________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮–૩૧૧: ૧૪૩ આ તો આ લીટીનો અર્થ ત્રીજી વાર થાય છે. પરમ દિવસે કર્યો હતો. કાલે અને આજે શરૂ કર્યો હતો. પાર નહીં! વીતરાગ-માર્ગનાં શાસ્ત્રનાં રહસ્યનો પાર નહીં !! આહા... હા! એવી ચીજ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞના શ્રીમુખે દિવ્ય ધ્વનિમાં આવે છે!! “મુખ” ૩ૐ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવિકજીવ સંશય નિવારે!'
(“સમયસાર') ૩૮ ગાથામાં ક્રમ અને અક્રમ પછી પાઠ એમ લીધો છે. શિષ્યશ્રોતા પંચમ આરાનો (છે) ! અને કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય પંચમ આરાના સાધુ છે! (તે) શ્રોતાને સમજાવે છે! શ્રોતા સાંભળે છે અને સાંભળીને તરત પ્રતિબોધ પામે છે! પ્રતિબોધ એવો પામે છે. હવે મને સમ્યગ્દર્શન થયું મિથ્યાત્વનો નાશ થયો; હવે ફરી (એનો ) અંકુર ઉત્પન્ન નહીં થાય.
પંચમ આરાના શ્રોતાને ગુરુએ સમજાવ્યા–અપ્રતિબુદ્ધને સમજાવ્યા. કેટલાક (લોકો) એમ કહે છે કે “આ” “સમયસાર” તો સાધુને માટે છે'. પણ પાઠમાં [“ અત્યન્માતિવુદ્ધ:” શબ્દ છે] તો અપ્રતિબુદ્ધને સમજાવ્યા છે અને અપ્રતિબદ્ધ સમજ્યા. આહા... હા! એવી સંતોએ વાત લીધી છે ! એ શિષ્ય એમ કહે છે કે પ્રભુ! હવે અમારે મિથ્યાત્વનો નાશ થયો. એ મિથ્યાત્વનો અંકુર હવે સાદિ-અનંત (કાળમાં) ઉત્પન્ન નહીં થાય. આહ.. હા! અરે પ્રભુ! તું છબસ્થ છે... પંચમ આરાનો શ્રોતા (છે), અપ્રતિબુદ્ધ હતો અને આ સાંભળ્યું ને.. આટલું બધું જોર આવી ગયું?! ભગવાન ! જોર શું? આત્મામાં એટલી તાકાત તો છે.. અહો... હો... હો ! (“સમયસાર”) (ગાથા-) ૩૮માં અને (“પ્રવચનસાર') ૯૨માં “અપ્રતિત’ વાત લીધી છેઃ ઉત્પન્ન થયું તે થયું. સમ્યગ્દર્શન થયું અને પછી પડી જશે–એ વાત જ નથી.
(“સમયસાર') આસ્રવ અધિકારમાં લીધું છે: ( ઓ) (શુદ્ધ) નયથી પરિશ્રુત થાય તો આમ થાય છે. (આ તો) જરા જ્ઞાન કરાવવા માટે “શુદ્ધનયત: પ્રવ્યુત્ય” ( લીધું છે ).
આહા.... હા! શ્રોતા તો એવા લીધા છે કે સાંભળતાં (જ) રસ આવી ગયો અને દ્રવ્ય ઉપર ઝૂકી ગયા અને જે અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું તો એ કહે છે કે હવે અમે સમ્યગ્દર્શનથી પડી જશું અને મિથ્યાત્વ ઉત્પન્ન થશે-એ અમને (બનવાનું) નથી ! આવી વાત
પ્રવચનસાર' (ગાથા-) ૯રમાં પણ એમ કહ્યું કે: આગમકૌશલ્યથી અને પોતાના અનુભવથી જે અમને દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું તો દર્શનમાં અમને મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન થશે નહીં. ચારિત્રની વાત બીજી છે. પંચમ આરાના છે તો સ્વર્ગમાં જશે; (ત્યાં) ચારિત્ર રહેશે નહીં. પંચમ આરાના સાધુ છે ને...! તો કેવળજ્ઞાન તો છે નહીં. અમારા દર્શનમાં (તો) મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન થાય નહીં (પણ) અમે ચારિત્રવંત છીએ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com