________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ : પ્રવચન નવનીત ભાગ-૧ સોનગઢની વાત....એકાંત છે. એકાંત છે! આ કારણે કે “આ (સોનગઢ) વ્યવહારથી લાભ થાય છે તેની તો ના જ પાડે છે. (અને અમે) આ બધો ત્યાગ કરીએ... આટલું આટલું સહન કરીએ... ઉપવાસ કરીએ'. (પરંતુ) વ્યવહારના અભાવથી (લાભ) થાય છે. એના ઠેકાણે
વ્યવહારથી લાભ થાય” (એવી માન્યતા) મિથ્યાદષ્ટિ છે. (શ્રોતા ) તો વ્યવહાર છોડી દેવો? (ઉત્તર) કોણ છોડી શકે ? પહેલાં દૃષ્ટિમાં છોડવું. પછી તો સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ ઠરે, તો શુભ ઉપયોગ છૂટી જાય છે. પહેલાં શુભ ઉપયોગની રુચિ છોડવી અને ત્રિકાળીની રુચિ કરવી. પછી સ્વરૂપમાં ઠરીને અસ્થિરતાનો ભાવનો ત્યાગ કરવો. એ કથન પણ કથન નામ માત્ર છે. શુદ્ધ ઉપયોગમાં ઠરે છે, તો અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન જ થતો નથી; તો “એનો ત્યાગ કર્યો' એવું નામ માત્ર કથન છે. આહા..હા! હુજી આ વાત સમજાય નહીં. અને (બીજે કયાંય) સાંભળવા મળે નહીં. આહા...હા.હા !
હવે કહે છે : “ “તે પર્યાય '' - તે કઇ પર્યાય ? (કેઃ ) જે ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદની સન્મુખ થઈ. બધાથી વિમુખ થઈ.- દ્વેષ કરીને નહીં. અર્થાત્ સ્વદ્રવ્ય ભલું છે અને પરદ્રવ્ય બૂરા છે, એમ નહીં; (કેમકે) એ તો રાગ-દ્વેષ છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં આવે છે. આ તો સ્વદ્રવ્ય તરફ ઝૂકતા જવું અને પારદ્રવ્ય તરફથી હુઠી જવું. - એ પરદ્રવ્યથી વિમુખતા (છે). પરદ્રવ્ય (પ્રત્યે) દ્વેષ છે એમ નહીં. પણ પરદ્રવ્ય (પ્રત્યે) જે લક્ષ છે, તે છૂટી જવું અને પોતાના (પ્રત્યે ) લક્ષ લગાડી દેવું! આહા..હા !
તે પર્યાય શુદ્ધ પારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.” આહા..હા..હા! અરે પ્રભુ ! તારી અપૂર્વ મોક્ષમાર્ગની જે પર્યાય પ્રગટ થાય છે, તે પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે! બહુ (આકરું ) ન પડે માટે (એમ કહ્યું ). નહીંતર તો “સર્વથા' ભિન્ન છે! (શ્રી નિહાલચંદ્રજી) સોગાનીએ “સર્વથા ભિન્ન” લખ્યું છે. તો એમ જ! બે તદ્દન ભિન્ન છે! દ્રવ્યમાં પર્યાય નથી. અને પર્યાયમાં દ્રવ્ય નથી! પણ લોકોને આકરું લાગે, એટલે અહીંયાં
કથંચિત્ ભિન્ન' કહ્યું. પર્યાયનો દ્રવ્યમાં એકદમ-સર્વથા અભાવ (છે, એમ સમજવું). જરી કઠણ પડે.
એ મોક્ષમાર્ગની પર્યાય, શુદ્ધ ઉપયોગની પર્યાય, શુદ્ધાત્માભિમુખની પર્યાય, ‘ત્રિકાળી દ્રવ્ય થી ભિન્ન છે! અર....૨.૨! હજી શરીર જુદું, રાગ જુદો અને પુણ્ય-પાપ-લક્ષ્મીને ધૂળ ને આ તમાશા બધા, એ જુદાં. તે હજી બેસે નહીં એને. (તો) અહીં “(જે) ધર્મની પર્યાય પ્રગટ થઈ, એ દ્રવ્યથી ભિન્ન છે” ( –એવું કેમ બેસે??)
એ કહે છે તે જુઓઃ (““કથંચિત્ ભિન્ન છે). શા માટે ?'' શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા; એની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (ની પર્યાય) અર્થાત્ જે પર્યાય અંદર આનંદની આવી એ પર્યાય-વસ્તુથી કથંચિત્ ભિન્ન છે. એ પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. પરદ્રવ્ય-શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર-તો બધાં (પોતાથી તદ્દન) ભિન્ન છે; રાગ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com