેથી અહીં “શુદ્ધ પારિણામિક' લીધું.
ત્રિકાળી શુદ્ધ પારિણામિક, સહજ પ્રભુ, ત્રિકાળી, દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, નિત્યસ્વભાવ, સચ્ચિદાનંદસ્વભાવ, સત્ શાશ્વત જ્ઞાનાનંદ ત્રિકાળ સ્વભાવ-એને અહીંયાં “શુદ્ધ પારિણામિક ભાવ” (કહ્યો), એ દ્રવ્યરૂપ છે. અને આ (ઉદય-ઉપશમાદિ) ચાર ભાવ પર્યાયરૂપ છે. આહા.. હા! સમજાય છે કાંઈ ?
એ પરસ્પર સાપેક્ષ” (અર્થાત્ ) પર્યાય અને દ્રવ્ય (એટલે કે:) ચાર પ્રકારના પર્યાયરૂપ જે ભાવ અને એક દ્રવ્ય-ત્રિકાળી દ્રવ્ય, ભગવાન (આત્મા), પૂર્ણાનંદ સહજાન્મસ્વરૂપપરસ્પર સાપેક્ષ (છે). (અર્થાત્ ) એ ચારેય પર્યાય દ્રવ્યની (છે) અને દ્રવ્યમાં પર્યાય છે, એ (એમ) સાપેક્ષ (છે). (એટલે કે ) એવા દ્રવ્ય-પર્યાય અર્થાત્ દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વર્તમાન-બે મળીને આત્મપદાર્થ છે. કર્મનો સંબંધ (છે) માટે આત્મામાં વ્યવહાર છે, એમ પણ નથી.
આ (ઉદય આદિ ભાવ) ચાર પર્યાય છે, અને દ્રવ્ય છે (તે) પારિણામિક સ્વભાવભાવ-શુદ્ધ પારિવામિક છે- બે મળીને ‘દ્રવ્ય' પ્રમાણનો વિષય છે. (જ્યારે) સમ્યગ્દર્શનના વિષય (ભૂત) “દ્રવ્ય ' (ત્રિકાળી-પર્યાય વિનાનું) છે. અને અહીં આખું દ્રવ્ય અને પર્યાય-બને મળીને (જે) દ્રવ્ય ” કહ્યું તે તો પ્રમાણનો વિષય છે.
પ્રમાણજ્ઞાન અખંડજ્ઞાન છતાં એ પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી. (એમ) “નયચક્ર' માં આવ્યું છે કે પારિણામિકભાવ-દ્રવ્ય-ત્રિકાળી અને ચાર પ્રકારની પર્યાયરૂપ પરિણામ એનું જે જ્ઞાન એકસાથે છે તે (જ્ઞાન) પ્રમાણ (છે). એ પ્રમાણ ( જ્ઞાન ) માં પર્યાયનો નિષેધ નથી. માટે પ્રમાણ (જ્ઞાન) પૂજ્ય નથી. પૂજ્ય તો નિશ્ચયનય એ છે. આહા. હા! નિશ્ચયનય તો જ્ઞાનનો અંશ છે પણ જ્ઞાનના અંશનો (જે) વિષય છે અને અહીં નિશ્ચયનય કહ્યો. વસ્તુને નિશ્ચયનયા કહ્યો. સમજાણું કાંઈ ?
સમયસાર” અગિયારમી ગાથામાં આવ્યું ને.“ મૂલ્યો સિવો ફુ યુદ્ધનો ” – અમે ભૂતાર્થને શુદ્ધનય કહીએ છીએ. નહીંતર નય તો જ્ઞાનનો અંશ છે. પણ એ જ્ઞાનના અંશનો વિષય જે છે એને જ અમે શુદ્ધનય કહીએ છીએ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, ભૂતાર્થ, નિત્યાનંદ-પ્રવાહ પ્રભુ, નિત્ય. નિત્ય. નિત્ય. નિત્ય.. નિત્યપ્રવાહ, ધ્રુવ એને અહીં શુદ્ધનય કહેવામાં આવે છે.
વ્યવહારોગમૂલ્યો ” – (જે ઉદય-ઉપદમાદિ ) ચાર પર્યાય છે (તે) અભૂતાર્થ છે. અભૂતાર્થ અર્થાત્ “નથી '; એ ગૌણ કરીને ‘નથી” એમ કહ્યું.
અહીં તો કહ્યુંઃ (પર્યાય અને દ્રવ્ય) બે મળીને દ્રવ્ય છે. અને ત્યાં અગિયારમી ગાથામાં એમ કહ્યું કેઃ પર્યાય જે ચાર પ્રકારની છે તે અસત્ય છે, અભૂતાર્થ છે. કઈ અપેક્ષાએ? કેઃ ત્રિકાળીની દષ્ટિ કરાવવા માટે પર્યાયને ગૌણ કરીને, “નથી' એમ કહેવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com