Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 280
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮: પ્રવચન નવનીત ભાગ-૧ અને એક મોક્ષપર્યાય, એમ બે ભેદ થઈ ગયા એ વ્યવહાર થઈ ગયો. પંચાધ્યાયીમાં છે. પંચાધ્યાયી” ની શૈલી જરી સૂક્ષ્મ છે એટલે ઘણું બહાર ન આવે. અહીં તો આ પર્યાયનયનો વિષય છે, એમ કહ્યું. અને અશુદ્ધ પારિણામિકને પણ પર્યાયનયનો વિષય કહ્યો. માથે આવ્યું ને..! “પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ” સંજ્ઞાવાળા છે”. ભવ્યત્વ અને અભવ્યત્વ પણ પર્યાયનો વિષય છે. ભવ્યત્વ અને અભવ્યત્વ “પર્યાય' છે ખરી. સમજાણું કાંઈ ? આમ કહો તો “ભવ્યત્વ' ને તો “જૈનસિદ્ધાંતપ્રવેશિકા” માં “ગુણ” કહ્યો છે. (જો) ગુણ” હોય તો તેનો ક્યારેય નાશ થતો નથી (પણ) સિદ્ધમાં “ભવ્યત્વ રહેતું નથી. એ તો પર્યાયનયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વ છે. અંદર ત્રિકાળી ગુણ ભવ્યત્વનો છે-એમ નથી. એ પર્યાયની અપેક્ષાએ કહ્યું. ભવ્યત્વ અને અભવ્યત્વ-અશુદ્ધ પારિણામિક –પર્યાયનયનો વિષય છે. સમજાય એટલું સમજો ભાઈ ! આહા.. હા ! બહું ઝીણું, બાપુ ! આવું છે. અહીં કહે છે: “ઘાતકર્મ આત્માની પર્યાયનો ઘાત ડ્ય' એ અસભૂતવ્યવહારનયથી. (જેમ) “કુંભારે ઘડો કર્યો' એ અભૂતવ્યવહારનયથી (છે તેમ.) પણ “માટીથી ઘડો થયો” એ સદ્દભૂતવ્યવહારનય છે. એમ “આત્માથી પોતાની પર્યાયમાં ઘાત થયો” એ યથાર્થ છે; એ વ્યવહારનયનો વિષય યથાર્થ છે. આહા.. હા ! આવો માર્ગ વીતરાગનો અટપટો માર્ગ! જિજ્ઞાસા: આજે આપે “વ્યવહાર' ને સત્યાર્થ બતાવ્યો ! સમાધાન છે કે નહીં? “અશુદ્ધ પારિણામિકભાવ' છે કે નહીં? અને પર્યાયનયનો વિષય' છે કે નહીં? અંદર (પાઠ) માં લખ્યું છે કે નહીં? ભવ્યત્વ અને અભવ્યત્વ અશુદ્ધ પારિણામિક- એ પર્યાયનયનો વિષય આવ્યું ને? તો “પર્યાયનય” નો વિષય ભવ્યત્વ અનેઅભવ્યત્વ છે કે નહીં? જેમ “ઘીનો ઘડો' તેમ “આ' નથી. એમ “ઘાતી કર્મે ઘાત કર્યો” એમ નહીં. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પોતાથી “પર્યાયનય” થી છે. આહા. હા! “દ્રવ્યમાં નથી” એ બીજી વાત છે. દ્રવ્યમાં એ દશ પ્રાણ નથી. ભવ્યત્વઅભવ્યત્વ-પર્યાયનયનો વિષય-એ (પણ) દ્રવ્યમાં નથી. અને તેથી ૧૧ મી ગાથા “સમયસાર” માં વ્યવહારને અભૂતાર્થ' કહ્યો. પણ વ્યવહાર એ અસત્ય છે, એમ નથી. (એને) ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. નહીંતર તો પર્યાય માત્ર જૂઠી થઈ જાય. અર્થાત્ ક્ષાયિકભાવ-સિદ્ધપર્યાય એ જૂઠી થઈ જાય, એ અસત્ય થઈ જાય. અહીં (૧૧મી ગાથામાં) તો પર્યાયને (જે) અસત્ય કહી તે તો ત્યાંથી (પર્યાયથી) દષ્ટિ હઠાવવા માટે (તેને) ગૌણ કરીને (પર્યાયમાત્રને અસત્યાર્થ કહી). અને ત્યાં (શુદ્ધનયના વિષયભૂત પદાર્થની) દષ્ટિ કરાવવા, મુખ્ય તે નિશ્ચય, અને તેને સત્યાર્થ કહ્યો. પણ પર્યાય સર્વથા અસત્યાર્થ છે, બધી પર્યાયો જ નથી” (એવી માન્યતા) તો વેદાંત થઈ જાય છે. (અર્થાત ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357