________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ : પ્રવચન નવનીત ભાગ-૧
પરિણમન કરે છે. સ્ત્રીનો આત્મા પણ પોતાનાથી પર્યાયનું પરિણમન કરે છે. એ કોઈ કોઈના સંબંધથી નથી. આહા..હા ! વિકારનો પણ આત્મા સાથે સંબંધ નથી. કેમ (કે :) વિકારની સત્તા ભિન્ન છે. પ્રભુ એટલે આત્મા. આત્માને અહીં પ્રભુ કહે છે. સમજાણું કાંઈ ?
આહા...હા ! હવે અહીંયાં નિર્મળ પર્યાયને (દ્રવ્યથી ) કથંચિત ભિન્ન કહી. અને ત્યાં ( અલિંગ્રહણના ) ૧૯મા બોલમાં (કહ્યું કેઃ ) પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. પર્યાયને- નિર્મળ પર્યાયને પણ દ્રવ્ય આલિંગન કરતું નથી. એ (દ્રવ્ય-પર્યાયનો ) સર્વથા ભેદ કર્યો. અને (ત્યાં ) ૨૦મા બોલમાં તો એમ લીધું કે : પોતાની પર્યાયમાં વેદન આવે છે; એ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે એને એ પર્યાય સ્પર્શતી નથી. એ પર્યાય તે જ આત્મા છે. કારણ કે વેદનમાં પર્યાય આવે છે. આનંદની પર્યાય વેદનમાં આવે છે. કોઈ દ્રવ્ય વેદનમાં આવતું નથી.
જિજ્ઞાસા : પર્યાય વેદન કરે છે ?
સમાધાન : કરે છે (કહો ) આવે છે કહો, એક જ વાત છે. દ્રવ્યનું વેદન નથી! દ્રવ્ય તો
ધ્રુવ છે.
સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! તત્ત્વને સમજવું ઘણું (દોહ્યલું છે). જૈનદર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. એમાં ઉપરટપકે જન્મ લઈ લીધો.... અને જન્મથી પૂજા કરી ને ભક્તિ કરી ને મંદિર બનાવ્યું ને વ્રત કર્યાં.. ( પણ ) તે કોઈ ચીજ નથી. એ કોઈ ધર્મ નથી! (શ્રોતાઃ) ચીજ નહીં માટે ધર્મ નહીં, એમ ? (ઉત્તર:) પોતાની પર્યાયમાં એ ચીજ નથી. અર્થાત્ એ રાગાદિ પોતાની પર્યાયમાં ખરેખર છે જ નહીં; તેથી એ ધર્મ જ નથી.
પણ ( અહીંયાં તો કહે છે કેઃ ) પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધપારિણામિકભાવલક્ષણ, શુદ્ધપારિણામિક ત્રિકાળી સ્વભાવભાવલક્ષણ, શુદ્ધાત્મદ્રવ્ય (નાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ જે) મોક્ષમાર્ગની-ધર્મની પર્યાય (તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે).
‘તત્ત્વાર્થસૂત્ર ’માં ‘‘સમ્યવ્ર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ર:'' ( કહ્યું ) એ ત્રણે પર્યાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર'માં પર્યાયપ્રધાન કથન છે. અહીં કહે છે : એ ( ત્રણે ) પર્યાય શુદ્ધાત્મ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. આહા...હા ! અને (શ્રી નિહાલચંદ્ર) સોગાનીજીએ (દ્રવ્યદષ્ટિ પ્રકાશ ’ના બોલ-૨૬૫માં એમ) લીધું કે : પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. તો આચાર્યનું કથન ‘ એ '; અને ( સોગાનીજીનું ) ‘આ’! એમનું (કથન) પણ યથાર્થ છે. એમણે ૫૨મ નિશ્ચયથી -અમૃતચંદ્ર આચાર્યની શૈલીથી કહ્યું છે. સમજાણું કાંઈ ? અલૌકિક વાત છે, બાપુ !
દુનિયામાં આ પૈસા મળે, એ તો પૂર્વના પુણ્યથી મળે છે. એ કાંઈ પુરુષાર્થથી મળતા નથી. બહુ વ્યવસ્થિત રાગ કરે તો પૈસા મળે, એમ નથી. એ તો પૂર્વના પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com